SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૯ ૨૪૩ અન્વયાર્થ: સો ચ=અને તે સ્વ-પરનો ઉપકાર, થેરવિહારું મોજું સ્થવિરવિહારને મૂકીને અન્નત્થ=અન્યત્ર સુતો ૩ ા હોદ્દ=શુદ્ધ જ થતો નથી. પત્તો વ્યિ૩ =આથી જ મનાયડસમત્તપ્યો ક સિક્કો અજાત અને અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : અને સવ-પરનો ઉપકાર સ્થવિરવિહારને છોડીને અન્યત્ર શુદ્ધ જ થતો નથી. આથી જ અજાતકલ્પ અને અસમાપ્તકા સૂત્રમાં પ્રતિષિદ્ધ છે. ટીકાઃ स च न स्थविरविहारं मुक्त्वा स्वपरोपकारः अन्यत्र भवति शुद्ध एव, नाशुद्धः(? त्वशुद्धः), अत एव प्रतिषिद्धः सूत्रेऽजातोऽसमाप्तकल्पश्चेति गाथार्थः ॥१५६९॥ નોંધઃ ટીકામાં નાશુદ્ધઃ છે તેને સ્થાને વશુદ્ધ પાઠ હોય તેમ ભાસે છે. ટીકા: અને તે=સ્વ-પરનો ઉપકાર, સ્થવિરવિહારને મૂકીને અન્યત્ર શુદ્ધ જ થતો નથી, પરંતુ અશુદ્ધ થાય છે. આથી જ સૂત્રમાં અજાત અને અસમાપ્તકલ્પ પ્રતિષિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જેઓ જિનકલ્પ સ્વીકારવા સમર્થ નથી, તેઓએ પોતાની શક્તિને અનુરૂપ સ્વપરના ઉપકારમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ અને તે સ્વ-પરનો ઉપકાર શાસ્ત્રાનુસારી સ્થવિરવિહારના પાલનમાં શુદ્ધ થઈ શકે છે, પરંતુ સ્થવિરવિહારની મર્યાદાને છોડીને પોતાની અનુકૂળતા પ્રમાણે સંયમના આચારો પાળવાથી સ્વ-પરનો ઉપકાર શુદ્ધ થતો નથી, ઊલટો અશુદ્ધ થાય છે. અને તે અશુદ્ધ સ્વ-પરના ઉપકારના પરિહાર માટે જ શાસ્ત્રમાં અજાતકલ્પ અને અસમાપ્તકલ્પનો નિષેધ કરાયો છે. આશય એ છે કે જે સાધુઓના સમુદાયમાં કોઈ ગીતાર્થ ન હોય, તે સાધુઓનો સમુદાય અજાતકલ્પ કહેવાય, અને તે અજાતકલ્પવાળા સમુદાયમાં કોઈ ગીતાર્થ ન હોવાથી ઉચિત કાળે ઉચિત પ્રવૃત્તિનો યથાર્થ નિર્ણય કોઈ સાધુ કરી શકે નહીં, જેથી તેઓ ઉગ્ર તપ કરતા હોય, કઠોર સંયમ પાળતા હોય, તોપણ તેઓનો પોતાનો અને અન્યનો ઉપકાર શુદ્ધ થતો નથી. વળી જો તે સમુદાયમાં રોષકાળમાં પાંચ સાધુઓથી ઓછા સાધુઓ હોય અને વર્ષાકાળમાં સાત સાધુઓથી ઓછા સાધુઓ હોય, તો તે સમુદાય અસમાપ્તકલ્પ કહેવાય, અને તે અસમાપ્તકલ્પવાળા સમુદાયમાં ક્યારેક કોઈક સાધુ ગ્લાન થયેલ હોય અથવા તેવા કોઈ વિષમ સંયોગો આવે, ત્યારે પરસ્પર ઉચિત ઉપકાર થઈ શકે નહીં, જેથી પોતાનો અને અન્યનો શુદ્ધ ઉપકાર થતો નથી. આથી અજાત-અસમાપ્તકલ્પનો પરિહાર કરવામાં આવે તો સાધુઓ સ્વયં શુદ્ધ સંયમ પાળી શકે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy