SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૧-૧૫૬૨ વિરવિહારથી અન્ય જીવોનો ઉપકાર થાય છે, છતાં અભુદ્યત વિહાર જેવો વિશેષ પ્રકારનો પોતાનો ઉપકાર થતો નથી. તેથી કહે છે – સ્થવિરકલ્પિક મહાત્માઓ શુભભાવથી અન્ય જીવોમાં જે ચારિત્ર નિષ્પન્ન કરે છે તે આત્યંતિક સુખરૂપ મોક્ષનો હેતુ છે, અને તેઓ અન્ય યોગ્ય જીવોમાં ચારિત્રનિષ્પત્તિનો વ્યાપાર સર્વથા સ્પૃહા વગર કેવલ જિનવચનાનુસાર કરતા હોવાથી આત્યંતિક સુખના હેતુરૂપે તે ચારિત્ર, અન્ય જીવોને જેમ પરિણમન પામે છે તેમ પોતાને પણ પરિણમન પામે છે. આશય એ છે કે સ્થવિરકલ્પિક મહાત્માઓ પરોપકાર કરવા અર્થે યોગ્ય જીવોને યોગમાર્ગમાં ભગવાનના વચનના સ્મરણપૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે તે પરોપકારની પ્રવૃત્તિથી તે ચારિત્ર યોગ્ય જીવોમાં પરિણામ પામે છે, તેમ જ તે પ્રકારના યત્નથી તે ચારિત્ર પોતાનામાં પણ ઉપર-ઉપરની ભૂમિકારૂપે પરિણામ પામે છે. માટે સ્થવિરવિહારથી માત્ર અન્ય જીવોનો જ ઉપકાર થાય છે તેવું નથી, પરંતુ તે પરોપકાર કરનારા મહાત્માઓના પણ ચારિત્રના પરિણામની વિશુદ્ધિ થાય છે, જે ચારિત્રનો પરિણામ આત્યંતિક સુખરૂપ મોક્ષનો હેતુ છે. આથી સ્વ-પરના ઉપકાર માટે કરાતા ઉદ્યમ જેવો મહાકલ્યાણકારી ઉદ્યમ અન્ય કોઈ નથી. અને સ્વ-પરનો ઉપકાર સ્થવિરવિહારમાં થાય છે, આથી સ્થવિરવિહાર અભ્યદ્યત વિહાર કરતાં પણ મહાન છે. આ પ્રકારે અન્ય કેટલાક આચાર્યોનો આશય છે. /૧૫૬ ૧. અવતરણિકા : ગાથા ૧૫૫૬માં કેટલાક આચાર્યોનો મત બતાવતાં કહેલ કે ગુરુ સંયમનો યોગ હોવાથી અને અત્યંત અપ્રમાદ હોવાથી અમ્મુદ્યત વિહાર સ્થવિરવિહાર કરતાં પણ પ્રધાન છે. તેનું નિરાકરણ કરવા ગાથા ૧૫૬૨-૧૫૬૧માં કહ્યું કે સ્થવિરવિહાર શુભભાવના યોગથી અન્ય જીવોની ચારિત્રનિષ્પત્તિનું કારણ છે અને અન્ય જીવોની ચારિત્રનિષ્પત્તિ માટે કરાતા ઉદ્યમથી તે ચારિત્ર નિયમથી જ પોતાને પણ પરિણમન પામે છે. આનાથી સિદ્ધ થાય છે કે સ્થવિરવિહાર પણ ગુરુ સંયમયોગનો અને અપ્રમાદનો હેતુ છે, તોપણ સ્થવિરવિહારમાં ગુરુ સંયમનો યોગ છે એ કથનને પ્રસ્તુત ગાથામાં શબ્દોથી સ્પષ્ટ કરે છે – ગાથા : गुरुसंजमजोगो वि हु विण्णेओ सपरसंजमो जत्थ । सम्मं पवड्डमाणो थेरविहारे अ सो होइ ॥१५६२॥ અન્વયાર્થ: ગુરુસંગમનો વિવિધoો ગુરુ સંયમયોગ પણ જાણવો, ગO=જ્યાં સારસંગમો સ્વ-પરનો સંયમ છે. થેવિદ્યારે મ=અને સ્થવિરવિહારમાં સમં પવઠ્ઠમા સો=સમ્યફ પ્રવર્ધમાન એવો આસ્વ-પરનો સંયમ, રો–છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy