SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખના વસ્તક અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮ ૨૨૯ ભાવાર્થ: પૂર્વગાથામાં અન્ય આચાર્યોએ કહેલ કે પરાર્થના અભાવમાં અભ્યદ્યત વિહાર પણ સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે અભ્યદ્યત વિહાર સ્થવિરવિહાર કરતાં મહાન છે એમ કહી શકાય નહીં. તેથી હવે પરાર્થના અભાવમાં અભ્યદ્યત વિહાર સ્વીકારવાના નિષેધનાં ત્રણ સ્થાનોને ક્રમસર બતાવે છે – કોઈ મહાત્મા અભ્યદ્યત વિહાર કે અભ્યઘત મરણ સ્વીકારવા માટે તત્પર થયા હોય, તે વખતે કોઈ યોગ્ય દીક્ષાર્થી તેમની પાસે પ્રવ્રયા ગ્રહણ કરવા ઉપસ્થિત થયેલ હોય અને જો તે મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રયાગ્રહણનો ભાવ અન્યથા થાય તેમ હોય, ત્યારે તે મહાત્મા અભ્યઘત વિહારાદિના સ્વીકારને ગૌણ કરીને તે દીક્ષાર્થીને પ્રવ્રયા આપે. તેથી નક્કી થાય કે પરોપકારનું કારણ એવા સ્થવિરવિહાર કરતાં અભ્યદ્યત વિહાર મહાન નથી. અહીં પ્રશ્ન થાય કે આ મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો અન્ય મહાત્મા પાસે પ્રધ્વજયા ગ્રહણ કરીને વિવેકી દીક્ષાર્થી પોતાના આત્માનું હિત સાધી શકે છે, છતાં આ મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો તેનો પ્રવ્રજયાનો ભાવ અન્યથા થાય તેવું કેમ છે ? તેથી કહે છે – આચાર્યના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા આ મહાત્મા પ્રવ્રજ્યા આપ્યા પછી તે દીક્ષાર્થીની પાલનામાં સમર્થ છે. આશય એ છે કે સામાન્યથી આચાર્યના ગુણો વગરના અને સ્વલબ્ધિ વગરના મહાત્મા તે દીક્ષાર્થીની પાલનામાં સમર્થ નથી; જયારે આ અભ્યદ્યત વિહારાદિ સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા વિશિષ્ટ પ્રકારના આચાર્યના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા હોવાથી, આ પ્રવ્રયા માટે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રયા આપ્યા પછી જિનવચન અનુસાર શાસ્ત્રાધ્યયનાદિ ઉચિત ક્રિયાઓ કરાવવા દ્વારા તેને પ્રવ્રજયાનું પાલન કરાવવા સમર્થ છે. તેથી તે મહાત્મા અભ્યત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રજયાગ્રહણનો ભાવ અન્યથા થાય તેમ છે. ટીકામાં કહ્યું કે “સામાન્યથી તેનાથી શૂન્ય નહીં” એનાથી એ પ્રાપ્ત થાય કે ક્યારેક પ્રવ્રયા આપનારા આચાર્ય ગણિના ગુણોવાળા કે સ્વલબ્ધિવાળા ન હોય તોપણ, વિશિષ્ટ પ્રાજ્ઞ દીક્ષાર્થી તે આચાર્યનું અવલંબન લઈને પ્રવજ્યાના પાલનમાં સમર્થ બને છે, પરંતુ સામાન્ય રીતે સર્વ દીક્ષાર્થીઓ ગણિના ગુણો વગરના કે સ્વલબ્ધિ વગરના મહાત્માના બળથી પ્રવ્રજ્યાના પાલનમાં સમર્થ બનતા નથી. આથી વિચારક દીક્ષાર્થી જાણતા હોય કે “આ મહાત્મા ગણિના ગુણોવાળા અને સ્વલબધ્ધિવાળા છે, તેથી આમના બળથી જ હું ભાવથી પ્રવ્રયાનું પાલન કરી શકીશ, અન્યથા નહીં.” આથી તે દીક્ષાર્થી તે મહાત્મા પાસે પ્રવ્રયા ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થાય છે, અને તે મહાત્મા પણ તેની યોગ્યતા જાણીને પરોપકાર અર્થે અભ્યદ્યત વિહારાદિને ગૌણ કરીને તે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રયા આપે છે અને પ્રવ્રજયામાં સમ્ય રીતે પ્રવર્તાવે છે, જેથી તે મહાત્માનો અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ અપ્રમાદભાવ જ વૃદ્ધિ પામે છે. માટે તેવા સંયોગમાં તે મહાત્મા માટે સ્થવિરવિહાર જ શ્રેયકારી છે, અભુદ્યત વિહાર નહીં. એ પ્રકારનો અન્ય આચાર્યોનો આશય છે. - હવે કોઈક દીક્ષાર્થી કોઈક મહાત્મા પ્રત્યેના સ્નેહથી પ્રવજ્યાગ્રહણ માટે ઉપસ્થિત થયેલ હોય અને જો તે મહાત્મા અભ્યઘત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થી પ્રવ્રયાગ્રહણના પરિણામથી વિમુખ થાય તેમ હોય, ત્યારે અન્યૂત વિહારાદિ સ્વીકારવાવિષયક શું વિકલ્પ છે ? તે બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy