SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી / ગાથા ૧૫૨૪-૧૫૨૫ થાય છે, બીજા ચાર સાધુઓ અનુપરિહારિક થાય છે અને એક સાધુ કલ્પસ્થિત થાય છે અર્થાત્ વાચનાચાર્ય બને છે, અને તે રીતે તેઓ શુદ્ધપરિહારનું છ મહિના સુધી સેવન કરે છે, ત્યારપછી તે નવમાંથી જે ચાર સાધુઓ પરિહારિક હતા તેઓ અનુપરિહારિક થાય છે, અને જે ચાર સાધુઓ અનુપરિહારિક હતા તેઓ પરિહારિક થાય છે, તેમ જ જે સાધુ કલ્પસ્થિત હતા તે ફરી કલ્પસ્થિત રહે છે, અને તે રીતે તેઓ શુદ્ધ પરિહારની બીજા છ મહિના સુધી આચરણ કરે છે; ત્યારપછી નવમાંથી જે સાધુ કલ્પસ્થિત હતા તેઓ પરિહારિક થાય છે અને બાકીના આઠમાંથી યોગ્યતા અનુસાર કોઈ એક સાધુ કલ્પસ્થિત થાય છે અને બાકીના સાધુઓ અનુપરિહારિક થાય છે, અને તે રીતે તેઓ ત્રીજા છ મહિના સુધી શુદ્ધપરિહારનું પાલન કરે છે. આમ, કુલ અઢાર મહિના સુધી તેઓ શુદ્ધપરિહારનો આચાર પાળે છે અને અઢાર મહિને પરિહારવિશુદ્ધસંયમ સમાપ્ત થાય છે. વળી ત્યારપછી તે નવ શુદ્ધપરિહારિક સાધુઓમાંથી કેટલાક જિનકલ્પને સ્વીકારે છે, કેટલાક ફરી શુદ્ધપરિહારને સ્વીકારે છે, તો કેટલાક ગચ્છમાં પાછા પણ જાય છે. તે વખતે જિનકલ્પ સ્વીકારવાને કારણે કે ફરી સ્થવિરકલ્પ સ્વીકારવાને કારણે જેઓ શુદ્ધપરિહારમાંથી નીકળે અને તેના સ્થાને નવા સાધુ આ શુદ્ધપરિહારમાં પ્રવેશે, તો એકના નિર્ગમનથી અપરનો પ્રવેશ થાય છે, અને તે એકના નિર્ગમથી અપરના પ્રવેશપૂર્વક પણ નવ સાધુઓ જ શુદ્ધપરિહારને સ્વીકારે છે, પરંતુ એક-બે આદિ સાધુઓ સ્વીકારતા નથી; ફક્ત શુદ્ધપરિહાર સ્વીકારનારા તે નવેય સાધુઓ પ્રથમ વાર સ્વીકારતા નથી, તેને આશ્રયીને શુદ્ધપરિહારને અગચ્છ' સ્વીકારે છે એમ કહેલ છે. આથી ફલિત થાય કે શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે પ્રારંભમાં નવ સાધુઓના સમુદાયરૂપ ગચ્છ સ્વીકારે છે અને ૧૮ મહિને તે શુદ્ધપરિહાર એક વખત પૂરો થયા પછી ફરી શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે એકના નિર્ગમથી અપર સાધુના પ્રવેશરૂપ અગચ્છ સ્વીકારે છે; જ્યારે જિનકલ્પ સ્વીકારતી વખતે ગચ્છ સ્વીકારે કે અગચ્છ સ્વીકારે એવી કોઈ મર્યાદા નથી, પરંતુ ક્યારેક એક સાધુ પણ જિનકલ્પ સ્વીકારે તો ક્યારેક અનેક સાધુઓ પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં જિનકલ્પ સ્વીકારે, અને ઉત્કૃષ્ટથી શતપૃથર્વ સાધુઓ પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં એક સાથે જિનકલ્પ સ્વીકારે છે. આ પ્રકારનો જિનકલ્પિકોથી શુદ્ધપરિહારિકોનો કલ્પસ્વીકારના વિષયમાં ભેદ છે. 7/૧૫૨૪ll અવતરણિકા : પૂર્વગાથામાં શુદ્ધપરિહારસંયમના સ્વીકારના વિષયમાં જિનકલ્પના સ્વીકારથી ભેદ બતાવ્યો. હવે શુદ્ધપરિહાર સ્વીકારતાં પહેલાં કરવાની તપોભાવનામાં જિનકલ્પ સ્વીકારતાં પહેલાં કરાતી તપોભાવનાથી શું ભેદ છે? તે બતાવે છે – ગાથા : तवभावणणाणत्तं करिति आयंबिलेण परिकम्मं । इत्तरिअ थेरकप्पे जिणकप्पे आवकहिआ उ ॥१५२५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy