SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૩ ૧૯૦. ગાથાર્થ : પરિહારવિશુદ્ધિકલ્પનો નિચમથી પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોમાં રવીકાર થાય છે. પૂર્વમાં પરિહારવિશુદ્ધિકલ્પ સ્વીકારેલ સાધુ પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોથી અધિકતર સંચમસ્થાનોમાં પણ હોય. પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોથી અન્ય સંચમસ્થાનોમાં પણ વર્તતા એવા સાધુ વ્યવહારનયને સ્વીકારીને પરિહારવિશુદ્ધિક કહેવાય છે. ટીકાઃ स्वस्थान इति नियोगतः स्वस्थानेषु प्रतिपत्तिः कल्पस्य, अन्येष्वपि-संयमस्थानेष्वधिकतरेषु भवेत् पूर्वप्रतिपन्नः, अध्यवसायविशेषात् तेष्वपि वर्तमानः संयमस्थानान्तरेष्वपि सः परिहारविशुद्धिक इत्यतीतनयं प्राप्योच्यते, एवं निश्चयतस्तु न, संयमस्थानान्तराध्यासनादिति गाथार्थः ॥१५३३॥ * “તે વિ'માં 'થી એ દર્શાવવું છે કે પરિહારવિશુદ્ધિ ચારિત્ર પૂર્વે સ્વીકારેલ હોય તેવા સાધુ, પરિહારવિશુદ્ધિનાં સંચમસ્થાનોમાં વર્તતા હોય ત્યારે તો “પરિહારવિશુદ્ધિક' કહેવાય છે, પરંતુ તેઓમાં પણ પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય એવાં અધિકતર સંયમસ્થાનોમાં પણ, વર્તતા હોવા છતાં ‘પરિહારવિશુદ્ધિક' કહેવાય છે. ટીકાર્થ: કલ્પની સ્વસ્થાનમાં નિયોગથી સ્વસ્થાનોમાં, પ્રતિપત્તિ થાય છે અર્થાત્ પરિહારવિશુદ્ધિ કલ્પનો નિયમથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોમાં સ્વીકાર થાય છે. પૂર્વપ્રતિપન્ન=પૂર્વમાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારેલ અને વર્તમાનમાં ફરી સ્થવિરકલ્પ સ્વીકારેલ છે તેવા સામાયિક ચારિત્રવાળા કે છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુ, અન્યોમાં પણ=અધિકતર સંયમસ્થાનોમાં પણ=પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અધિકાર સંયમસ્થાનોમાં પણ, હોય. અધ્યવસાયવિશેષથી=પરિહારવિશુદ્ધિ કલ્પ સ્વીકારતી વખતે જેવા વિશુદ્ધ અધ્યવસાય હોય તેના કરતાં વિશેષ પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી, તેઓમાં પણ=સંયમસ્થાનાંતરોમાં પણ=પરિહારવિશુદ્ધિનાં જે સંયમસ્થાનો છે તેનાથી અન્ય એવાં અધિકતર સંયમસ્થાનોમાં પણ, વર્તતા એવા તે પૂર્વમાં શુદ્ધપરિહારને સ્વીકારેલ હતું એવા સાધુ, અતીતનયને પામીને=ભૂતકાળને વર્તમાનરૂપે સ્વીકારવામાં તત્પર એવા વ્યવહારનયને આશ્રયીને, “પરિહારવિશુદ્ધિક છે=શુદ્ધપરિહાર ચારિત્રવાળા છે,’ એ પ્રમાણે કહેવાય છે. વળી નિશ્ચયથી આ પ્રમાણે નથી=પૂર્વમાં જેમણે પરિહારવિશુદ્ધિ કલ્પ સ્વીકારેલ હતો તે સાધુ નિશ્ચયનયને આશ્રયીને પરિહારવિશુદ્ધિક છે એ પ્રમાણે કહેવાતા નથી, કેમ કે સંયમસ્થાનાંતરોનું અધ્યાસન છે–તે સાધુનું પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનો કરતાં ઉપરનાં સંયમસ્થાનોનું આશ્રયણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પરિહારવિશુદ્ધિ કલ્પ સ્વીકારતી વખતે સાધુમાં નિયમથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનો વર્તતા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પરિહારવિશુદ્ધિ કલ્પના ૧૮ મહિનાના કાળ દરમિયાન શુદ્ધપરિહારિકો અવશ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનોમાં વર્તતા હોય છે, તેનાથી નીચેનાં કે ઉપરનાં સંયમસ્થાનોમાં તેઓ વર્તતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy