SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૯-૧૫૦૦ અને અન્ય જીવોના પણ શુદ્ધ સંયમના પાલનમાં પોતે નિમિત્ત બની શકે છે, જેથી સ્વ-પરનો ઉપકાર શુદ્ધ થાય છે. આમ, અજાતકલ્પ-અસમાપ્તકલ્પનો જે સાધુઓ પરિહાર કરતા હોય અને ગાથા ૧૫૭૧માં કહેવાશે એ રીતે પ્રતિષિદ્ધનું વર્જન કરતા હોય, તે સાધુઓનો સ્થવિરવિહાર શાસ્ત્રાનુસારી બને છે અને તેનાથી સ્વપરનો ઉપકાર શુદ્ધ થાય છે, અન્યથા નહીં. આથી ગાથા ૧૫૬૮માં કહ્યું કે સર્વ જ સાધુઓએ સ્વ-પરના ઉપકારમાં યથાશક્તિ અપ્રમાદથી યત્ન કરવો જોઈએ. ૧૫૬૯. અવતરણિકા: एतत्स्मरणमाह - અવતરણિકાર્ય : આના સ્મરણને કહે છે=જાત-અજાતકલ્પ અને સમાપ્ત-અસમાપ્તકલ્પના સ્વરૂપના સ્મરણને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે આથી જ સૂત્રમાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે. તેથી અજાતકલ્પઅસમાપ્તકલ્પ શું છે? તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પૂર્વે ગાથા ૧૩૨૯થી ૧૩૩૧માં બતાવેલ હોવા છતાં ફરી સંક્ષેપથી અજાત-અસમાપ્તકલ્પના સ્વરૂપનું સ્મરણ કરાવે છે – ગાથા : अजाओऽगीआणं असमत्तो पणगसत्तगा हिट्ठा । उउवासासुं भणिओ जहक्कम वीअरागेहिं ॥१५७०॥ અન્વયાર્થ: નો=અગીતાર્થોનો અજાત(કલ્પ), ૩૩વાસાયું નહિ પUાસત્તહિટ્ટ=ઋતુવર્ષામાં=શેષકાળમાં અને ચાતુર્માસમાં, યથાક્રમે પંચક-સપ્તકથી નીચે મસમો=અસમાપ્ત(કલ્પ) વીઝાર્દિ ળિો વીતરાગ વડે કહેવાયો છે. ગાથાર્થ અગીતાર્થોનો અજાતકલ્પ, શેષકાળમાં અને ચાતુર્માસમાં યથાક્રમે પાંચ અને સાત સાધુઓથી જૂના અસમાપ્તકલ્પ વીતરાગ વડે કહેવાયો છે. ટીકા? अजातोऽगीतार्थानां कल्पः, असमाप्तः पञ्चकात्सप्तकाच्चाधः ऋतुवर्षयोः द्वयोरपि भणितो यथाक्रम वीतरागैरिति गाथार्थः ॥१५७०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy