SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૮-૧૫૪૯ ૨૧. ભાવાર્થ : જે યથાસંદિકો પાછળથી જિનકલ્પને સ્વીકારવાના છે તેઓ જિનકલ્પિજ્યથાસંદિક કહેવાય છે, અને તેઓને યથાલંદ સ્વીકાર્યા પછી જો અર્થશેષ ગ્રહણ કરવાના બાકી હોય અને અર્થશેષના ગ્રહણકાળમાં તેઓને અર્થગ્રહણમાં વ્યાઘાત કરે તેવો રોગ થયો હોય તો, તેઓ તે રોગની ચિકિત્સા કરાવતા હોવા જોઈએ. તેથી અહીં કહેલ છે કે ગૃહીત અર્થશેષ હોતે છતે આતંક ઉત્પન્ન થવા છતાં પણ તેઓ ચિકિત્સા કરાવતા નથી. વળી જેમણે સર્વ અર્થ ગ્રહણ કર્યા પછી યથાલંદ સ્વીકારેલ છે તેવા જિનકલ્પિકયથાસંદિકો યથાસંદિકકાળમાં જ રોગ ઉત્પન્ન થવા છતાં પણ ચિકિત્સા કરાવતા નથી; કેમ કે યથાલંદ કલ્પની તે પ્રકારની મર્યાદા છે. આથી જ શરીરના સર્વ પ્રતિકર્મોથી રહિત એવા તે ભગવાન આંખના મેલને પણ દૂર કરતા નથી. માટે અર્થથી ફલિત થાય કે તેઓ શરીરના કોઈ કૃત્યો કરતા નથી, ફક્ત દેહને ટકાવવા માટે આહાર-વિહારનિહારની પ્રવૃત્તિ કરે છે. તેથી પગમાં કાંટા લાગે કે અન્ય કોઈ રીતે શરીરની વિષમ સ્થિતિ થાય, તોપણ તેઓ તે સ્થિતિને દૂર કરવા પ્રયત્ન કરતા નથી, કેમ કે તેઓમાં અસંગભાવનો પ્રકર્ષ કરવા માટે અપ્રમાદનો અતિશય વર્તે છે. ૧૫૪૮ અવતરણિકાઃ પૂર્વગાથામાં જિનકલ્પિકયથાસંદિકોનું જિનકલ્પિકોથી સૂત્રવિષયક નાનાત્વ બતાવતાં અર્થગ્રહણકાળને આશ્રયીને જિનકલ્પિકોથી નિષ્પતિકર્મવિષયક પણ નાનાત્વ બતાવ્યું, હવે સ્થવિરકલ્પિકયથાસંદિકોનું જિનકલ્પિકથાસંદિકોથી નિષ્પતિકર્મવિષયક નાનાત્વ બતાવે છે – ગાથા : थेराणं णाणत्तं अतरंतं अप्पिणंति गच्छस्स । ते वि अ से फासुएणं करिति सव्वं तु परिकम्मं ॥१५४९॥ અન્વયાર્થ : થેરાપf TUત્ત=સ્થવિરોનું નાનાત્વ છે સ્થવિરકલ્પિકાથાનંદિકોનું જિનકલ્પિકયથાસંદિકોથી જુદાપણું છે – સતત છ સ્થિતિ અતરંતને ગચ્છને અર્પે છે=રોગને સહન કરવા માટે અસમર્થ એવા વિરકલ્પિકયથાલદિકને તેમના સહવર્તી યથાસંદિકો ગચ્છને સોંપે છે; તે વિક્ર=અને તેઓ પણ=ગચ્છવાસી સાધુઓ પણ, પશુપv=પ્રાસુક એવા અન્નાદિ વડે જે તેના=તે રોગવાળા સ્થવિરકલ્પિકયથાલદિકના, સä તુ પરિમાં રિતિ=સર્વ જ પરિકર્મને કરે છે. ગાથાર્થ: સ્થવિરચવાલંદિકોનું જિનયથાલંદિકોથી જુદાપણું છે – રોગને સહન કરવા માટે અસમર્થ એવા વિરસથાનંદિકને તેમના સહવર્તી ચણાનંદિકો ગચ્છને સોંપે છે અને ગચ્છવાસી સાધુઓ પણ પ્રાસુક એવા અન્નાદિ વડે તે રોગી સ્થવિરસથાલંકિના સર્વ જ પરિકર્મને કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy