SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૬-૧પપ૦ ૨૨૫ પક્ષો=આ=અભ્યઘત વિહાર, વેરવિહીરામો વિકસ્થવિરવિહારથી પણ પદા=પ્રધાન છે, ત્તિ છું મviતિ એ પ્રમાણે કેટલાક કહે છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અત્યંત અપ્રમાદને કારણે ગર સંચમનો યોગ હોવાથી અભ્યધત વિહાર સ્થવિરવિહારથી પણ પ્રધાન છે, એ પ્રમાણે કેટલાક કહે છે. ટીકાઃ __केचन भणन्त्येषः-अभ्युद्यतविहारः गुरुसेयमयोगतः कारणात्प्रधान इति स्थविरविहारादपि सकाशात्, अत्यन्ताप्रमादाद्धेतोरिति गाथार्थः ॥१५५६॥ ટીકાર્ય : ગુરુ સંયમયોગરૂપ કારણથી આ=અભ્યદ્યત વિહાર, સ્થવિરવિહારથી પણ પ્રધાન છે; કેમ કે અત્યંત અપ્રમાદરૂપ હેતુ છે, એ પ્રમાણે કેટલાક કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક આચાર્યો કહે છે કે અસંગભાવ ઉલ્લસિત કરવા માટે અભ્યત વિહાર સ્વીકારવો જોઈએ; કેમ કે અભ્યદ્યત વિહારમાં અત્યંત અપ્રમાદભાવ છે અને તેવો અપ્રમાદભાવ સ્થવિરવિહારમાં નથી. માટે અભ્યઘત વિહારમાં સ્થવિરવિહારથી શ્રેષ્ઠ કોટિનો સંયમયોગ છે, આથી અભ્યદ્યત વિહાર પ્રધાન છે. આનાથી એ ફલિત થાય કે સ્થવિરવિહાર, નવું નવું શાસ્ત્રાધ્યયન કરીને આત્માને સંપન્ન કરવાના યત્નસ્વરૂપ છે, એટલું જ નહીં પણ, અનેક યોગ્ય જીવોને સન્માર્ગ પ્રાપ્ત કરાવવાનું કારણ છે, ભવથી વિરક્ત થયેલા જીવોને સંયમપ્રદાનનું કારણ છે, સંયમ ગ્રહણ કરીને શરણે આવેલા શિષ્યોને યોગમાર્ગમાં પ્રવર્તાવવાનું કારણ છે, યોગમાર્ગમાં પ્રવર્તતા સાધુઓને સ્થિર કરવાનું કારણ છે. આમ, સ્થવિરવિહાર સ્વ અને પરના કલ્યાણનું એક કારણ છે; છતાં અસંગભાવમાં જવા માટેનો અત્યંત અપ્રમાદ અભ્યદ્યત વિહારમાં છે, તેથી તે દૃષ્ટિએ કેટલાક આચાર્યો અભ્યદ્યત વિહારને સ્થવિરવિહાર કરતાં પણ પ્રધાન કહે છે. ૧૫૫દી ગાથા : अण्णे परत्थविरहा नेवं एसो अ इह पहाणो त्ति । एअस्स वि तदभावे पडिवत्तिणिसेहओ चेव ॥१५५७॥ અવયાર્થ : પરસ્થવિર નેવં પરાર્થનો વિરહ હોવાથી આમ નથી=પૂર્વગાથામાં કહ્યા મુજબ અભ્યઘત વિહાર વિરવિહારથી પ્રધાન છે એમ નથી. રૂદ =અને અહીં પરલોકસંબંધી હિતમાં, સો=આ પરાર્થ, પહા=પ્રધાન છે; તમારે પણ વિ પડિવત્તાફેદમો ચેવ કેમ કે તેના અભાવમાં આની પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy