SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના | ગાથા ૧૫૯૪-૧૫લ્પ ૨૦૩ ટીકાર્ય : - જિનપ્રણીત=આગમને અનુસરનારા, ધર્માદિ ધ્યાનયોગથી આંતર ભાવને પણ=અનાદિકાળથી આત્મા પર પડેલા મોહના સંસ્કારને પણ, સંલેખે છે =કૃશ કરે છે, અને કહેવાનારી ભૂતાર્થની ભાવનાઓ વડે અવંધ્યકારણ એવા બોધિનાં મૂલોને વધારે છે–વૃદ્ધિ પમાડે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં અભ્યઘત મરણ સ્વીકારતાં પહેલાં બાર વર્ષ કરવાની સંલેખનાની વિધિ બતાવી, તેમાં પ્રધાનતાથી તપ દ્વારા દેહને કૃશ કરવાની ઉચિત વિધિ બતાવી. હવે તે સંલેખના માટે કરાતા તપકાળમાં શુભધ્યાન દ્વારા અંતરંગ ભાવને કૃશ કરવાની વિધિ બતાવે છે – સંલેખના કરનારા મહાત્મા આગમાનુસાર ધર્મધ્યાનાદિથી આત્માને સતત ભાવિત કરે છે, જેના કારણે અનાદિથી આત્મા પર પડેલા મોહની ભાવનાના સંસ્કારો કૃશ થાય છે, કેમ કે બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગાદિ ભાવોથી આત્મા પર મોહના સંસ્કારો પડેલા છે. તેથી જીવ જિનવચનાનુસાર શ્રુતના ભાવનથી જેમ જેમ તત્ત્વને સ્પર્શે તેવા પ્રશસ્તતર રાગાદિ ભાવો કરે, તેમ તેમ વિષયોને આશ્રયીને આત્મા પર પડેલા રાગાદિ ભાવોના સંસ્કારોનો ઉચ્છેદ થાય છે અને આત્માનો પરિણામ તત્ત્વને અભિમુખ પ્રકર્ષવાળો થાય છે. આથી સંલેખના કાળમાં મહાત્માઓ ધર્મધ્યાનાદિ દ્વારા અને આગળમાં બતાવાશે એવી ભૂતાર્થભાવનાઓ દ્વારા આત્માને વાસિત કરે છે, જેથી સમ્યક્તરૂપ બોધિનું મૂળ એવા તત્ત્વજ્ઞાનના સંસ્કારો આત્મામાં ઉત્તરોત્તર પ્રકર્ષવાળા થવારૂપ અત્યંત વૃદ્ધિ પામે છે અને આત્મામાં વર્તતો પ્રકર્ષવાળો તે બોધિનો પરિણામ જન્માંતરમાં પણ પ્રવાહરૂપે અવિચ્છિન્ન પ્રાપ્ત થાય છે. આથી તત્ત્વજ્ઞાનના સંસ્કારો ઉત્તરોત્તરની બોધિ પ્રત્યે અવંધ્ય કારણ બને છે. ૧૫૯૪. અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે–પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે સંલેખના કરનારા મહાત્મા ભૂતાર્થભાવનાઓ દ્વારા બોધિનાં મૂલોને વધારે છે. તેથી હવે સદ્ભત અર્થની ભાવનાઓને જ ગાથા ૧૬૦૪ સુધી કહે છે – ગાથા : भावेइ भाविअप्पा विसेसओ नवरि तम्मि कालम्मि । पयईए निग्गुणत्तं संसारमहासमुद्दस्स ॥१५९५॥ અન્વયાર્થ: માવિMા=ભાવિત આત્મા નવસિ=કેવલ તમ ઋત્નિ તે કાળમાં=જીવનના ચરમકાળમાં, =પ્રકૃતિથી સંસારમહાસંમુદ્દ=સંસારરૂપી મહાસમુદ્રના નિષ્ણુપત્ત નિર્ગુણપણાને વિસગો વિશેષથી માવેટ્ટ=ભાવન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy