SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અધત વિહાર / શુદ્ધપરિહારિકની સામાચારી | ગાથા ૧૫૨૬-૧૫૨૦ શુદ્ધપરિહાર કલ્પને સ્વીકારે છે, અથવા કેટલાક સાધુઓ ફરી પોતાના ગચ્છમાં જાય છે. આ રીતે શુદ્ધપરિહારિકોનાં ત્રણ સ્થાનો પ્રાપ્ત થાય. તેથી પૂર્વગાથામાં શુદ્ધપરિહારિકોના ઇત્વરિક અને યાવત્કથિક : એમ બે ભેદ બતાવેલ, તેની સંગતિ થાય છે. ૧૫૨૬॥ ૧૯૦ ગાથા : અન્વયાર્થઃ इत्तिरिआणुवसग्गा आयंका वेयणा य ण भवंति । आवकहिआण भइआ तहेव छग्गामभागा उ ॥ १५२७ ॥ કૃત્તિરિઞાળ=ઇત્વરિકોને વસા આવંજા વેયા ય ા મવંતિ=ઉપસર્ગો, આતંકો અને વેદનાઓ થતાં નથી. આવહિયાળ મ=યાવત્કથિકોને ભાજ્ય છે. તદેવ –વળી તે રીતે જ=જે રીતે જિનકલ્પિકોને હોય છે તે રીતે જ, (શુદ્ધપરિહારિકોને) છામમા=છ ગામના ભાગો હોય છે. ગાથાર્થ: ઇત્વરિકોને ઉપસર્ગો, આતંકો અને વેદનાઓ થતાં નથી. યાવત્કથિકોને ભાજ્ય છે. વળી જે રીતે જિનકલ્પિકોને હોય છે તે રીતે જ શુદ્ધપરિહારિકોને છ ગામના ભાગો હોય છે. ટીકા इत्वराणां शुद्धपरिहारिकाणां उपसर्गा आतङ्का वेदनाश्च न भवन्ति, तत्कल्पप्रभावाद्, जीतमेतत्, यावत्कथिकानां भाज्या उपसर्गादयः, जिनकल्पस्थितानां सम्भवात्, तथैव षड्ग्रामभागास्त्वमीषां यथा जिनकल्पिकानामिति गाथार्थः ॥ १५२७॥ ટીકા ઇત્વર એવા શુદ્ધપરિહારિકોને ઉપસર્ગો, આતંકો અને વેદનાઓ થતાં નથી; કેમ કે તે કલ્પનો પ્રભાવ છે=શુદ્ધપરિહારકલ્પનો પ્રભાવ છે. આ જીત છે=શુદ્ધપરિહારસંયમવાળાને ઉપસર્ગાદિ થતાં નથી એ મર્યાદા છે. યાવત્કથિકોને ઉપસર્ગાદિ ભાજ્ય છે=થાય પણ ન પણ થાય એ પ્રકારે વિકલ્પ કરવા યોગ્ય છે; કેમ કે જિનકલ્પમાં સ્થિતોને સંભવ છે–યાવત્કથિક શુદ્ધપરિહારિક સાધુઓ જ્યારે જિનકલ્પમાં રહેલા હોય ત્યારે તેઓને ઉપસર્ગાદિ થવાનો સંભવ છે. વળી જે રીતે જિનકલ્પિકોને હોય છે તે રીતે જ આમને-શુદ્ધપરિહારિકોને, છ ગામના ભાગો હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શુદ્ધપરિહારિક સાધુઓને શુદ્ધપરિહારકલ્પ સમાપ્ત થાય ત્યાં સુધી ઉપસર્ગો આવતા નથી કે આતંકો થતા નથી અર્થાત્ સઘોઘાતી એવા જ્વરાદિ રોગો થતા નથી કે જ્વરવિપાકાદિ વેદનાઓ થતી નથી, શુદ્ધપરિહારકલ્પના પ્રભાવથી તેઓ કોઈ ઉપદ્રવ વગર પરિહારવિશુદ્ધિચારિત્રનું પાલન કરે છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy