SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ક (૩ી સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૧-૧૫૩૨, ૧૫૩૩ ત્રણેય ચારિત્રનાં સંચમસ્થાનોનું કંઈક સ્પષ્ટીકરણ • સામાયિક ચારિત્રનાં સંયમસ્થાનો -- (૧), (૨), (૩), (૪), છેદોપસ્થાપ્ય ચારિત્રનાં સંયમસ્થાનો – (૧), (૨), (૩), (૪), પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો – (I) સામાયિક-છેડોસ્થાપ્ય એ બંને ચારિત્રનાં ઉપર-ઉપરમાં વિશુદ્ધ એવાં જઘન્ય સંયમસ્થાનો પરસ્પર સ્વસંખ્યાથી સમાન છે, જે (૧) નંબરમાં બતાવેલ છે. (I) સામાયિક-છેદોપસ્થાપ્ય એ બંને ચારિત્રનાં ઉપર-ઉપરમાં વિશુદ્ધ એવાં જઘન્ય સંયમસ્થાનોથી ઉપર અસંખ્ય ૧૪ રાજલોકોના આકાશપ્રદેશો જેટલાં પરસ્પર સમાન સંયમસ્થાનો છે, જે સંયમસ્થાનો પરિહારવિશુદ્ધિ ચારિત્રના સંયમસ્થાનોથી ન્યૂન વિશુદ્ધિવાળાં છે અને સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનોથી અધિક વિશુદ્ધિવાળાં છે, જે (૨) નંબરમાં બતાવેલ છે. (III) નંબર (૧) અને (૨)માં બતાવેલાં સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં સંયમસ્થાનો કરતાં વિશુદ્ધ એવાં પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં અસંખ્ય ૧૪ રાજલોકોના આકાશપ્રદેશો જેટલાં સંયમસ્થાનો છે, જે સંયમસ્થાનો અધ્યવસાયની શુદ્ધિવિશેષથી સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓને પણ પ્રાપ્ત થઈ શકે છે, અને તે (૩) નંબરમાં બતાવેલ છે. (IV) પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં ઉત્કૃષ્ટ સંયમસ્થાનોથી પણ ઉપરનાં સંયમસ્થાનો અસંખ્ય છે, જેને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ અધ્યવસાયની શુદ્ધિવિશેષથી સામાયિકછેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ પ્રાપ્ત કરી શકે છે, જે નંબર (૪)માં બતાવેલ છે. ૧૫૩૧/૧૫૩૨ ગાથા : सट्ठाणे पडिवत्ती अण्णेसु वि होज्ज पुव्वपडिवन्नो । तेसु वि वढंतो सो तीअणयं पप्प वुच्चइ उ ॥१५३३॥ અન્વયાર્થ: સટ્ટાને પવિત્તી સ્વસ્થાનમાં પ્રતિપત્તિ થાય છે–પરિહારવિશુદ્ધિકલ્પનો નિયમથી પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોમાં સ્વીકાર થાય છે. પુત્રપવિત્ર માનુ વિ હોm=પૂર્વપ્રતિપન્ન અન્યોમાં પણ હોય-પૂર્વમાં પરિહારવિશુદ્ધિકલ્પ સ્વીકારેલ સાધુ પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અધિકતર સંયમસ્થાનોમાં પણ હોય. તેસુ વિ વછંતો તો તેઓમાં પણ વર્તતા એવા તે પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનોથી અન્ય સંયમસ્થાનોમાં પણ વર્તતા એવા સાધુ, તીર્થ પપ્પ વુષ્યફુ=અતીતનયને પામીને કહેવાય છે=વ્યવહારનયને સ્વીકારીને પરિહારવિશુદ્ધિક કહેવાય છે. » ‘=' પાદપૂર્તિમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy