SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮-૧૫૫૯ આપે, જેથી યોગ્ય એવા દીક્ષા લેવા તત્પર થયેલા તે મુમુક્ષુ ઉપર મહાન ઉપકાર થાય. આથી અભ્યુદ્યત વિહારને સ્થવિરવિહારથી પ્રધાન કહીં શકાય નહીં, આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો આશય છે. ॥૧૫૫૮ ગાથા : एव पहाणी एसो एगंतेणेव आगमा सिद्धो । जुत्तीए वि अ नेओ सपरुवगारो महं जम्हा || १५५९॥ અન્વયાર્થ: q=આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, મો=આ=સ્થવિરવિહાર, તંતેળવ=એકાંતે જ વાળો= પ્રધાન, આમા=આગમથી, સિદ્ધો—સિદ્ધ છે, નુત્તીર્ વિ ઞ નેઓ=અને યુક્તિથી પણ (પ્રધાન) જાણવો; નમ્હા=જે કારણથી, સપરુંવરો મહં=સ્વ-પરનો ઉપકાર મહાન છે. ગાથાર્થ ૨૩૧ પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે સ્થવિરવિહાર એકાંતે જ પ્રધાન આગમથી સિદ્ધ છે અને યુક્તિથી પણ પ્રધાન જાણવો; જે કારણથી સ્વ-પરનો ઉપકાર મહાન છે. ટીકાઃ एवं प्रधान एषोऽभ्युद्यतविहारात् एकान्तेनैवागमात्सिद्ध इति, युक्त्यापि च ज्ञेयः प्रधानः, स्वपरोपकारो महान् यस्मादिति गाथार्थः ॥ १५५९ ॥ ટીકા : આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, આ=સ્થવિરવિહાર, એકાંતે જ અભ્યુદ્યુત વિહારથી પ્રધાન આગમથી સિદ્ધ છે અને યુક્તિથી પણ પ્રધાન જાણવો; જે કારણથી સ્વ-પરનો ઉપકાર મહાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું એ રીતે સ્થવિરવિહાર એકાંતે જ અભ્યઘત વિહારની અપેક્ષાએ પ્રધાન આગમવચનથી સિદ્ધ છે. તેથી ફલિત થાય કે અભ્યાત વિહાર મોક્ષપ્રાપ્તિનું કારણ છે, તેના કરતાં પણ શીઘ્ર મોક્ષપ્રાપ્તિનું કારણ સ્થવિરવિહાર છે, એમ આગમથી સિદ્ધ થાય છે. Jain Education International વળી અભ્યુદ્યત વિહારથી સ્થવિરવિહાર જેમ આગમથી પ્રધાન સિદ્ધ થાય છે, તેમ યુક્તિથી પણ પ્રધાન સિદ્ધ થાય છે; કેમ કે સ્થવિરવિહારમાં સ્વ-પરનો ઉપકાર મહાન છે અર્થાત્ સ્થવિરકલ્પિક સાધુઓ શક્તિના પ્રકર્ષથી જિનવચનના પરમાર્થને જાણવામાં, જાણીને સ્થિર કરવામાં ઉદ્યમ કરે છે, તેમ જ જિનવચન અનુસાર જ સુદૃઢ વ્યાપાર કરવા માટે યત્ન કરે છે, જેથી સ્વનો ઉપકાર થાય છે; વળી યોગ્ય જીવોને માર્ગનું પ્રદાન કરે છે, યોગમાર્ગમાં સુદૃઢ રીતે પ્રવર્તાવે છે, જેથી પ૨નો પણ ઉપકાર થાય છે. આમ, સ્થવિરવિહારમાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy