SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવસ્તુક | અજુદત મરણ / દ્રવ્યલેખના / ગાથા ૧૫૮૯-૧૫૯૦ ૨૬૦ છે=ગાથા ૧૫૮૧માં જે પ્રકારે કહેવાઈ એ પ્રકારની સંલેખના થાય છે અથવા ગાથા ૧૫૮૮માં જે પ્રકારે કહેવાઈ એ પ્રકારની શુદ્ધક્રિયા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મહાત્માએ સંયમપ્રહણકાળથી આરંભીને પ્રાયઃ સ્વશક્તિ અનુસાર શાસ્ત્રાધ્યયન કરેલ છે, આત્માને શાસ્ત્રોથી ભાવિત કરેલ છે, શાસ્ત્રોથી નિષ્પન્ન થયા પછી યોગ્ય જીવોને સન્માર્ગમાં સ્થાપન કર્યાં છે, ભગવાનના વચનના યથાર્થ પરમાર્થને પામ્યા છે; તેમ જ અનાભોગાદિથી પણ પોતાના જીવનમાં થયેલી અલનાઓની જેમણે શાસ્ત્રમર્યાદા પ્રમાણે શુદ્ધિ કરી છે, તેવા મહાત્માને, જોકે શુભમરણ પ્રાપ્ત કરવારૂપ કૃત્ય બાકી છે, તોપણ મનુષ્યજન્મ પામીને પ્રાયઃ પોતે કરવા જેવાં સર્વ કૃત્યો જેમણે પૂર્ણ કર્યા છે, તેવા મહાત્મા સંલેખનની ક્રિયા સ્વીકારે તો તેઓની આ સંલેખનની ક્રિયા, ગાથા ૧૫૮૧માં બતાવી તેવી મહાબળવાળી સંલેખના બને છે અથવા ગાથા ૧૫૮૮માં બતાવી તેવી શુદ્ધ ક્રિયા બને છે; કેમ કે તે મહાત્માએ આજીવન પ્રમાદનો પરિહાર કરીને શક્તિના પ્રકર્ષથી સંયમના આચારો સેવ્યા છે, શાસ્ત્રાધ્યયન કર્યું છે, તેમ જ શાસ્ત્રોથી આત્માને ભાવિત કર્યો છે. તેથી તેઓ નિયમથી રાગાદિ દોષોથી સંસક્ત નથી, પરંતુ ભગવાનના વચનાનુસાર ચાલવાની ઉત્તમ પ્રકૃતિવાળા છે; અને તેથી સંલેખના કાળમાં તેઓ જેમ જેમ તપને કારણે દેહથી કૃશ થાય છે, તેમ તેમ ભગવાનના વચનથી ભાવિત હોવાને કારણે કષાયાદિથી પણ કૃશ થાય છે. તેથી તેઓએ સ્વીકારેલી સંલેખનની ક્રિયા શુભમરણનો હેતુ બને છે. માટે સંલેખના શુદ્ધક્રિયારૂપ છે, પરંતુ અતિપાતક્રિયારૂપ નથી. ૧૫૮૯મા અવતરણિકા : ગાથા ૧૫૮૪-૧૫૮૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સંલેખના આત્મવધનું કારણ છે, માટે સાધુએ સંલેખના કરવી ઉચિત નથી અને અતિપાતક્રિયાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે પણ સંલેખના કરવી ઉચિત નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ ગાથા ૧૫૮૬થી ૧૫૮૯ સુધી સ્થાપન કર્યું કે સંલેખનામાં અતિપાતક્રિયાનું લક્ષણ ઘટતું નથી અને કૃતકૃત્ય મહાત્મા જે સંલેખના કરે છે તે યથોક્ત એવી શુદ્ધક્રિયારૂપ આ કથનનો ફલિતાર્થ સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : मरणपडिआरभूआ एसा एवं च ण मरणनिमित्ता । जह गंडछेअकिरिआ णो आयविराहणारूवा ॥१५९०॥ અન્વયાર્થ: પર્વ ચ=અને આ રીતેગાથા ૧૫૮૮-૧૫૮૯માં બતાવ્યું એ રીતે, g=આ=સંલેખના, મરઘપgિકારમૂના મરણના પ્રતિકારભૂત છે, {Uનિમિત્તા મરણના નિમિત્તવાળી નથી. નહિં જે પ્રમાણે iઉછેરરિઝ માથવિરાWIવા =ગંડના=ગૂમડાના, છેદની ક્રિયા આત્મવિરાધનારૂપ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy