SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદિi/ ગાથા ૧૫૩૪-૧૫૩૫ ૧૯૯ ટીકા : स्थितकल्पे च नियमादेते भवन्ति, नास्थितकल्पे, एवमेव च भवन्ति द्विविधलिङ्गेऽपि नियमादेव, लेश्याध्याने द्वे अपि भवतः अमीषां जिनकल्पतुल्ये एव प्रतिपद्यमानादिभेदेनेति गाथार्थः ॥१५३४॥ ટીકાર્ય : અને આ=શુદ્ધપરિહારિકો, નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, અસ્થિતકલ્પમાં નહીં. અને એ રીતે જ= શુદ્ધપરિહારિકો જે રીતે નિયમથી સ્થિતકલ્પમાં હોય છે એ રીતે જ, દ્વિવિધ લિંગમાં પણ દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના લિંગમાં પણ, નિયમથી જ હોય છે. આમના=શુદ્ધપરિહારિકોના, વેશ્યા અને ધ્યાન બે પણ પ્રતિપદ્યમાનાદિના ભેદથી જિનકલ્પની તુલ્ય જ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શુદ્ધપરિહારિકો નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, અસ્થિતકલ્પમાં નહીં. એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે મધ્યમના બાવીશ તીર્થકરોના કાળમાં શુદ્ધપરિહારિકો હોતા નથી, કેમ કે મધ્યમના બાવીશ તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને અસ્થિતકલ્પ હોય છે અને પહેલા-છેલ્લા તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને સ્થિતકલ્પ હોય છે, તેથી નક્કી થયું કે પહેલા-છેલ્લા તીર્થકરોના કાળમાં જ શુદ્ધપરિહારિકા થાય છે. વળી જે રીતે શુદ્ધપરિહારિકો નિયમથી સ્થિતકલ્પમાં થાય છે, એ રીતે જ તેઓ નિયમથી દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના લિંગમાં પણ હોય છે, અર્થાત્ જેમ જિનકલ્પ સ્વીકાર્યા પછી દ્રવ્યલિંગનું અપહરણ થયું હોય તો જિનકલ્પિકો માત્ર ભાવલિંગમાં જ હોય છે, તેમ શુદ્ધપરિહારિકો માત્ર ભાવલિંગમાં જ હોતા નથી, પરંતુ નિયમથી તેઓ દ્રવ્ય અને ભાવ બંને પણ લિંગમાં હોય છે. વળી શુદ્ધપરિહારિકોની લેશ્યા અને ધ્યાન પ્રતિપદ્યમાનાદિના ભેદથી જિનકલ્પિકોની તુલ્ય જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ જિનકલ્પિકો જિનકલ્પ સ્વીકારતી વખતે શુભ લેગ્યામાં અને ધર્મધ્યાનમાં જ હોય છે અને જિનકલ્પ સ્વીકાર્યા પછી છયેમાંથી કોઈપણ લેશ્યામાં અને ચારેયમાંથી કોઈપણ ધ્યાનમાં હોઈ શકે છે, તેમ શુદ્ધપરિહારિકો શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે શુભ લેશ્યામાં અને ધર્મધ્યાનમાં જ હોય છે અને શુદ્ધપરિહાર સ્વીકાર્યા પછી છયેમાંથી કોઈપણ લેશ્યામાં અને ચારેયમાંથી કોઈપણ ધ્યાનમાં હોઈ શકે છે. ૧૫૩૪ll અવતરણિકા: શુદ્ધપરિહારિકોના ગણના દ્વારનું વર્ણન કરે છે, તેમાં પ્રથમ ગાથા ૧૫૩૫-૧૫૩૬માં ગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે તેને આશ્રયીને શુદ્ધપરિહારિકોની સંખ્યાનું પ્રમાણ બતાવે છે – ગાથા : गणओ तिण्णेव गणा जहण्णपडिवत्ति सयस उक्कोसा । उक्कोसजहणणेणं सयसो च्चिअ पुव्वपडिवण्णा ॥१५३५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy