SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના ગાથા ૧૫૯૫-૧૫૯૬ ગાથાર્થ : ભાવિતાત્મા કેવલ જીવનના ચરમકાળમાં પ્રકૃતિથી સંસારરૂપી મહાસમુદ્રના નિર્ગુણપણાને વિશેષથી ભાવન કરે છે. ટીકા : ___ भावयति-अभ्यस्यति भावितात्मा सूत्रेण विशेषतः अतिशयेन नवरं तस्मिन् काले चरमे, किमित्याहप्रकृत्या स्वभावेन निर्गुणत्वम्-असारत्वं संसारमहासमुद्रस्य-भवोदधेरिति गाथार्थः ॥१५९५॥ ટીકાઈઃ સૂત્રથી ભાવિતઆત્મા કેવલ તે ચરમકાળમાં વિશેષથી=અતિશયથી, ભાવન કરે છે–અભ્યાસ કરે છે. શેને ભાવન કરે છે? એથી કહે છે – પ્રકૃતિથી=સ્વભાવથી, સંસારરૂપી મહાસમુદ્રના=ભવરૂપી ઉદધિના, નિર્ગુણપણાને=અસારપણાને, ભાવન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મહાત્માઓ સંસારની અસારતાના ભાવનને કારણે જ સંસારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે. સંયમ ગ્રહણ કર્યા પછી પણ સંસારની અસારતાના ભાવનને કારણે જ તૈલપાત્રધારકના દષ્ટાંતથી અપ્રમાદપૂર્વક સંયમની સર્વ આચરણાઓ કરે છે તેમ જ શાસ્ત્રાધ્યયન કરે છે; આમ છતાં ચરમકાળમાં સંસારની અસારતાના ભાવનનો પ્રકર્ષ થાય તો જન્માંતરમાં પણ તેના દઢ સંસ્કારો શીધ્ર પ્રાપ્ત થાય, જેથી ઉત્તરનો યોગમાર્ગ વિશેષ રીતે પ્રવર્તે. આથી કેવલ મરણકાળમાં અત્યંત ઉપયોગપૂર્વક સૂક્ષ્મ માનસઅવલોકનથી મહાત્મા સંસારના નૈર્ગુણ્યનું ભાવન કરે છે, જેથી સંસારના પારમાર્થિક સ્વરૂપના અવલોકનના સંસ્કારો આત્મા પર દઢ અને સ્થિર થાય છે, જેથી જન્માંતરમાં બોધિની પ્રાપ્તિ સરળ બને. વળી ભાવિતઆત્માવાળા મહાત્મા શું ભાવન કરે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે આ સંસાર મહાસમુદ્ર જેવો છે અને પ્રકૃતિથી નિર્ગુણ છે; કેમ કે આ સંસારમાં જીવો કર્મને પરવશ જન્મે છે, કર્મની પરવશતાથી મોટા થાય છે, કર્મને વશ થઈને આરંભ-સમારંભ કરીને દુર્ગતિઓમાં જાય છે. આ સર્વ અનર્થોની પરંપરા અનાદિકાળથી જીવમાં વર્તી રહી છે, આમ છતાં જીવને વિડંબણામય પોતાની વિષમ સ્થિતિ દેખાતી નથી, જેના કારણે સંસારી જીવો માત્ર તત્કાળ પ્રાપ્ત થયેલા અનુકૂળ ભાવોમાં મૂઢની જેમ પ્રવૃત્તિ કરે છે. આથી મહાત્મા જીવનના અંતકાળે આ સંસારના નિર્ગુણપણાનું ભાવન કરીને સંસારથી પર થવાને અનુકૂળ અંતરંગ મહાબળનો સંચય કરે છે. ૧પ૯પી. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ભાવિતાત્મા પ્રકૃતિથી સંસારરૂપી મહાસમુદ્રની નિર્ગુણતાને ભાવન કરે છે. તેથી હવે સંસારરૂપી મહાસમુદ્રની નિર્ગુણતાને જ સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy