SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૦, ૧૫૦૮ થી ૧૫૮૦ અભક્તાર્થને અને આંબિલને કરે છે. આ રીતે એકાશનાદિ વડે પણ સંયોગો કરવા અર્થાતુ ઉપવાસ કર્યો, એકાસણાથી પાર્યો, ફરી પણ ઉપવાસ કરે, એકાસણાથી પારે, એ પ્રકારનો એકાસણાથી સંયોગ કરવો. ‘મરિ' શબ્દથી નિવિગઈ અને એકસ્થાનકનું ગ્રહણ છે. વિવિગઈ આદિ સર્વ સદેશોમાં અને વિદેશોમાં થાય છે અર્થાત એક નીવિ કર્યા પછી બીજે દિવસે પણ નીવિ કરે તો નીલિમાં સદેશ સંયોગ થાય અને ઉપવાસ કરે નીવિથી ઉપવાસ પારે ફરી પણ ઉપવાસ કરે નીવિથી પારે તો નીલિમાં વિદેશ સંયોગ થાય. ‘વિ' શબ્દથી એકાશનકાદિનું ગ્રહણ છે. પત્થ ગાથાર્થ: અહીં=પ્રસ્તુત સંલેખનામાં કરાતા કોટીસહિત પચ્ચકખાણમાં, આંબિલ વડે અધિકાર છે અર્થાત્ એક વર્ષ સળંગ આંબિલ કરવારૂપ કોટીસહિત પચ્ચકખાણ વડે અધિકાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવ્યું એ રીતે અગિયાર વર્ષ સુધી સંલેખના કર્યા પછી એક વર્ષ સુધી કોટીસહિત આંબિલ તપ કરે છે અર્થાત્ એક આંબિલનો છેડો બીજા આંબિલના છેડા સાથે પરસ્પર સંબંધિત થાય તે રીતે આંતરા વગરનાં સળંગ આંબિલ એક વર્ષ સુધી કરે છે, અને “એક વર્ષ સુધી પ્રતિદિન આંબિલ કરે છે એમ જણાવવા માટે જ “કોટીસહિત આયામને કરે છે” એમ પ્રસ્તુત ગાથામાં કહેલ છે. આ રીતે બાર વર્ષ સુધી સંલેખના કરવાની વિધિ બતાવ્યા પછી, વર્તમાનના સાધુઓ આ પ્રકારની બાર વર્ષની સંલેખના ન કરી શકે, તો શું કરવું જોઈએ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે સાધુઓ પોતાના સંઘયણબળ, શક્તિ આદિને અનુરૂપ પૂર્વમાં બતાવ્યું એ જ ક્રમથી, સંલેખનાના બાર વર્ષના કાળથી અડધા છ વર્ષના કાળ સુધી કે તેનાથી પણ અડધા ત્રણ વર્ષના કાળ સુધી અવશ્ય સંલેખન કરે, જેથી અંત સમયે કરવાની આરાધનામાં ભાવની ઉત્તરોત્તર વિશુદ્ધિ પ્રાપ્ત થાય. (૧૫૭ી અવતરણિકા: इत्थमसंलेखनायां दोषमाह - અવતરણિકાર્ય : આ રીતે અસંલેખનામાં દોષને કહે છે=ગાથા ૧૫૭પથી ૧૫૭૭માં વર્ણન કર્યું એ રીતે સંલેખના નહીં કરવામાં પ્રાપ્ત થતા દોષને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૫૭૪માં કહ્યું કે અભ્યદ્યત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. ત્યારપછી ગાથા ૧૫૭પથી ૧૫૭૭ સુધી સંલેખનાની વિધિ બતાવી, તે લેખના જેઓ કરતા નથી તેઓને મરણકાળમાં પ્રાયઃ અસમાધિ થાય છે, તે રૂપ દોષ બતાવે છે – ગાથા : देहम्मि असंलिहिए सहसा धाऊर्हि खिज्जमाणेहिं । जायइ अट्टज्झाणं सरीरिणो चरमकालम्मि ॥१५७८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy