SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના | ગાથા ૧૫૯૦ ટીકાઃ धन्योऽहं सर्वथा, येन मया अनर्वाक्पारे-महामहति नवरमेतस्मिन् भवसमुद्रे भवशतसहस्रदुर्लभमेकान्तेन लब्धं प्राप्तं सद्धर्मयानं-सद्धर्म एव यानपात्रमिति गाथार्थः ॥१५९७॥ ટીકાર્ય હું સર્વથા ધન્ય છું; જે કારણથી અનર્વાપરવાળા આમાં=મહામહાન એવા ભવરૂપી સમુદ્રમાં, ખરેખર એકાંતથી લાખો ભવોમાં દુર્લભ એવું સદ્ધર્મયાન=સદ્ધર્મરૂપ જ યાનપાત્ર, મારા વડે પ્રાપ્ત કરાયું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારરૂપી મહાસમુદ્રનું ભાવન કરનારા મહાત્માને સંસારની ભયાનકતા સ્પષ્ટ દેખાવાથી સંસાર પ્રત્યે અત્યંત ભય પેદા થાય છે, અને સંસારથી ભય પામેલા તે મહાત્મા વિચારે છે કે આવા ભયાનક સંસારમાં રહેલો પણ હું સર્વથા ધન્ય છું; કેમ કે હું સંસારરૂપી સમુદ્રમાં પડ્યો હોવા છતાં તેનો સુખે સુખે પાર પામી શકું તેવી સામગ્રીને પામ્યો છું, તેથી સંસારમાં રહેલા અન્ય પુણ્યશાળી જીવો કે વૈભવશાળી જીવો જેવો હું સામાન્યથી ધન્ય નથી, પરંતુ સર્વ પ્રકારે ધન્ય છું. વળી તે મહાત્મા વિચારે છે કે આ સંસારરૂપી સમુદ્રમાં લાખો ભવોમાં પણ એકાંતે દુર્લભ એવું સદ્ધર્મરૂપી વહાણ મને પ્રાપ્ત થયું છે. આશય એ છે કે સંસારથી ભય પામેલા જીવો સંસારથી વિસ્તાર પામવાની ઇચ્છાવાળા હોય છે, અને તેથી ચારિત્રની અભિલાષાવાળા હોય છે, તોપણ સંસારથી નિસ્તાર પમાડે તેવો ઉત્તમ ચારિત્રધર્મ એકાંતે દુર્લભ છે. માટે જીવ ઘણા ભવો સુધી ચારિત્રધર્મની પ્રાપ્તિને અનુકૂળ વીર્ય સંચિત કરે, તો તેને જિનવચનને પરતંત્ર થઈને સંયમ પાળી શકાય તેવું ચારિત્રધર્મરૂપી વહાણ પ્રાપ્ત થાય છે, જે ચારિત્રધર્મરૂપી વહાણ મારા વડે પ્રાપ્ત કરાયું છે, માટે હું ધન્ય છું. આવા પ્રકારનું ભાવન તેવા મહાત્મા જ કરી શકે કે જેઓ ચારિત્રના પરમાર્થને જાણતા હોય, જિનવચનને પરતંત્ર થઈને ચારિત્રમાં ઉદ્યમ કરતા હોય; અને જેઓને સ્થિર નિર્ણય હોય કે આ સંસારરૂપી સમુદ્રને તરવાનો ઉપાય માત્ર આ સંયમનો વેશ કે આ સંયમની આચરણાઓ નથી, પરંતુ વીતરાગવચનને પરતંત્ર થઈને વિતરાગભાવને અનુકૂળ કરાતા અંતરંગ વીર્યને પોષક એવી બાહ્ય સંયમની ઉચિત પ્રવૃત્તિઓ છે. આવા મહાત્માઓ સર્વથા ધન્ય છે અને તેઓ નક્કી આ સચ્ચારિત્રધર્મરૂપી વહાણ દ્વારા સંસારરૂપી મહાસમુદ્રનો પાર પામી શકે છે, અને તેવો ઉત્તમ સચ્ચારિત્રધર્મ મને પ્રાપ્ત થયો છે, માટે હું પણ ધન્ય છું. આ પ્રકારે ભાવન કરવાથી પોતાને પ્રાપ્ત થયેલો ભાવચારિત્રનો પરિણામ દઢ થાય છે, તેમ જ ચારિત્ર પ્રત્યેનો પક્ષપાત દઢ થાય છે. જેના કારણે બોધિના મૂલ એવા ઉત્તમ ભાવો અત્યંત વૃદ્ધિ પામે છે, જેના ફળરૂપે દેવભવમાં ગયા પછી પણ તે મહાત્મા ચારિત્રપ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય કરે છે, જેથી તેમનો દેવભવ માત્ર ભોગવિલાસમાં પર્યવસાન પામતો નથી, પરંતુ ઉત્તરોત્તર યોગવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો બને છે. ll૧૫૯૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy