SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ લેખનાવતુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૯૦ ગાથાર્થ : અને ગાથા ૧૫૮૮-૧૫૮ભાં બતાવ્યું એ રીતે સંલેખના મરણના પ્રતિકારભૂત છે, મરણના નિમિત્તવાળી નથી. જે પ્રમાણે ગૂમડાને છેદવાની ક્રિયા આત્મવિરાધનારૂપ નથી. ટીકાઃ मरणप्रतीकारभूतैषा एवं चोक्तन्यायात्, न मरणनिमित्ता, यथा गण्डच्छेदक्रिया दुःखरूपाऽपि नात्मविराधनारूपेति गाथार्थः ॥१५९०॥ ટીકાર્ય : અને આ રીતે=ઉક્તન્યાયથી=ગાથા ૧૫૮૮-૧૫૮૯માં બતાવ્યું એ રીતે, આ=સંલેખના, મરણના પ્રતિકારભૂત છે=અનંતા મરણોની પરંપરાના ઉચ્છેદના કારણભૂત છે, મરણના નિમિત્તવાળી નથી. જે પ્રમાણે દુઃખરૂપ પણ ગંડના છેદની ક્રિયા=દુઃખ કરનારી પણ શરીર પર થયેલ ગૂમડાને છેદવાની ક્રિયા, આત્માની વિરાધનારૂપ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૮૮માં કહ્યું કે જે ક્રિયા અતિપાતક્રિયાના પ્રમત્તયોગાદિ લક્ષણથી રહિત છે અને ભાવિમાં નિયમથી શુભભાવને વધારનારી છે, તે ક્રિયા શુદ્ધક્રિયા છે; અને ગાથા ૧૫૮૯માં બતાવ્યું તેમ કૃતકૃત્ય મહાત્મા શુભમરણના કૃત્યને આશ્રયીને સંલેખનની ક્રિયા સ્વીકારે તો, તે સંલેખનની ક્રિયા પણ મરણના પ્રતિકારભૂત છે, પરંતુ મરણના નિમિત્તવાળી નથી, એમ સિદ્ધ થાય. આશય એ છે કે જે જન્મે છે તે અવશ્ય કરે છે, પરંતુ જેઓ જમ્યા પછી નિર્વિચારકની જેમ યથાતથા જીવે છે, તેઓનું મરણ અનંતા મરણોની પરંપરાનું કારણ છે. તે મરણોની પરંપરાનો ઉચ્છેદ કરવા માટે પંડિતમરણ” જ આવશ્યક છે અર્થાત્ જિનવચનાનુસાર તત્ત્વથી ભાવિત થઈને મરણકાળમાં શુભભાવના પ્રકર્ષથી મરણ પ્રાપ્ત કરવું જ આવશ્યક છે. આ પંડિતમરણ ફરી જન્મનું કારણ હોવાથી ફરી મરણ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે, તોપણ, પંડિતમરણ ઘણાં મરણોની પરંપરાને અલ્પ કરાવનારું છે, તેથી પંડિતમરણની પ્રાપ્તિ અર્થે કરાતી સંલેખના મરણના પ્રતિકારભૂત છે, પરંતુ મરણના નિમિત્તભૂત નથી. જેમ દેહ પર ક્યાંક ગાંઠ થયેલી હોય ત્યારે વૈદ્યકશાસ્ત્રની પ્રક્રિયા અનુસાર તે ગાંઠનો છેદ કરવામાં આવે છે. તે વખતે તે છેદક્રિયા દુઃખરૂપ હોવા છતાં પોતાના શરીરને પીડા કરવા માટે કરાતી નથી, પરંતુ શરીરને થનારી અધિક પીડાનું રક્ષણ કરવા માટે કરાય છે. તેમ સંલેખનાક્રિયાથી મૃત્યુ થતું હોવા છતાં ઘણાં મૃત્યુની પરંપરાને ઘટાડનાર હોવાથી મરણના નિમિત્તભૂત નથી, પરંતુ મરણની પરંપરાથી આત્મરક્ષણના ઉપાયભૂત છે. આથી સાધુને સંલેખના કરવી ઉચિત છે. એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૫૯. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy