SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૮ થી ૧૫૮૦, ૧૫૮૧ ૨૫૦ હોય તો અસમાધિ થાય છે, જે આર્તધ્યાનરૂપ છે; અને આ આર્તધ્યાન સંસારરૂપી વૃક્ષના બીજભૂત છે, તેથી સંસારના પરિભ્રમણથી ઉદ્વિગ્ન થયેલા મહાત્માએ મરણ સમયે સંભવતા આર્તધ્યાનના પરિહાર માટે શાસ્ત્રવિધિ અનુસાર દ્રવ્યસંખનામાં અને ભાવસંલેખનામાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી દેહમાં રહેલા માંસાદિ ધાતુઓનો થોડો થોડો ક્ષય થાય તોપણ તે મહાત્મા પોતાનું ચિત્ત ધર્મધ્યાનમાં લાગૃત રાખી શકે, જેના કારણે તે મહાત્માને મરણ સમયે આર્તધ્યાન સંભવે નહીં. વળી સંખના કરવાથી આર્તધ્યાન કેમ સંભવતું નથી? તેમાં યુક્તિ આપે છે કે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંલેખના કરતી વખતે તે સંલેખનાના પ્રકારથી મહાત્માનું ચિત્ત સદા શુભભાવમાં વર્તે છે, અને સંલેખનકાળમાં કરાતા તપથી શરીરમાં જે કાંઈ અલ્પ પીડા થાય છે તે પીડા તે મહાત્માના શુભભાવનો બાધ કરનાર બનતી નથી; કેમ કે સંલેખના કાળમાં તે મહાત્માએ ઘણા શુભભાવથી શરીરના થોડા દુઃખને સહન કરવાનો આરંભ કરેલ છે, માટે સંલેખનાથી થતા દુઃખ દ્વારા તે મહાત્માના મહાન એવા શુભભાવનો બાધ થતો નથી. /૧૫૭૮/૧પ૭૯/૧૫૮૦ ગાથા : उवक्कमणं एवं सप्पडिआरं महाबलं णेअं । उचिआणासंपायण सइ सुहभावं विसेसेणं ॥१५८१॥ અન્વચાઈ: વં આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, સMહિમારે ૩વમિvi>સપ્રતીકારવાળું ઉપક્રમણ મહવિત્ન જોગં=મહાબળવાળું જાણવું. વિકાસંપાયU–ઉચિત આજ્ઞાના સંપાદનથી વિરેસે વિશેષથી સફ સુદમાવં= (ઉપક્રમણ) સદા શુભભાવવાળું થાય છે. ગાથાર્થ : ને પૂર્વમાં બતાવ્યું એ રીતે સપ્રતીકારવાળું ઉપક્રમણ મહાબળવાળું જાણવું. ઉચિત આજ્ઞાના સંપાદનથી વિશેષથી ઉપક્રમણ સદા શુભભાવવાળું થાય છે. ટીકા? ___उपक्रमणमेवं धात्वादीनां सप्रतीकारं भूयो बृंहणेन महाबलं ज्ञेयं, अत्र उचिताज्ञासम्पादनेन सदा शुभभावमुपक्रमणं विशेषेणेति गाथार्थः ॥१५८१॥ ટીકાઈ: આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, અત્યંત બૃહણ દ્વારા સપ્રતીકાર એવું ધાતુઆદિનું ઉપક્રમણ શુભભાવરૂપ પ્રતિકારથી સહિત એવું માંસાદિ ધાતુ આદિની ક્ષીણતાને આપાદન, મહાબળવાળું=આત્મામાં મહાબળને સંચિત કરનારું, જાણવું. અહીં પ્રતિકારવાળા ઉપક્રમણમાં, ઉચિત આજ્ઞાના સંપાદનથી=સર્વ સાધુઓ સાથે જિનાજ્ઞાનુસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy