SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૫૭ પ્રતિપત્તિનો નિષેધ જ છે=પરાર્થના અભાવમાં અભ્યઘત વિહારના પણ સ્વીકારનો શાસ્ત્રમાં નિષેધ જ છે, ત્તિ મuvો એ પ્રમાણે અન્યો (કહે છે.) ગાથાર્થ : પરાર્થનો વિરહ હોવાથી પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યધત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમાં નથી. અને પરલોકસંબંધી હિતમાં પરાર્થ પ્રધાન છે; કેમ કે પરાર્થના અભાવમાં અભ્યધત વિહારના પણ સ્વીકારનો શાસ્ત્રમાં નિષેધ જ છે, એ પ્રમાણે અન્ય કેટલાક કહે છે. ટીકા : अन्ये परार्थविरहात् कारणान्नैवमिति भणन्ति, एष च-परार्थ इह प्रधानः परलोक इति, एतस्यापि-अभ्युद्यतविहारस्य तदभावे परार्थाभावे प्रतिपत्तिनिषेधतश्चैव नैवं भणन्तीति गाथार्थः ॥१५५७॥ ટીકાઈઃ | પરાર્થના વિરહરૂપ કારણથી આમ નથી, એ પ્રમાણે અન્યો કહે છેઃઅભ્યત વિહારમાં પરોપકારનો અભાવ હોવાથી પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ નથી, એ પ્રમાણે બીજા કેટલાક આચાર્ય કહે છે. અને અહીં=પરલોકમાં=પરલોકસંબંધી હિતમાં, આ પરાર્થ, પ્રધાન છે. તેના અભાવમાં પરાર્થના અભાવમાં, આની પણ=અભ્યદ્યત વિહારની પણ, પ્રતિપત્તિનો નિષેધ હોવાથી જ આમ નથી=અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ નથી, એ પ્રમાણે અન્યો કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : બીજા કેટલાક આચાર્ય કહે છે કે પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે, એ પ્રમાણે જે કેટલાક આચાર્ય કહે છે એ બરાબર નથી; કેમ કે અભ્યદ્યત વિહારમાં પરાર્થનો વિરહ છે અર્થાત્ અન્ય યોગ્ય જીવોને સન્માર્ગનો બોધ કરાવવો, સન્માર્ગમાં સ્થિર કરવા ઇત્યાદિ પરોપકારનો અભ્યઘત વિહારમાં અભાવ છે, માટે અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ કહી શકાય નહીં. વળી પોતાના કથનને પુષ્ટ કરવા તેઓ કહે છે કે આત્માના પરલોકસંબંધી હિતની પ્રાપ્તિમાં પરાર્થ પ્રધાન છે; કેમ કે કોઈપણ પ્રકારની આશંસા વગર કેવલ યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવવો ઇત્યાદિ કૃત્યોથી પોતાના આત્મા પર પરોપકારના ઉત્તમ સંસ્કારોનું આધાન થાય છે, અને તે સંસ્કારોને કારણે પરલોકમાં ઉત્તમ એવા યોગમાર્ગની શીધ્ર પ્રાપ્તિ થાય છે, માટે પરોપકાર પ્રધાન છે. વળી આ કથનને પુષ્ટ કરવા જ તેઓ યુક્તિ આપે છે કે શાસ્ત્રમાં પરોપકારના અભાવમાં અભ્યદ્યત વિહાર સ્વીકારવાનો નિષેધ કરેલ છે. આથી કોઈ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા હોય, પણ તેઓથી વિશેષ પરોપકાર થઈ શકે તેમ હોય, ત્યારે જો તેઓ અભ્યદ્યત વિહાર સ્વીકારે તો તેમનાથી પરોપકાર ન થાય, માટે તેવા મહાત્માને અભુદ્યત વિહાર સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. આથી અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે એમ કહી શકાય નહીં, એમ કેટલાક આચાર્યો કહે છે. I૧૫૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy