SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની સ્થિતિ / ગાથા ૧૫૧૨-૧૫૧૩ કરવા તત્પર એવા અન્ય જીવને, પ્રવ્રજ્યા આપતા નથી. આ જીત છે જિનકલ્પિક અન્યને પ્રવજ્યા આપતા નથી એ જિનકલ્પિકનો આચાર છે. ચરમ અનશનીની જેમ=જીવનના અંતિમકાળે કરેલ અનશનવાળા સાધુની જેમ, એકાંતથી નિરપેક્ષ એવા આ મહાત્મા=જિનકલ્પિક મહાત્મા, આજ્ઞાથી=ભગવાનની આજ્ઞાથી, તે પ્રકારે પ્રવૃત્ત છે=કોઈને પ્રવજ્યા ન આપે તે પ્રકારે પ્રવૃત્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : उवएसं पुण विअरइ धुवपव्वाविं विआणिउं कंची । तं पि जहाऽऽसण्णेणं गुणओ ण दिसादविक्खाए ॥१५१३॥ दारं ॥ અન્વયાર્થ : યુવપલ્લવિં પુN=વળી ધ્રુવપ્રવ્રાજીને=અવશ્ય પ્રવજ્યા ગ્રહણ કરનારાને, વિવિં =જાણીને વરી કોઈકને ૩ વિકેર–ઉપદેશ આપે છે. તે પિ તેને પણ તે પ્રવજયા ગ્રહણ કરવા તત્પર થયેલા દીક્ષાર્થીને પણ, ગુપ ગાડડસઇનેvi ગુણથી યથાઆસન્ન વડે (સોપે છે,) હિસાવિવાણ =દિગાદિની અપેક્ષાથી નહીં. ગાથાર્થ : વળી અવશ્ય પ્રવજ્યા લેનારાને જાણીને કોઈક દીક્ષાર્થીને ઉપદેશ આપે છે. તે પ્રવજ્યા લેવા તત્પર થયેલા દીક્ષાર્થીને પણ ગુણથી યથાઆસન્ન એવા સાધુને સોંપે છે, દિગાદિની અપેક્ષાએ આસન્ન એવા સાધુને સોંપતા નથી. ટીકા : उपदेशं पुनर्वितरति ददाति ध्रुवं प्रव्रजनशीलं विज्ञाय कञ्चित्सत्त्वं, तमपि यथाऽऽसन्नेन वितरति गुणात्, न दिगाद्यपेक्षया कारणेनेति गाथार्थः ॥१५१३॥ ટીકાર્થ: વળી ધ્રુવ પ્રવ્રજનશીલને જાણીને કોઈક સત્ત્વને નક્કી પ્રવજ્યા લેવાના સ્વભાવવાળા દીક્ષાર્થીને જાણીને કોઈક જીવને, જિનકલ્પિક ઉપદેશ આપે છે. તેને પણ=તે પ્રવ્રજ્યા લેવા માટે તત્પર એવા દીક્ષાર્થીને પણ, ગુણથી યથાઆસન્ન વડે આપે છે ગુણની અપેક્ષાએ જે પ્રમાણે નજીક હોય તેવા સાધુને સોંપે છે, દિગાદિની અપેક્ષારૂપ કારણથી નહીં–પોતાના ગચ્છના દિગાદિના સંબંધવાળા સાધુની અપેક્ષારૂપ કારણથી તે દીક્ષાર્થીને પોતાના ગચ્છના સાધુને સોપતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - જિનકલ્પી મહાત્મા પોતાના કલ્પની મર્યાદા પ્રમાણે એક પહોરમાં આહાર-વિહાર-નિહાર કરે છે અને તે સિવાયના શેષ સાત પહોરમાં સૂત્ર-અર્થનું પરાવર્તન કરતા કાયોત્સર્ગમાં ઊભા રહે છે; આમ છતાં કોઈ પુરુષ ભક્તિથી તેઓ પાસે આવેલ હોય અને આ નક્કી દીક્ષા લેશે તેવું કૃતના બળથી જણાય, તો જિનકલ્પિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy