SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મયદા/ ગાથા ૧૫૩૩-૧૫૩૪ વળી પૂર્વપ્રતિપન્ન એવા શુદ્ધપરિહારિકો પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય પણ અધિકતર સંયમસ્થાનોમાં વર્તી શકે. આનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જેઓએ શુદ્ધપરિહાર કલ્પ પૂરો કર્યો હોય તેવા સામાયિક ચારિત્રવાળા કે છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ, સંયમના અધ્યવસાયવિશેષથી પરિહારવિશુદ્ધિના સંયમસ્થાનોમાં પણ વર્તતા હોય અથવા તેનાથી ઉપરનાં સંયમસ્થાનોમાં પણ વર્તતા હોય; અને તેઓ જ્યારે પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તતા હોય, ત્યારે તેઓને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કહેવાય નહીં, તોપણ અતીતનયને આશ્રયીને તે સાધુઓ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કહેવાય છે, પરંતુ નિશ્ચયનયથી તેઓ સામાયિક ચારિત્રવાળા કે છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા કહેવાય છે, કેમ કે તેઓ પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનોથી ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તે છે, જે સંયમસ્થાનો પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુને સંભવતાં નથી, માટે નિશ્ચયનય તેઓને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા કહે નહીં. આ કથનથી એ અર્થ પ્રાપ્ત થાય કે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ પરિહારવિશુદ્ધિનો ૧૮ મહિનાનો તપ પૂરો કર્યા પછી પરિહારવિશુદ્ધિનાં કે તેનાથી ઉપરનાં સંયમસ્થાનોમાં વર્તતા હોવા જોઈએ, પરંતુ પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી નીચેનાં સંયમસ્થાનોમાં વર્તતા નથી. આથી જ ટીકામાં કહ્યું કે અધ્યવસાયવિશેષથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય અધિકતર સંયમસ્થાનોમાં પણ વર્તતા એવા પૂર્વપ્રતિપન્ન સાધુ પરિહારવિશુદ્ધિક કહેવાય છે. તેથી અર્થથી જણાય છે કે પૂર્વપ્રતિપન્ન એવા પરિહારવિશુદ્ધિક સાધુ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનોમાં વર્તતા નથી. ||૧પ૩૩. અવતરણિકાઃ ગાથા ૧૫૨૮-૧૫૨૯માં શુદ્ધપરિહારિકોની સ્થિતિનાં ક્ષેત્રાદિ દ્વારો બતાવેલ, તેમાંથી ક્ષેત્ર-કાળ-ચારિત્ર દ્વારનું ક્રમસર વર્ણન કર્યું, ત્યારપછી તીર્થ-પર્યાય-આગમ-વેદઃ આ ચાર તારો જિનકલ્પિકોની તુલ્ય હોવાથી તેને છોડીને હવે કલ્પ-લિંગ-લેશ્યા-ધ્યાનદ્વારનું વર્ણન કરે છે – ગાથા : ठिअकप्पम्मी णिअमा एमेव य होइ दुविहलिंगे वि । लेसाझाणा दोण्णि वि हवंति जिणकंप्पतुल्ला उ ॥१५३४॥ અન્વયાર્થ : (શુદ્ધપરિહારિકો) fજમાં ૩િMી નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, મેવ ચ અને એ રીતે જ વિત્તિ વિ=દ્વિવિધ લિંગમાં પણ દોડું હોય છે. નૈસાII રોuિr વિ નિપ્પલુચ્છા સહવંતિ=લેશ્યાધ્યાન બંને પણ જિનકલ્પની તુલ્ય જ હોય છે. ગાથાર્થ : શુદ્ધપરિહારિકો નિયમથી સ્થિતકલ્પમાં હોય છે, અને એ રીતે જ બે પ્રકારના લિંગમાં પણ હોય છે. લેશ્યા-ધ્યાન બંને પણ જિનકલ્પની તુલ્ય જ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy