SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૫-૧૫૬૬ ૨૩૯ તે કાળમાં જિનકલ્પ પ્રધાન છે; આમ છતાં સામાન્યથી સ્વ-પરનો ઉપકાર સ્થવિકલ્પમાં થાય છે; માટે સ્થવિરવિહાર પ્રધાન છે. એ પ્રકારનો અન્ય આચાર્યોનો આશય છે. વળી જિનકલ્પ સ્વીકારવાનો ઉચિત કાળ હોય તોપણ જિનકલ્પ સ્વીકારવામાં ન આવે, તો પોતાની શક્તિ જિનકલ્પના પાલનને અનુરૂપ નહીં પ્રવર્તવાને કારણે જિનકલ્પ સ્વીકારવાની શક્તિ નિષ્ફળ જાય, જે નિષ્ફળ થયેલી શક્તિનો ક્ષય થવાને કારણે તે મહાત્માને આત્મહાનિની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેઓના સંયમનો ઉત્કર્ષ થવાને બદલે અપકર્ષ થાય છે. માટે તે કાળની અપેક્ષાએ વિચારીએ તો સ્થવિરકલ્પ કરતાં જિનકલ્પ પ્રધાન છે, પરંતુ સામાન્ય રીતે સ્વ-પરના અત્યંત કલ્યાણનું કારણ હોવાથી સ્થવિરકલ્પ મહાન છે. આ પ્રકારનો ગાથા ૧૫૫૭માં બતાવેલ અન્ય આચાર્યોનો આશય છે. ૧૫૬૫॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સ્વકાળમાં જિનકલ્પ નહીં સ્વીકારવાથી નિષ્ફળ શક્તિના ક્ષયને કારણે આત્મહાનિ થાય છે. હવે ‘અવા'થી અન્ય પ્રકારે આત્મહાનિ બતાવે છે – ગાથા: अहवाऽऽणाभंगाओ एसो अहिगगुणसाहणसहस्स । हीणकरणेण आणा सत्तीए सया वि जइअव्वं ॥ १५६६॥ અન્વયાર્થઃ અહેવા=અથવા માળામંાઓ=આજ્ઞાભંગથી (આત્મહાનિ) થાય છે. અહિનુળમાળસહÆ=અધિક ગુણના સાધનમાં સહને=અધિક ગુણને સાધવામાં સમર્થ સાધુને, હળવળે=હીનના કરણથી=હીન કૃત્ય કરવાથી, સો=આ=આજ્ઞાનો ભંગ, થાય છે. આ=આજ્ઞા છે=ભગવાનની આજ્ઞા છે – સા વિ સત્તીર્ નદ્મબં=સદા પણ શક્તિથી યત્ન કરવો જોઈએ. ગાથાર્થ: અથવા આજ્ઞાભંગથી આત્મહાનિ થાય છે. અધિક ગુણ સાધવામાં સમર્થ સાધુને હીન મૃત્ય કરવાથી આજ્ઞાભંગ થાય છે. ભગવાનની આજ્ઞા છે કે સદા પણ શક્તિથી યત્ન કરવો જોઈએ. ટીકા अथवाऽऽज्ञाभङ्गादात्महानिः, एष चाज्ञाभङ्गः अधिकगुणसाधनसमर्थस्य सतः हीनकरणेन हेतुना, आज्ञा एवं, यदुत - शक्त्या सदापि यतितव्यं, न तत्क्षयः कार्य इति गाथार्थ: ॥ १५६६ ॥ ટીકાર્ય અથવા આશાના ભંગથી આત્મહાનિ થાય છે. અને આ=આજ્ઞાનો ભંગ, અધિક ગુણને સાધવામાં સમર્થ છતાને હીનના કરણરૂપ હેતુથી થાય છે. આશા આ પ્રકારે છે, જે યદ્યુતથી બતાવે છે – સદા પણ શક્તિથી યત્ન કરવો જોઈએ, તેનો ક્ષય=વિદ્યમાન શક્તિનો નાશ, કરવો જોઈએ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy