SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૫૮ જે પ્રમાણે ગણિના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા મહાત્માના ગુણોથી આવર્જિત થઈને પ્રવજ્યાગ્રહણ માટે ઉપસ્થિત થયેલા દીક્ષાર્થીને તે મહાત્મા પ્રવ્રજ્યા આપે, એ પ્રમાણે સ્નેહથી પ્રવ્રયાગ્રહણ માટે ઉપસ્થિત થયેલા દીક્ષાર્થીને પણ તે મહાત્મા પ્રવ્રજયા આપે. આશય એ છે કે જેમ પૂર્વભવમાં જંબુસ્વામીના જીવ શિવકુમારને પોતાના પૂર્વભવના ભાઈ એવા મહાત્મા પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થયેલો, તેમ કોઈ દીક્ષાર્થીને કોઈ મહાત્મા પ્રત્યે સંસારી સંબંધને કારણે કે જન્માંતરના સંબંધને કારણે સ્નેહ થયો હોય, અને સ્નેહને કારણે તે દીક્ષાર્થી તેમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર થયો હોય, ત્યારે જો તે મહાત્મા અભ્યઘત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રજયાનો ભાવ અન્યથા થાય તેમ હોય તો, તે મહાત્મા તે યોગ્ય જીવના ઉપકાર અર્થે તેને પ્રવ્રયા આપે અને યોગમાર્ગમાં સમ્યફ પ્રવર્તાવવા દ્વારા તેના હિતની ચિંતા કરે, તે વખતે સ્થવિરવિહાર પણ તે મહાત્માને અત્યંત અપ્રમાદનું કારણ બને છે. આથી સ્થવિરવિહારથી અભુત વિહારને પ્રધાન કહી શકાય નહીં. એ પ્રકારનો અન્ય આચાર્યોનો આશય છે. હવે અમ્મુદ્યત વિહારને સ્વીકારવા તત્પર થયેલા કોઈક મહાત્મા ગણિના ગુણોવાળા હોય, પરંતુ ગાથા ૧૩૨૭માં બતાવેલ સ્વલબ્ધિ યોગ્ય સાધુના ગુણોમાંથી પ્રાયઃ અનુવર્તકપણાની ખામીને કારણે અલબ્ધિવાળા હોય, અને તેમની પાસે કોઈ દીક્ષાર્થી પ્રવ્રયાગ્રહણ કરવા તત્પર થયેલો હોય, ત્યારે અચુદ્યત વિહારાદિ સ્વીકારવાવિષયક શું વિકલ્પ છે? તે બતાવે છે – જો તે અલબ્ધિવાળા સાધુ પોતાની પાસે પ્રવજ્યા ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલા દીક્ષાર્થીને પ્રવ્રયા ન આપે તો તેનો પ્રવ્રયાગ્રહણનો પરિણામ અન્યથા થાય તેમ હોય અને અભ્યઘત વિહારાદિ નહીં સ્વીકારવામાત્રથી મોટા લાભનો નિશ્ચય થતો હોય, તો તે મહાત્મા તે દીક્ષાર્થીને પ્રવ્રયા આપે. આશય એ છે કે ગણિ આદિ મહાત્માઓ અભ્યઘત વિહારાદિ સ્વીકારે છે એમ પૂર્વમાં કહેલ છે, તેથી નક્કી થાય કે અભ્યત વિહારાદિ સ્વીકારનારા મહાત્મા નિયમથી બહુશ્રુત હોય; કેમ કે નવ પૂર્વથી અધિક શ્રુત ભણેલા ગીતાર્થ મહાત્માઓ જ અભ્યદ્યત વિહાર સ્વીકારવાના અધિકારી છે. આમ છતાં, અન્યને અનુવર્તન કરવા જેઓ સમર્થ ન હોય તેઓને અલબ્ધિવાળા કહેવાય; અને તેવા ગણિના ગુણોવાળા, સ્વલબ્ધિ વગરના મહાત્મા પાસે કોઈ યોગ્ય દીક્ષાર્થી પ્રવ્રજયા ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થયો હોય ત્યારે, જો તે મહાત્મા અભ્યત વિહારાદિ સ્વીકારે તો તેનો પ્રવ્રજ્યાગ્રહણનો પરિણામ અન્યથા થાય તેમ હોય, અને અભ્યઘત વિહારાદિ નહીં સ્વીકારવામાત્રથી મોટા લાભનો નિર્ણય થતો હોય અર્થાતુ “આ દીક્ષાર્થી શાસ્ત્રો ભણીને સંપન્ન થશે તો ઘણો લાભ થશે” ઇત્યાદિ મહાન લાભનો નિશ્ચય થતો હોય, તો અભ્યર્થાત વિહારાદિને ગૌણ કરીને તેને પ્રવજયા આપે. આનાથી એ પ્રાપ્ત થાય કે આ મહાત્મા અલબ્ધિવાળા હોવાથી તે દીક્ષાર્થીને પ્રવ્રયા આપ્યા પછી તેની અનુવર્તન કરવા સમર્થ નથી, તોપણ તેઓ અભ્યત વિહારાદિ ન સ્વીકારે એટલામાત્રથી તે દીક્ષાર્થી પ્રવ્રજયા ગ્રહણ કરીને તેમની પાસે શાસ્ત્રો ભણીને સંપન્ન થાય તેમ હોય અને તેનાથી મોટો લાભ થવાની સંભાવના તે મહાત્માને દેખાતી હોય, તો તે મહાત્મા અભ્યઘત વિહારાદિને ન સ્વીકારે અને તેને પ્રવ્રજયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy