SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૮૧-૧૫૮૨ ક્ષામણાદિવિષયક ઉચિત કૃત્યો કરવારૂપ ઉચિત આજ્ઞાના સંપાદનથી, વિશેષથી ઉપક્રમણ સદા શુભભાવવાળું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૫૮ ભાવાર્થ: ગાથા ૧૫૭૫થી ૧૫૭૭માં બતાવ્યું તે પ્રકારે સંલેખના કરવામાં ન આવે તો પ્રાપ્ત થતો દોષ ગાથા ૧૫૭૮માં બતાવ્યો અને શાસ્ત્રોક્ત વિધિથી સંલેખના કરવામાં આવે તો તે દોષનો અભાવ કઈ રીતે થાય છે ? તે ગાથા ૧૫૭૯-૧૫૮૦માં યુક્તિપૂર્વક બતાવ્યું. તેથી કોઈ મહાત્મા પોતાની શક્તિ અનુસાર સંલેખના કરવા માટે તત્પર થયા હોય ત્યારે, તેઓ પોતાના શિષ્ય વગેરેની અત્યંત ઉપબૃહણા કરતાં કહે કે “ભગવાનના શાસનને પામીને તમે લેશ પણ પ્રમાદ કર્યા વગર જિનવચનાનુસાર ઉદ્યમ કરો છો તે રીતે જ જીવનના ચમકાળ સુધી ઉદ્યમ કરજો અને અંતસમયે સંલેખના કરીને જિનવચનાનુસાર અનશનમાં ઉદ્યમ કરીને તમે આ મનુષ્યજન્મને સફળ કરજો.” ઇત્યાદિ પ્રકારે અત્યંત ઉપબૃહણા કરવાપૂર્વક તે મહાત્મા સંલેખના કરે છે, અને સંલેખનાકાળમાં વધતા જતા શુભભાવપૂર્વક પૂર્વમાં બતાવેલ ક્રમથી જ તપ કરીને શરીરના ધાતુઆદિનું ઉપક્રમણ કરે છે અર્થાત્ ધાતુઆદિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. આ રીતે અત્યંત ઉપબૃહણ દ્વારા શુભભાવરૂપ પ્રતિકારપૂર્વક કરાયેલું ધાતુઓનું ઉપક્રમણ મહાબળવાળું જાણવું અર્થાત્ ઉપબૃહણપૂર્વક શુભભાવના પ્રતિકારસહિત સંલેખનામાં યત્ન કરવાને કા૨ણે ધાતુઆદિ ક્ષીણ થવાથી દેહ કૃશ થાય તોપણ, દેહ પ્રત્યે અત્યંત નિરપેક્ષભાવ પ્રગટે તેવું મહાબળ આત્મામાં પ્રગટે છે એમ જાણવું. વળી સંલેખનાકાળમાં ઉચિત આજ્ઞાનું સંપાદન કરવામાં આવે તો ધાતુઆદિનું ઉપક્રમણ વિશેષથી સદા શુભભાવવાળું બને છે. આશય એ છે કે જેમણે અંતકાળે પોતાના જીવનમાં લાગેલા અતિચારોનું સમ્યગ્ સ્મરણ કરીને તેની શુદ્ધિના ઉપાયોનું સેવન કર્યું હોય, વળી પૂર્વે કોઈની સાથે મનદુ:ખ થવાનો પ્રસંગ બન્યો હોય તો તે સર્વની સાથે ઉચિત ક્ષામણા કરી હોય, તેમ જ અનશનવિષયક ભગવાનની જે જે ઉચિત આજ્ઞા હોય તે સર્વનું સ્મરણ કરીને ઉચિત રીતે સંપાદન કર્યું હોય, તેવા મહાત્મા અંત સમયે જે શુભભાવરૂપ પ્રતિકારસહિત ધાતુઆદિનું ઉપક્રમણ કરે છે તે વિશેષ પ્રકારના શુભભાવનું કારણ બને છે. તેથી અનશન કરનારા મહાત્માએ સર્વ ઉચિત આજ્ઞાના સંપાદનપૂર્વક સંલેખનામાં ઉદ્યમ કરવો જેઈએ, જેથી અનશનકાળમાં પ્રગટેલું મહાબળ ઉત્તરના ઉચિત ભવની પ્રાપ્તિનું કારણ બને. એ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું તાત્પર્ય છે. ૧૫૮૧॥ ગાથા: थेवमुवक्कमणिज्जं बज्झं अब्भितरं च एअस्स । जाइ इअ गोअरत्तं तहा तहा समयभेएणं ॥१५८२॥ અન્વયા: રૂમ=આ રીતે તદ્દા તદ્દા સમયમેળં તે તે પ્રકારે સમયના=કાળના, ભેદથી થૈવમુવળિĒ=સ્તોક ઉપક્રમણીય એવું નાં અભિતાં વ=બાહ્ય અને અત્યંતર અન્ન અત્ત=આના ગોચરત્વને=ઉપક્રમણના વિષયપણાને, ના=પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy