SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સલેખનાથજીક અગ્રુધત વિહાર/જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૧૬-૧૫૧૦, ૧૫૧૮ ટીકાર્ય : જે કારણથી ઉત્તરકલ્પ એવો આ જીવનના ઉત્તરકાળમાં સ્વીકારવા યોગ્ય આચાર સ્વરૂપ જિનકલ્પ, અભક્તાર્યાદિની સદેશ=જીવનના અંતિમકાળે કરાતા ભક્તપરિજ્ઞા અનશન આદિ જેવો, અપ્રમાદથી એકાગ્રતાપ્રધાન વર્તે છે. આથી તેના ભંગમાં=જિનકલ્પના ભંગમાં, ગુરુતર દોષ થાય છે, કેમ કે વિષયનું ગુરુપણું છે=દોષના વિષયભૂત એવા જિનકલ્પનું ગુરુપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | જિનકલ્પિક મહાત્મા અસંગાનુષ્ઠાનમાં વર્તનારા હોય છે અને શ્રુતના પારાયણ દ્વારા સદા અસંગભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરનારા હોય છે; આમ છતાં કર્મના વૈચિત્ર્યને કારણે જિનકલ્પિકને પણ ક્યારેક અશુભ લેશ્યા અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન વર્તે છે, તે વખતે તેઓને શું પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે? તે બતાવવા કહે છે – - જિનકલ્પિકની કાયાથી કે વચનથી સ્કૂલના થાય તો તો તેઓને સ્કૂલના અનુસાર મોટું પ્રાયશ્ચિત્ત તો આવે છે, પરંતુ મનથી પણ સૂક્ષ્મ પણ અલના થાય તોપણ, તેઓને જઘન્યમાં જઘન્ય ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. અહીં પ્રશ્ન થાય કે સામાન્ય રીતે મનથી કોઈક સૂક્ષ્મ અતિચાર થયો હોય, તો સાધુને માત્ર નિંદાગોંદિથી તે અતિચારની શુદ્ધિ થાય છે, તેને બદલે જિનકલ્પિકને મનથી થયેલા સૂક્ષ્મ પણ અતિચારની શુદ્ધિ અર્થે આટલું મોટું પ્રાયશ્ચિત્ત કેમ આવે છે? તેથી કહે છે – જિનકલ્પ એ સંયમજીવનનો ઉત્તરકલ્પ છે. તેથી તે જિનકલ્પ સ્વીકારનારા જિનકલ્પી સાધુ સંયમનું પાલન કરીને સુઅભ્યસ્ત શાસ્ત્રોવાળા અને સુઅભ્યસ્ત ચારિત્રવાળા હોય છે. વળી જેમ પોતાનો ઉત્તરભવ સાધનાને અનુકૂળ શ્રેષ્ઠ સામગ્રીવાળો મળે તદર્થે, જીવનના અંતિમ કાળે સાધુ ભોજનનો સર્વથા ત્યાગ કરવા આદિરૂપ કોઈ એક અનશન સ્વીકારીને અપ્રમાદથી એકાગ્રતાપ્રધાન થઈને આત્માને શ્રુતથી ભાવિત કરે છે, તેમ જીવનના ઉત્તરકાળે જિનકલ્પ સ્વીકાર્યા પછી અપ્રમાદથી એકાગ્રતાપ્રધાન થઈને કોઈ માનસિક પણ અતિચાર ન થાય તેવા મહાઉદ્યમથી જિનકલ્પી પોતાના આત્માને ભાવિત કરે છે; આમ છતાં એકાગ્રતાનો ભંગ થાય ત્યારે તેઓને મનથી સૂક્ષ્મ અતિચાર પ્રાપ્ત થાય છે અને એકાગ્રતાનો ભંગ જિનકલ્પી માટે ગુરુતર દોષ છે; કેમ કે જિનકલ્પરૂપ ગુરુ વિષયને અર્થાત્ ઉચ્ચ ભૂમિકાને, સ્વીકાર્યા પછી અતિચારનું સેવન થયેલ છે, માટે જિનકલ્પમાં થયેલ અતિચારનું જઘન્ય પ્રાયશ્ચિત્ત પણ મોટું હોય છે. આથી જિનકલ્પિકને મનથી પણ સૂક્ષ્મ પણ થયેલા અતિચારમાં સર્વજઘન્ય ચાર ગુરુમાસના ઉપવાસરૂપ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. //૧૫૧૬/૧૫૧૭ી અવતરણિકા: कारणद्वारमधिकृत्याह - અવતણિકાર્ય : કારણદ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy