SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર/જિનકપીની સ્થિતિ ગાથા ૧૫૨૧, ૧૫૨૨-૧૫૨૩ - ૧૮૩ ગાથાર્થ : વળી જિનકલ્પિક મહાત્મા અલ્પ-બહત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. અથવા શુભભાવ હોવાથી જિનકલિકને બહુ પણ ઉત્સર્ગમાર્ગનું સેવન જ હોય છે. ટીકા : ___ अल्पबहुत्वालोचनविषयातीतस्तु भवत्येषः-जिनकल्पिक इति, अथवा शुभभावात् कारणाद्बह्वप्येतदेवास्य तत्त्वत इति गाथार्थः ॥१५२१॥ ટીકાર્ય : વળી આ જિનકલ્પિક, અલ્પ-બહુત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. અથવા શુભભાવરૂપ કારણથી આમને જિનકલ્પિકને, બહુ પણ તત્ત્વથી આ જ હોય છે અધિક લાભ પણ પરમાર્થથી ઉત્સર્ગમાર્ગનું આચરણ જ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક અલ્પ-બહત્વના આલોચનના વિષયથી અતીત હોય છે. આશય એ છે કે સ્થવિરકલ્પિક સાધુઓ, ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ કરવાથી ચિત્ત સંયમના કંડકોમાં વૃદ્ધિ પામી શકે તેમ ન હોય ત્યારે કઈ પ્રવૃત્તિ કરવાથી સંયમના કંડકોની વૃદ્ધિ થવારૂપ અધિક લાભ થશે? તેનું આલોચન કરીને ઉત્સર્ગમાર્ગ કે અપવાદમાર્ગ: એ બેમાંથી જેના સેવનમાં બહુ લાભ દેખાતો હોય તે માર્ગનું સેવન કરે છે; જ્યારે જિનકલ્પિક મહાત્મા સત્ત્વશાળી હોવાથી પ્રાણનો નાશ થાય ત્યાં સુધી પણ પોતાના સંયમના કંડકમાંથી પાત પામતા નથી, તેથી તેઓ અલ્પલાભ કે બહુલાભના વિચારના વિષયથી અતીત હોય છે, તેથી તેઓ સદા ઉત્સર્ગમાર્ગથી જ સર્વ પ્રવૃત્તિ કરે છે. અથવા જિનકલ્પિક મહાત્માને અલ્પલાભ કે બહુલાભના આલોચનનો વિષય સ્વીકારીએ, તોપણ ઉત્સર્ગમાર્ગથી પ્રવૃત્તિ કરવામાં તેઓને સદા શુભભાવ વર્તતો હોવાને કારણે તેઓ માટે પરમાર્થથી ઉત્સર્ગમાર્ગ જ બહુલાભ છે, પરંતુ સ્થવિરકલ્પિક સાધુઓની જેમ તેઓ માટે અપવાદમાર્ગ ક્યારેય અધિક લાભનું કારણ બનતો નથી; કેમ કે તેઓ સદા સંગ વગરની પરિણતિવાળા હોય છે. /૧૫૨૧// અવતરણિકા: चरमद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ચરમારને આશ્રયીને કહે છે=ગાથા ૧૪૮૪-૧૪૮૫માં જિનકલ્પિકની ક્ષેત્રાદિ મર્યાદાનાં ૧૯ ધારો બતાવેલ, અને તે ૧૯ દ્વારોનું ગાથા ૧૪૮થી ક્રમસર વર્ણન કર્યું, તેમાંથી હવે “ત્રીજી પોરિસીમાં ભક્ત અને પંથા” નામના છેલ્લા દ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદા બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy