SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની મર્યાદા / ગાથા ૧૫૩૧-૧૫૩૨ ટીકાર્ય : તેઓ પણ=પરિહારિકનાં સંયમસ્થાનો પણ, અસંખ્ય લોક છે–પ્રદેશસ્થાનોની વૃદ્ધિથી આટલાં છે=અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ છે, અને તેઓ-પરિહારિકનાં સંયમસ્થાનો, પ્રથમ-દ્વિતીયને-સામાયિકછેદોપસ્થાપ્ય ચારિત્રને, અવિરુદ્ધ જ છે. અહીં પ્રશ્ન થાય કે શુદ્ધપરિહાર ચારિત્રનાં સંયમસ્યાનો સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રના અવિરુદ્ધ કઈ રીતે છે? તેથી કહે છે – સામાયિક-છેદોપસ્થાપ્યનાં સંયમસ્થાનોની શુદ્ધિવિશેષને કારણે પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો સામાયિક-છેદો પસ્થાપ્ય ચારિત્રને અવિરુદ્ધ છે. તેનાથી પરિહારિકનાં સંયમસ્થાનોથી, ઉપરમાં પણ, શુદ્ધિવિશેષથી બંનેનાં પણ=સામાયિક-છેદોપસ્થાપ્યનાં પણ, અસંખ્ય સંયમસ્થાનો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનો સંખ્યાથી સમાન છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાયિક ચારિત્રના જઘન્ય સંયમસ્થાનો જેટલાં છે તેટલાં જ સંયમસ્થાનો છેદોપસ્થાપ્ય ચારિત્રનાં પણ છે. વળી તે જઘન્ય સંયમસ્થાનોથી અસંખ્ય લોકના આકાશપ્રદેશો જેટલાં સંયમસ્થાનો ઉપર ગયા પછી પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો શરૂ થાય છે, જે પરિહારવિશુદ્ધિનાં સંયમસ્થાનો ઉત્તરોત્તર વિશુદ્ધિની અપેક્ષાએ અસંખ્ય લોકના આકાશપ્રદેશો પ્રમાણ છે, જેઓ સામાયિક ચારિત્રવાળા અને છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓને પણ પ્રાપ્ત થઈ શકે છે, અને પરિહારવિશુદ્ધિ ચારિત્રનાં સંયમસ્થાનો સમાપ્ત થાય ત્યારપછી પણ અસંખ્ય સંયમસ્થાનો સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓને હોય છે. આનાથી એ ફલિત થાય કે સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ સમભાવના પરિણામમાં રહેલા હોય છે; અને તેઓનો સમભાવનો પરિણામ અપકર્ષવાળો હોય ત્યારે તેઓ સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રનાં જઘન્ય સંયમસ્થાનોમાં વર્તે છે અને જેમ જેમ સમભાવનો પરિણામ ઉત્કર્ષવાળો થતો જાય તેમ તેમ તેઓ ઉપર-ઉપરનાં સંયમસ્થાનોને સ્પર્શે છે, જ્યારે તેઓનો સમભાવનો પરિણામ ઘણો ઉત્કર્ષવાળો થાય ત્યારે તેઓ, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ જે સંયમસ્થાનોમાં હોય છે તે સંયમસ્થાનોને સ્પર્શી છે, અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓનું સર્વોત્કૃષ્ટ સંયમસ્થાન પૂરું થાય, ત્યારપછીનાં પણ સંયમસ્થાનોમાં સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ હોઈ શકે છે, કેમ કે સામાયિક-છેદોપસ્થાપ્ય ચારિત્રવાળા સાધુઓ જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ એવા કેવલજ્ઞાન સુધીનાં સર્વ સંયમસ્થાનોને પ્રાપ્ત કરી શકે છે, જયારે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ પરિહારવિશુદ્ધિના ઉપરનાં સંયમસ્થાનોને પ્રાપ્ત કર્યા પછી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવે તેવાં ઉત્કૃષ્ટ સંયમસ્થાનોને પ્રાપ્ત કરી શકતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy