SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ : સંખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૫૫-૧૫૫૬ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે સંલેખના સમાન આ અભુદ્યત વિહાર સુવિશુદ્ધ કેમ છે? તે બતાવવા કહે છે – જે કારણથી આ અભ્યદ્યત વિહાર સૂત્રમાં સાધુઓને પ્રાયઃ ચરમકાળમાં કર્તવ્ય કહેવાયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રાધ્યયનથી સંપન્ન થયા પછી સાધુઓ જીવનના ચરમકાળમાં પોતાની શક્તિ હોય તો અવશ્ય અભ્યઘત વિહાર સ્વીકારે, અને તો જ જીવનનો અંતિમકાળ સફળ થાય છે, અન્યથા જીવનનો અંતિમકાળ વિરસ અવસાનવાળો પ્રાપ્ત થાય. વળી ચરમકાળ પૂર્વે અભ્યદ્યત વિહાર ભજનાથી કર્તવ્ય કહેવાયો છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે કે અન્યદા અભ્યત વિહાર ગ્રહણ કરાય કે ન કરાય એ પ્રકારના બે વિકલ્પ છે. અહીં પ્રશ્ન થાય કે અભ્યત વિહાર તો અત્યંત અપ્રમાદવૃદ્ધિનો હેતુ છે, તોપણ ચરમકાળથી અન્ય કાળમાં તેને સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ કેમ છે ? એ પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે કે અન્ય જીવો પર ઉપકારાદિરૂપ મોટા કર્તવ્યો કરવાના હોય તો અભ્યઘત વિહાર સ્વીકારવાનો શાસ્ત્રમાં નિષેધ છે. આથી જ દશપૂર્વી આદિ પણ પરના ઉપકાર અર્થે અભ્યઘત વિહાર સ્વીકારતા નથી. આનાથી એ ફલિત થાય કે જે મહાત્મા સ્વયં શાસ્ત્રોથી સંપન્ન થયેલા હોય, પોતાના શિષ્યોને પણ ઉચિત કૃત્યોમાં સંપાદન કરેલા હોય, તેમ જ પોતાને પરોપકારાદિરૂપ કોઈ મોટા કાર્યો વિદ્યમાન ન હોય, તો તે મહાત્મા જીવનના ચરમકાળની પૂર્વે પણ અભ્યઘત વિહાર સ્વીકારે, પરંતુ જો તેવા કોઈ કાર્યો વિદ્યમાન હોય તો અભ્યદ્યત વિહાર સ્વીકારવાનું સામર્થ્ય હોય તોપણ, તેઓ ચરમકાળની પૂર્વે અભુદ્યત વિહાર સ્વીકારે નહીં; આમ છતાં સાધુ જીવનના અંતિમ કાળે જેમ સંલેખના કરે છે તેમ અભ્યદ્યત વિહાર પણ શક્તિ હોય તો અવશ્ય સ્વીકારે છે. તેથી જીવનના અંતિમ કાળે આ અભ્યદ્યત વિહાર અવશ્ય કર્તવ્ય છે એ પ્રમાણે સુવિશુદ્ધ જ્ઞાતવ્ય છે, અને એ બતાવવા અર્થે જ અભ્યઘત વિહારને સંલેખનાદ્વારમાં ગ્રહણ કરેલ છે. ll૧પપપી અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ચરમકાળથી અન્ય કાળે અમ્યુધિત વિહર સ્વીકારવામાં ભજના છે, અને તેમાં યુક્તિ આપી કે ગુરુ કાર્યાદિ હોય તો અભ્યઘત વિહાર સ્વીકારવાનો નિષેધ છે. તેથી ફલિત થાય કે અભ્યત વિહારથી પણ સ્થવિરવિહાર મહાન છે, તેના વિષયમાં અન્ય આચાર્યોનો મત બતાવે છે – ગાથા : केई भणंति एसो गुरुसंजमजोगओ पहाणो त्ति । थेरविहाराओ वि हु अच्चंतं अप्पमायाओ ॥१५५६॥ અન્વયાર્થ : મચંતિં મધ્યમાચારો અત્યંત અપ્રમાદને કારણે ગુરુસંગમનો =ગુરુ સંયમનો યોગ હોવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy