SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સંલેખનાવસ્તુક | અજુદત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫o૮ થી ૧૫૮૦ ટીકાર્ય : વળી શાસ્ત્રોક્ત વિધિથી થોડા થોડા ક્ષય કરાતા ધાતુઓ વડે આ=આર્તધ્યાન, સંભવતું નથી. આ ભવરૂપી વિટપીનું બીજભૂત છે=આર્તધ્યાન સંસારરૂપી વૃક્ષનું બીજભૂત છે. અહીંઅસંભવમાં વિધિથી ક્ષય કરાતા ધાતુઓ વડે આર્તધ્યાનના અસંભવમાં, આ=હવે કહે છે એ, યુક્તિ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : सइ सुहभावस्स तहा थेवविवक्खत्तणेण नो बाहा । जायइ बलेण महया थेवस्सारंभभावाओ ॥१५८०॥ અન્વયાર્થ: તહાસ સુદમાવસ્ય તે પ્રકારે સદા શુભભાવવાળાને થેવવવવૃત્ત =સ્તોક વિપક્ષપણાથી વાહ નો નાયડૂ=બાધા થતી નથી; મહા વત્ના થેવ સાકમાવાઝો=કેમ કે મહા બળવાળા (શુભભાવ) વડે સ્તોકના થોડા દુઃખના, આરંભનો ભાવ છે. ગાથાર્થ : તે પ્રકારે સદા શુભભાવવાળાને થોડા વિપક્ષપણાથી બાધા થતી નથી; કેમ કે મહા બળવાળા શુભભાવ વડે થોડા દુઃખના આરંભનો ભાવ છે. ટીકા : सदा शुभभावस्य तथा तेन संलेखनाप्रकारेण स्तोकविपक्षत्वेन हेतुना न बाधा जायते, कुत इत्याहबलेन महता शुभभावेन तेन स्तोकस्य दुःखस्यारम्भभावादिति गाथार्थः ॥१५८०॥ ટીકાઈઃ તે પ્રકારે તે સંલેખનાના પ્રકારથી=ગાથા ૧૫૭પથી ૧૫૭૭માં સંલેખના કરવાનો જે પ્રકાર બતાવ્યો તે પ્રકારથી, સદા શુભભાવવાળા સાધુને થોડા વિપક્ષપણારૂપ હેતુથી બાધા થતી નથી. કયા કારણથી બાધા થતી નથી? એથી કહે છે – મહા બળવાળા તે શુભભાવ વડે થોડા દુઃખના આરંભનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે સંલેખનાકાળમાં મહાત્મા ભાવસંખના કરવા અર્થે આત્માને સતત શ્રુતથી વાસિત કરે છે અને કાયસંલેખના કરવા અર્થે શાસ્ત્રવિધિ અનુસાર તપ કરીને દેહને કૃશ કરે છે. વળી, જેઓ આ પ્રકારે સંલેખના કરતા નથી તેઓ આત્માને શ્રુતાદિથી વાસિત કરતા હોય તોપણ, મરણ સમયે માંસાદિ ધાતુઓનો એકદમ ક્ષય થાય ત્યારે તેઓનું ચિત્ત શરીરને થતી પીડામાં વર્તવાથી તેઓને આર્તધ્યાન થાય છે. તેથી ફલિત થાય કે ચિત્તનો ઉપયોગ જિનવચનાનુસાર વર્તતો ન હોય તો તે ઉપયોગ અસમાધિવાળો છે, અને મૃત્યકાળમાં ધાતુઓનો અત્યંત ક્ષય થવાને કારણે શરીરમાં ઉત્પન્ન થયેલી પીડામાં ચિત્ત ઉપયુક્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy