SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સંલેખનાસ્તુક | અભ્યઘત વિહાર | શુદ્ધપરિહારિકની સામાચારી / ગાથા ૧૫૨૪ ગમ છે જિનકલ્પમાં જે માર્ગ પૂર્વે બતાવ્યો એ જ માર્ગ છે. નિર્દિક નાપત્તિ-વળી જિનોથી નાનાત્વ છે=શુદ્ધપરિહારિકોનું જિનકલ્પિકોથી ભિન્નપણું છે, (તે ભિન્નપણું જ બતાવે છે –) Sચ્છે વા=ગચ્છ અથવા અગચ્છ પડવMફ (શુદ્ધપરિહારને) સ્વીકારે છે. ગાથાર્થ : શુદ્ધપરિહારિકમાં અને યથાલંદમાં નિયમથી જિનકલ્પમાં જે માર્ગ પૂર્વે બતાવ્યો એ જ માર્ગ છે. વળી શુદ્ધપરિહારિકોનું જિનકલ્પિકોથી ભિન્નપણું છે, તે ભિન્નપણું જ બતાવે છે – ગચ્છ અથવા અગચ્છ શુદ્ધપરિવારને સ્વીકારે છે. ટીકા : ___ एष एव गमः अनन्तरोदितो भावनादिः नियमाच्छुद्धपरिहारिके यथालन्दे च, नानात्वं तु जिनेभ्यः शुद्धपरिहारिकाणामिदं, प्रतिपद्यते गच्छः तत्प्रथमतया नवकसमुदायः, अगच्छे(?च्छो)वा एकनिर्गमादपर રૂતિ થાર્થ: શ૧૨8ા. ટીકાઈ: શુદ્ધપરિહારિકમાં અને યથાલંદમાં નિયમથી, અનંતરમાં ઉદિત એવો આ જ ભાવનાદિરૂપ ગમ છે=પૂર્વમાં જિનકલ્પમાં જે માર્ગ કહેવાયો એ જ ભાવનાદિરૂપ માર્ગ છે. વળી શુદ્ધપરિહારિકોનું જિનોથી નાના– આ છે=જિનકલ્પિકોથી ભિન્નપણું હવે કહે છે એ છે – તેના પ્રથમપણાથી નવકના સમુદાયરૂપ ગચ્છ સ્વીકારે છે શુદ્ધપરિહાર સ્વીકારના પ્રથમપણાથી નવા સાધુઓના સમુદાયરૂપ ગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે, અથવા એકના નિર્ગમથી અપરરૂપ અગચ્છ=શુદ્ધ પરિહારિકોના નવ સાધુઓના સમુદાયમાંથી એક સાધુના નિર્ગમથી બીજા સાધુના પ્રવેશરૂપ અગચ્છ, શુદ્ધ પરિહારને સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં જિનકલ્પનો ભાવના આદિ જે માર્ગ બતાવ્યો, એ જ માર્ગ નિયમથી શુદ્ધપરિહારમાં અને યથાલંદમાં છે. તેથી ફલિત થાય કે ગચ્છમાં રહેલા સાધુઓ જેમ ભાવના આદિના ક્રમથી શક્તિનો સંચય કરીને જિનકલ્પને સ્વીકારે છે, તેમ શુદ્ધપરિહારને અને યથાલંદને પણ સાધુઓ ભાવના આદિના ક્રમથી શક્તિનો સંચય કરીને સ્વીકારે છે. આથી તે અપેક્ષાએ જિનકલ્પ, શુદ્ધપરિહાર અને યથાલંદમાં કોઈ ભિન્નપણું નથી, પરંતુ સમાનપણું છે; આમ છતાં શુદ્ધપરિવાર અને યથાલંદના સ્વીકારમાં જિનકલ્પના સ્વીકારથી જે ભિન્નપણું છે, તે જણાવતાં પ્રથમ શુદ્ધપરિહારિકોનું જિનકલ્પિકોથી ભિન્નપણું બતાવે છે – - શુદ્ધપરિહાર સંયમ સ્વીકારવાના વિષયમાં પ્રથમપણાથી નવ સાધુઓના સમુદાયરૂપ ગચ્છ શુદ્ધપરિહારને સ્વીકારે છે અથવા એકના નિર્ગમથી અપરરૂપ અગચ્છ શુદ્ધપરિવારને સ્વીકારે છે. આશય એ છે કે અહીં નવ સાધુઓના સમુદાયને “ગચ્છ' એ પ્રકારની સંજ્ઞા આપવામાં આવેલ છે. અને શુદ્ધપરિહાર સ્વીકારતી વખતે પ્રથમ નવ સાધુઓનો સમુદાય હોય છે, તેમાંથી ચાર સાધુઓ પરિહારિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy