SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૦૮-૧૫૬૯ પ્રકારના તત્વને જાણીને, સર્વએ જ=સર્વ સાધુઓએ જ, વિશેષથી આની શક્તિથી રહિત=જિનકલ્પને સ્વીકારવાની શક્તિથી શૂન્ય, એવા અપ્રમત્ત સાધુઓએ સ્વ-પરના ઉપકારમાં યથાશક્તિ યત્ન કરવો જોઈએ. આ મહાન નિર્જરાનું અંગ છે સ્વ-પરના ઉપકારમાં યત્ન કરવો એ ઘણી નિર્જરાનું કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૫૫૭થી ૧૫૬૭ સુધી અન્ય આચાર્યોએ સ્થાપન કર્યું કે પરાર્થનો વિરહ હોવાથી અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન નથી, એ રીતે અન્ય આચાર્યોએ કહેલા તત્ત્વને જાણીને સર્વ સાધુઓએ અને વિશેષથી જેઓની જિનકલ્પ સ્વીકારવાની શક્તિ નથી તેવા સાધુઓએ, અપ્રમાદભાવથી પોતાની શક્તિ અનુસાર સ્વ-પરના ઉપકારમાં યત્ન કરવો જોઈએ. આનાથી ફલિત થાય કે સર્વ સાધુઓએ ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર પોતાનાં મન-વચન-કાયાને જિનવચનાનુસાર એ રીતે પ્રવર્તાવવાં જોઈએ, જેથી વીતરાગવચનના બળથી વીતરાગતાનાં પ્રતિબંધક કર્મો ક્ષય પામે; અને અન્ય યોગ્ય જીવોને પણ વીતરાગવચનનો પરમાર્થ બતાવીને જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરાવવામાં ઉત્સાહિત કરવા જોઈએ, જેથી તેઓ પણ અપ્રમાદભાવથી જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરીને પોતાનું હિત સાધી શકે; કેમ કે સ્વ-પરના ઉપકાર માટે જિનવચનાનુસાર કરાતો યત્ન મહાનિર્જરાનું કારણ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે માત્ર પરોપકારમાં ઉદ્યમ કરવો પણ ઉચિત નથી અને માત્ર પોતાનું હિત સાધીને અન્ય જીવોના હિતની ઉપેક્ષા કરવી પણ ઉચિત નથી; પરંતુ ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર પોતાની શક્તિનું સમાલોચન કરીને જિનવચનના પરમાર્થને જાણવાનો અને જાણીને સ્થિર કરવાનો ઉદ્યમ કરવો ઉચિત છે, તેમ જ જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને અન્યના પણ ઉપકારમાં ઉદ્યમ કરવો ઉચિત છે. અહીં “વિશેષત:” શબ્દથી એ કહેવું છે કે જેઓની જિનકલ્પ સ્વીકારવાની શક્તિ છે તેઓએ તો સર્વ ઉદ્યમથી સ્વ-પરનો ઉપકાર કરીને ઉચિત કાળે જિનકલ્પ સ્વીકારવો જોઈએ, પરંતુ જેઓની જિનકલ્પ સ્વીકારવાની શક્તિ નથી તેઓએ વિશેષથી અપ્રમત્તભાવપૂર્વક સ્વના અને પરના ઉપકારમાં યત્ન કરવો જોઈએ. ૧૫૬૮. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે વિશેષથી જિનકલ્પ સ્વીકારવાની શક્તિ વગરના સાધુઓએ સ્વ-પરના ઉપકારમાં અપ્રમાદથી યથાશક્તિ યત્ન કરવો જોઈએ. તેથી તેવા સાધુઓ કઈ રીતે પ્રયત્ન કરે તો સ્વ-પરનો ઉપકાર શુદ્ધ થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : सो य ण थेरविहारं मोत्तुं अन्नत्थ होइ सुद्धो उ । एत्तो च्चिअ पडिसिद्धो अजायऽसमत्तकप्पो अ ॥१५६९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy