SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૮૮-૧૫૮૯ ભાવાર્થ: જે ક્રિયામાં ભગવાનના વચનના સ્મરણપૂર્વક વીતરાગ થવાને અનુકૂળ સમ્ય ઉદ્યમ હોય, તે ક્રિયામાં પ્રમાદનો યોગ નથી, તે ક્રિયા સ્વરૂપથી રાગાદિ દોષોના ઉચ્છેદને અનુકૂળ છે અને જિનાજ્ઞાથી નિયંત્રિત હોવાથી શાસ્ત્રાનુસારી છે. તેથી આવી ક્રિયા પૂર્વગાથામાં બતાવેલા અતિપાતક્રિયાના લક્ષણથી રહિત છે. વળી તે ક્રિયા ભવિષ્યમાં નિયમથી શુભભાવને વધારનારી છે અર્થાત્ ભગવાનના વચનાનુસાર કરાયેલી ક્રિયા કરતાં કરતાં દેહનો ત્યાગ થાય, તોપણ ઉત્તરના જન્મમાં તે ક્રિયા નિયમથી શુભભાવને વધારે છે; કેમ કે તેનાથી પ્રાપ્ત થયેલું સુદેવત્વ ઉત્તરના જન્મમાં વિશેષ પ્રકારની સંયમની શક્તિનું કારણ બનશે. આથી આવી ક્રિયા શુદ્ધ છે; કેમ કે તે ક્રિયા શુદ્ધ આત્મતત્ત્વના આવિર્ભાવને અનુકૂળ હોવાથી તેમાં શુદ્ધક્રિયાનું લક્ષણ ઘટે છે આનાથી ફલિત થયું કે સંલેખનાની ક્રિયાથી દેહના ધાતુ આદિનું ઉપક્રમણ થાય છે, તો પણ તે ક્રિયા અપ્રમાદની વૃદ્ધિ દ્વારા સંસારના ઉચ્છેદનું કારણ હોવાથી શુદ્ધક્રિયારૂપ છે, પરંતુ અતિપાતક્રિયારૂપ નથી. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ૧૫૮૮ો. ગાથા : पडिवज्जइ अ इमं जो पायं कयकिच्च मो उ इह जम्मे । सुहमरणमित्तकिच्चो तस्सेसा जायइ जहुत्ता ॥१५८९॥ અન્વયાર્થ: રૂદ ન નખે=અને આ જન્મમાં પાચં વ શ્વ મો=પ્રાયઃ કૃતકૃત્ય જ સુપરમિત્તવ્યિો શુભમરણમાત્ર કૃત્યવાળા નો જે રૂમં આને=સંલેખનાને, પવિત્નડું સ્વીકારે છે, તક્ષ્ણ પક્ષી તેની આ તે સાધુની સંલેખના, દુત્તા નાયડૂ યથોક્ત થાય છે. * ગાથાના બીજા પાદમાં રહેલ “૩' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : અને આ જન્મમાં પ્રાયઃ કૃતકૃત્ય જ શુભમરણમાત્ર કૃત્યવાળા જે સાધુ સંલેખનાને સ્વીકારે છે, તે સાધુની સંલેખના ચોક્ત થાય છે. ટીકા : प्रतिपद्यते चैनां संलेखनक्रियां यः प्रायः कृतकृत्य एवेह जन्मनि निष्ठितार्थः शुभमरणमात्रकृत्यः यदि परं, तस्यैषा जायते यथोक्ता-संलेखना शुद्धक्रिया वेति गाथार्थः ॥१५८९॥ ટીકાઈ: અને આ જન્મમાં પ્રાયઃ કૃતકૃત્ય જ નિષ્ઠિત અર્થવાળા, જોકે શુભમરણમાત્રકૃત્યવાળા જે આનેસંલેખનની ક્રિયાને, સ્વીકારે છે, તેની તે મહાત્માની, આ=સંલેખનની ક્રિયા, યથોક્ત=સંલેખના અથવા શુદ્ધક્રિયા, થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy