SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના/ ગાથા ૧૫૮૩-૧૫૮૪ ગાથાર્થ : બહુ ગુર સૈન્ય જેમ સુભટને જયથી ટ્યુત કરે છે, તેમ ઉદગ્રભાવથી એક સાથે ક્ષય કરાતા માંસાદિ જીવને પ્રાયઃ શુભયોગથી ગ્રુત કરે છે. ટીકા : युगपत्तु क्षिप्यमाणं तन्मांसादि उदग्रभावेन प्रचुरतया प्रायशो जीवं, किमित्याह-च्यावयति शुभयोगात् सकाशात्, किमिव कमित्याह-बहुगुरुसैन्यमिव सुभटं च्यावयति जयादिति गाथार्थः ॥१५८३॥ ટીકાર્ય : વળી ઉદગ્રભાવથી પ્રચુરપણાથી, એક સાથે ક્ષય કરાતા એવા તે માંસાદિ પ્રાયઃ જીવને શુભયોગથી શ્રુત કરે છે. કોણ જેમ કોને ટ્યુત કરે છે? એથી કહે છે – બહુ ગુરુ સૈન્ય જેમ અત્યંત મોટું સૈન્ય જેમ, સુભટને જયથી ટ્યુત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સંલેખનાના તે તે પ્રકારના કાળના ભેદથી માંસાદિ અને અશુભ પરિણામાદિ ઉપક્રમણના વિષયપણાને પામે છે. હવે આ રીતે સંલેખના કરવામાં ન આવે અને સંલેખના કર્યા વગર જ અનશન કરવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – સંલેખના કર્યા વગર અનશન કરવામાં આવે તો પ્રચુરપણાથી એક સાથે શરીરમાં ક્ષય કરાતા માંસાદિ જીવને શુભયોગથી ભ્રષ્ટ કરે છે. જેમ કોઈ સુભટની સામે અત્યંત મોટું સૈન્ય આવે તો તે સુભટ વિજયથી ભ્રષ્ટ થાય છે, તેમ મોહરૂપી શત્રુના નાશ માટે સુભટની જેમ યત્ન કરનારા પણ મહાત્માઓ સંલેખના ન કરે તો, શરીરના માંસાદિ એક સાથે ક્ષય પામે ત્યારે અતિશય પીડાને કારણે શાસ્ત્રવચનોથી ભાવિત પણ તે મહાત્મા શુભયોગથી પ્રાયઃ પાત પામે છે. આથી જીવનના ચરમકાળે પૂર્વે બતાવી એવી સંલેખના કરીને જ અનશનનો ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૧૫૮૩ી અવતરણિકા : ગાથા ૧૫૭૫થી ૧૫૭૭માં સંલેખના કરવાની વિધિ બતાવી, ત્યારપછી ગાથા ૧૫૭૮માં સંલેખના કર્યા વગર અનશન કરવાથી પ્રાપ્ત થતો આર્તધ્યાનરૂપ દોષ બતાવ્યો અને વિધિપૂર્વક સંલેખના કરવાથી આર્તધ્યાનનો અસંભવ બતાવ્યો, ત્યારપછી સંલેખના કઈ રીતે મહાબળપ્રાપ્તિનું કારણ બને છે? તે ગાથા ૧૫૮૧માં બતાવ્યું, ત્યારપછી સંલેખના દ્વારા કઈ રીતે બાહ્ય અને અત્યંતર ઉપક્રમણ થાય છે? તે ગાથા ૧૫૮૨માં બતાવ્યું, ત્યારપછી સંલેખના કર્યા વગર અભ્યદ્યત મરણ સ્વીકારવાથી આરાધક પણ જીવ પ્રાય શુભભાવથી કઈ રીતે વ્યુત થાય છે? તે ગાથા ૧૫૮૩માં દૃષ્ટાંત દ્વારા બતાવ્યું. હવે આ સંલેખના આત્મઘાતને અનુકૂળ ક્રિયા છે, એ પ્રકારની શંકાનું ઉભાવન કરતાં ગ્રંથકારશ્રી કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy