SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સંખનાવસ્તક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૮-૧૫૧૯ આચરણાથી થતી ન જણાય ત્યારે, સાધુઓ દોષિત ભિક્ષા ગ્રહણ કરવા આદિ અપવાદોનું પણ સેવન કરે છે, તેથી સાધુઓ માટે અપવાદના સેવનમાં સુપરિશુદ્ધ એવા જ્ઞાનાદિ આલંબન છે. વળી જિનકલ્પિક મહાત્માઓ શ્રુતજ્ઞાનથી સંપન્ન થયેલા હોય છે અને પોતે સંપન્ન કરેલા શ્રુતથી જ તેઓ આત્માને ભાવિત કરીને અસંગભાવને સ્થિર કરવા યત્ન કરે છે. તેથી પ્રાયઃ કરીને સ્વાધ્યાયરૂપ તપના પ્રસાધનથી આત્માને ભાવિત કરવો એ જિનકલ્પિક માટે ઉચિત છે, આથી તેઓને અપવાદિક આલંબન હોતું નથી. અહીં પ્રશ્ન થાય કે જિનકલ્પિક મહાત્માઓ જેમ આત્માને ભાવિત કરવારૂપ તપનું પ્રસાધન કરે છે, તેમ અપવાદિક આલંબન લઈને જ્ઞાનાદિની વૃદ્ધિ માટેનો યત્ન કેમ કરતા નથી? તેથી કહે છે – મનુષ્યજન્મનું ઉત્તમ ફળ અસંગભાવ છે; કેમ કે અસંગભાવથી શીધ્ર કર્મોનો નાશ થાય છે, અને જિનકલ્પિક મહાત્માને તપના પ્રસાધનથી મનુષ્યજન્મના અસંગભાવરૂપ ફળની પ્રાપ્તિ થયેલ છે, તેથી તેઓ જ્ઞાનાદિની વૃદ્ધિ માટે અપવાદિક આલંબનમાં યત્ન કરતા નથી. અહીં કહ્યું કે “પ્રાયઃ તપના પ્રસાધનથી ઉચિત છે,” ત્યાં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે જિનકલ્પિક નક્કી પ્રવ્રયા લેનારા દીક્ષાર્થીને ઉપદેશ આપે અથવા કોઈની અપ્રીતિના પરિહારાદિ અર્થે વીરપ્રભુની જેમ ચાતુર્માસમાં પણ વિહાર કરે, તેવી કોઈ અપવાદિક પ્રવૃત્તિ સિવાય તેઓ તપના પ્રસાધનથી આત્માને વાસિત કરે છે. I૧૫૧૮ અવતરણિકા: પૂર્વગાથાના અંતે કહ્યું કે જિનકલ્પિકને જન્મના ઉત્તમ ફળની સિદ્ધિ છે. તેથી પ્રશ્ન થાય છે જિનકલ્પિક મહાત્માને જન્મના ઉત્તમ ફળની સિદ્ધિ કેમ છે? તે દર્શાવે છે – ગાથા : सव्वत्थ निरवइक्खो आढत्तं चिअ दढं समाणितो । वट्टइ एस महप्पा किलिट्ठकम्मक्खयणिमित्तं ॥१५१९॥ दारं ॥ અન્વયાર્થ : ક્ષિત્નિકૂર્મધ્વનિમિત્ત ક્લિષ્ટ કર્મના ક્ષયનિમિત્તે સંધ્યત્વ નિવફgો સર્વત્ર નિરપેક્ષ એવા પણ પપ્પા આ મહાત્મા=જિનકલ્પિક મહાત્મા, માહિત્ત વિકમ ૮ સમfinતો=આરબ્ધને જ દઢ સમાપન કરતા વટ્ટ=વર્તે છે. ગાથાર્થ : ક્લિષ્ટ કર્મના ક્ષયનિમિત્તે સર્વત્ર નિરપેક્ષ એવા જિનકલ્પિક મહાત્મા આરબ્ધને જ દેટ સમાપન કરતા વર્તે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy