SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ સલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા/ ગાથા ૧૫૪૦-૧૫૪૦, ૧૫૪૮ તે વસતિમાં રહેલા અપરિભોગ સ્થાનમાં અર્થાત્ તેવા પ્રકારના લોકોથી રહિત સ્થાનમાં જઈને તે યથાસંદિકોને અર્થશેષ આપે છે; તેમ જ તે આચાર્ય સાથે રહેલા સાધુઓ તે યથાસંદિકોને વંદન કરે છે, પરંતુ તે આચાર્ય સાથે આવેલા પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા સાધુઓને યથાસંદિકો વંદન કરતા નથી; કેમ કે યથાલંદ કલ્પની તે પ્રકારની મર્યાદા છે. આ રીતે જયાં સુધી અર્થશેષ ગ્રહણ કરવાનું પ્રયોજન હોય ત્યાં સુધી યથાસંદિકો ગચ્છ સાથે પ્રતિબંધવાળા થઈને આચાર્ય પાસે અર્થશેષ ગ્રહણ કરે છે અને અર્થશેષ ગ્રહણ થઈ જાય ત્યારપછી તેઓ ગચ્છ સાથે અપ્રતિબંધવાળા થઈને પોતાના કલ્પનું પાલન કરતા પોતાના યથાલંદના કલ્પને અનુસાર વિચરે છે. ૧૫૪૬/૧૫૪૭ ગાથા : जिणकप्पिआ य तहिअं किंचि तिगिच्छं तु ते न कारिंति । णिप्पडिकम्मसरीरा अवि अच्छिमलं पि णऽवणिति ॥१५४८॥ અન્વયાર્થ: નિgિ ય તે અને જિનકલ્પિક એવા તેઓ યથાસંદિકો, તદિડાં ત્યારે=અર્થશેષ ગ્રહણ કર્યા પછી, વિદિ તિષ્ઠિ ઋરિંતિ કોઈ ચિકિત્સાને કરાવતા નથી, ઉપપ્પરિમા છમ7 પિ માં અવતિ નિષ્પતિકર્મશરીરવાળા અશ્વિના મલને પણ દૂર કરતા નથી. * પ્રસ્તુત ગાથામાં રહેલ “તુ' અને “મવ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને જિનકકિયથાલંદિકો અર્થશેષ ગ્રહણ કર્યા પછી કોઈ ચિકિત્સાને કરાવતા નથી, નિપ્રતિકર્મશરીરવાળા આંખના મલને પણ દૂર કરતા નથી. ટીકાઃ जिनकल्पिकाश्च यथालन्दिकाः तदा गृहीतार्थशेषे यथालन्दिककाल एवान्ये काञ्चिच्चिकित्सा समुत्पन्नेऽप्यातंके ते न कारयन्ति, तथाकल्पस्थितेः, निष्प्रतिकर्मशरीरास्ते भगवन्तः अप्यक्षिमलमपि नापनयन्ति, अप्रमादातिशयादिति गाथार्थः ॥१५४८॥ ટીકાર્ય : અને જિનકલ્પિક એવા તેઓ= યથાસંદિકો, ત્યારે=ગ્રહણ કરેલ અર્થશેષ હોતે છતે, અને અન્યો=જેઓએ સંપૂર્ણ અર્થ ગ્રહણ કરીને યથાલંદ સ્વીકારેલ છે તેવા જિનકલ્પિકથાસંદિકો, યથાર્લાદિકના કાળમાં જ આતંક ઉત્પન્ન થયે છતે પણ કોઈ ચિકિત્સાને કરાવતા નથી, કેમ કે તે પ્રકારની કલ્પની સ્થિતિ છે= યથાલંદ કલ્પની તે પ્રકારની મર્યાદા છે. નિષ્પતિકર્મ શરીરવાળા તે ભગવંતો આંખના મલને પણ દૂર કરતા નથી, કેમ કે અપ્રમાદનો અતિશય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy