SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮ तत्प्रव्रज्याभावे, गणिगुणस्वलब्धिकः खलु तत्पालनासमर्थो, न सामान्येन तच्छून्यः, स्नेहात्प्रव्रजति सति का वार्तेत्याह-एवमेव अन्यथा तत्प्रव्रज्याभावे, अलब्धियुक्तोऽप्यभ्युद्यताप्रतिपत्तिमात्रेण गुरुनिश्चयात् प्रव्राजयतीति गाथार्थः ॥१५५८॥ ટીકાર્ય : ચુદ્યત » તwદ્રામાવે અભ્યત એકતરને વિહારને અથવા મરણને અભ્યઘત વિહારને અથવા અભ્યત મરણને, સ્વીકારવાની ઇચ્છાવાળા છતા આ પણ=ગણિ આદિ મહાત્મા પણ, અન્યથા તેનો-તે દીક્ષાર્થીનો, પ્રવ્રજ્યાનો ભાવ હોતે છતે ઉપસ્થિતને પ્રવ્રજ્યા આપે. અહીં પ્રશ્ન થાય કે આ મહાત્મા અભ્યદ્યત વિહાર કે અભ્યદ્યત મરણ સ્વીકારે, તો તે પ્રવજયા ગ્રહણ કરવા માટે અભિમુખ થયેલા દીક્ષાર્થીનો પ્રવ્રજ્યાગ્રહણનો ભાવ અન્યથા થાય તેવું કેમ છે? એથી કહે છે – જ... સમર્થો ખરેખર ગણિના ગુણવાળા સ્વલબ્ધિક તેની પાલનામાં સમર્થ છે=આચાર્યના ગુણોવાળા અને સ્વલબ્ધિવાળા તે મહાત્મા પ્રવ્રજ્યા આપ્યા પછી તે દીક્ષાર્થીને પ્રવ્રજ્યાની પાલન કરાવવામાં સમર્થ છે. સામાન્ચન તસ્કૂચ: સામાન્યથી તેનાથી શૂન્ય નહીં=સામાન્ય રીતે ગણિના ગુણોથી અને સ્વલબ્ધિયોગ્ય ગુણોથી રહિત મહાત્મા પ્રવ્રજ્યા આપ્યા પછી તે દીક્ષાર્થીને પ્રવ્રજ્યાની પાલન કરાવવામાં સમર્થ નથી. આથી તે મહાત્મા અભ્યદ્યત વિહારાદિ સ્વીકારે તો તે દીક્ષાર્થીનો પ્રવ્રજ્યાનો ભાવ અન્યથા થાય તેમ છે. સ્નેહન્... ફત્યાદિ – સ્નેહથી પ્રવજ્યા ગ્રહણ કરતે છતે કઈ વાર્તા ? અર્થાતુ અભ્યઘત વિહાર કે અભ્યદ્યત મરણ સ્વીકારનાર મહાત્મા પ્રત્યેના સ્નેહથી કોઈક દીક્ષાર્થી તેઓ પાસે પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર થયેલ હોય અને જો તે મહાત્મા અભ્યધત વિહારાદિ સ્વીકારે તો તેનો પ્રવજ્યાગ્રહણનો ભાવ અન્યથા થાય તેમ હોય, તે વખતે પ્રવજ્યાદાનના વિષયમાં શું વિકલ્પ છે? એથી કહે છે – અન્યથા તwદ્રભાવે વમેવ અન્યથા તેનો=સ્નેહથી પ્રવ્રજ્યા સ્વીકારનારા તે દીક્ષાર્થીનો, પ્રવજ્યાનો ભાવ હોતે છતે, આ રીતે જ છે=જે રીતે ગુણોથી આવર્જિત થઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર થયેલ દીક્ષાર્થીને અભ્યદ્યત વિહારાદિ સ્વીકારવાની ઇચ્છાવાળા પણ મહાત્મા પ્રવ્રજ્યા આપે એ રીતે જ આ મહાત્મા પણ પોતાના પ્રત્યે સ્નેહવાળા તે દીક્ષાર્થીને પ્રવ્રજ્યા આપે. હવે અભ્યઘત વિહારાદિ સ્વીકારવાની ઇચ્છાવાળા કોઈ મહાત્મા ગણિના ગુણોવાળા હોય, પરંતુ સ્વલબ્ધિ વગરના હોય અને કોઈ દીક્ષાર્થી પ્રવ્રયાગ્રહણ માટે તેમની પાસે ઉપસ્થિત થયેલ હોય, ત્યારે પ્રવ્રયાદાનવિષયક શું વિકલ્પ છે ? તે બતાવે છે – ત્નવ્યિયુfપ પ્રવ્રાજયતિ અભ્યદ્યતની અપ્રતિપત્તિમાત્રથી ગુરુનિશ્ચયને કારણે અલબ્ધિયુક્ત પણ પ્રવ્રાજેકઅભ્યદ્યત વિહાર કે અભ્યદ્યત મરણને નહીં સ્વીકારવામાત્રથી અધિક લાભપ્રાપ્તિના નિર્ણયને કારણે લબ્ધિ વગરના પણ ગણિના ગુણોવાળા તે મહાત્મા તે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવજ્યા આપે. રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy