SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યરત મરણ / ગાથા ૧૫૦૩-૧૫૦૪ ૨૪૯ છે; કેમ કે મહાત્મા અભ્યદ્યત મરણ સ્વીકારવાપૂર્વક મૃત્યુ પામે તો, તેઓને તેવા ઊંચા દેવભવની પ્રાપ્તિ થાય કે જેમાં વિશેષ રીતે યોગમાર્ગની શક્તિનો સંચય કરીને તે મહાત્મા મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, અને મનુષ્યભવમાં મહાપરાક્રમ ફોરવીને, મરણની પરંપરાને અતિશય ક્ષીણ કરીને તે મહાત્મા અમરણધર્મને પ્રાપ્ત કરી શકે છે, જેથી તે યોગી મહાત્મા પણ તીર્થકરની જેમ અમરણધર્મવાળા બને છે. I૧પ૭૩. ગાથા : संलेहणापुरस्सरमेअं पाएण ता तयं पुट्वि । वोच्छं तओ कमेणं समासओऽब्भुज्जयं मरणं ॥१५७४॥ અન્વયાર્થ : પાણUT સંભેદપુરસ્પર આ=અભ્યઘત મરણ, પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. તા–તે કારણથી પુલ્વિ=પૂર્વેકઅભ્યત મરણનું વર્ણન કરતા પહેલાં, તયં તેને સંલેખનાને, વોજીં-હું કહીશ, તમો= ત્યારપછી ક્રમે ક્રમથી મળ્યુજય માં અભ્યઘત મરણને સમાસો-સમાસથી હું કહીશ.) ગાથાર્થ અભ્યધત મરણ પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. તે કારણથી પૂર્વે સંલેખનાને હું કહીશ, ત્યારપછી ક્રમથી અભ્યધત મરણને સમાસથી હું કહીશ. ટીકા? ___ संलेखनापुरस्सरमेतत् प्रायशः पादपविशेष मुक्त्वा, ततो पूर्वं वक्ष्ये संलेखनां, ततः क्रमेणोक्तरूपेण समासतोऽभ्युद्यतमरणं वक्ष्य इति गाथार्थः ॥१५७४॥ ટીકાર્ય : આ=અભ્યઘત મરણ, પાદપવિશેષને મૂકીને પાદપોપગમનમરણને મૂકીને, પ્રાયઃ સંલેખનાપૂર્વક થાય છે. તે કારણથી પૂર્વે સંલેખનાને હું કહીશ, ત્યારપછી ઉક્ત રૂપવાળા ક્રમથી=પૂર્વગાથામાં કહેવાયેલ પાદપઇંગિતમરણ-ભક્તપરિજ્ઞારૂપ ક્રમથી, અચુદ્યત મરણને સમાસથી=સંક્ષેપથી, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ત્રણ પ્રકારનાં અભ્યદ્યત મરણ બતાવ્યાં, તેમાંથી પ્રથમ પાદપોપગમનમરણને છોડીને પ્રાયઃ અન્ય બે મરણ સંલેખનાપૂર્વક થાય છે. તેથી ગ્રંથકારશ્રી પહેલાં સંલેખનાનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને ત્યારપછી પાદપોપગમનાદિ ત્રણ પ્રકારનાં મરણનું સંક્ષેપથી વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. અહીં ‘પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે ક્યારેક જીવવિશેષને આશ્રયીને કે તેવા સંયોગવિશેષને આશ્રયીને કોઈ મહાત્મા સંલેખના કર્યા વગર પણ ઇંગિતમરણ કે ભક્તપરિજ્ઞામરણને સ્વીકારે છે, તોપણ મોટા ભાગે સંલેખનાપૂર્વક જ અભ્યઘત મરણ સ્વીકારવું જોઈએ, જેથી મરણ સમયે આર્તધ્યાન થવાનો સંભવ રહે નહીં. /૧૫૭૪ો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy