SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મર્યાદા / ગાથા ૧૫૪૦-૧૫૪૦ ૨૧૫ પોતાનાથી અધિક સંયમપર્યાયવાળા સાધુઓને વંદતા નથી. તે પિતું–તેને ગ્રહણ કરીને=આ રીતે આચાર્ય પાસે અર્થશેષને ગ્રહણ કરીને, સપરિવા=અપ્રતિબદ્ધ એવા યથાસંદિકો તો ત્યારપછી દિચ્છા વિદતિ યથેચ્છાથી વિહરે છે. ગાથાર્થ : અને તે અન્ય વસતિમાં અપરિભોગ સ્થાનમાં આચાર્યની સાથે રહેલા સાધુઓ યથાર્લાદિકને વંદે છે, પરંતુ યથાર્લાદિક પોતાનાથી અધિક સંચમપચવાળા સાધુઓને વંદતા નથી. આ રીતે આચાર્ય પાસે અર્થશેષને ગ્રહણ કરીને અપ્રતિબદ્ધ એવા યથાસંદિકો ત્યારપછી યથેચ્છાથી વિહરે છે. ટીકા : तस्यां च वसतौ अपरिभोगे स्थाने ते साधवो वन्दन्ते तं यथालन्दिकं, न वन्दते स तु तान् साधून्, तथाकल्पस्थितेः, एवं तद् गृहीत्वाऽर्थशेषमप्रतिबद्धा यथालन्दिकाः ततो यथेच्छया-स्वकल्पानुरूपं विहरन्ति तमेव पालयन्त इति गाथार्थः ॥१५४७॥ ટીકાર્ય : અને તે વસતિમાં અપરિભોગ સ્થાનમાં તે સાધુઓ તે યથાલદિકને વંદે છે, પરંતુ તે યથાસંદિક, તે સાધુઓને વંદતા નથી; કેમ કે તે પ્રકારની કલ્પની સ્થિતિ છે યથાસંદિકોના આચારની તે પ્રકારની મર્યાદા છે. આ રીતે તેને=અર્થશેષને, ગ્રહણ કરીને અપ્રતિબદ્ધ એવા યથાસંદિકો ત્યારપછી તેને જ પાલતા એવા= યથાલંદનું જ પાલન કરતા એવા, યથેચ્છાથી પોતાના કલ્પને અનુરૂપ, વિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૫૪૫માં કહ્યું કે આચાર્ય યથાસંદિકો પાસે જઈને તેઓને અર્થશેષ આપે છે. હવે આચાર્ય યથાસંદિકો રહ્યા છે ત્યાં સુધી જવા સમર્થ ન હોય તો યથાસંદિકો અર્થશેષ ગ્રહણ કરવા શું કરે ? તે બતાવે છે – આચાર્ય જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રથી અઢી ગાઉ દૂર રહેલી અંતરપલ્લિમાં યથાસંદિકો આવે છે અને ત્યાં જઈને આચાર્ય તેઓને અર્થશેષ આપે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આચાર્ય તેટલે સુધી જવા સમર્થ છે, તેનાથી અધિક જવા સમર્થ નથી, માટે જ તેઓ અંતરપલ્લિ સુધી આવે છે અને યથાસંદિકો પણ ત્યાં આવીને આચાર્ય પાસે અર્થશેષ ગ્રહણ કરે છે. વળી આચાર્ય તેટલે સુધી જવા પણ સમર્થ ન હોય તો યથાસંદિકો આચાર્યના ક્ષેત્રથી બે ગાઉ દૂર રહેલા પ્રતિવૃષભગામમાં આવે છે, અને ત્યાં જઈને આચાર્ય તેઓને અર્થશેષ આપે છે. વળી આચાર્ય ત્યાં સુધી પણ જવા સમર્થ ન હોય તો યથાલદિક આચાર્યના ક્ષેત્રની બહાર સુધી આવે છે અને ત્યાં જઈને આચાર્ય તેઓને અર્થશેષ આપે છે. વળી આચાર્ય પોતાના ક્ષેત્રથી બહાર સુધી પણ જવા સમર્થ ન હોય તો, અર્થશેષ ગ્રહણ કરવા માટે યથાલંદિકો આચાર્યના ક્ષેત્રમાં જ આચાર્ય રહ્યા છે તે વસતિથી અન્ય વસતિમાં આવે છે અને આચાર્ય પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy