SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૧૦-૧૫૧૧ ૧૦ ટીકાર્ય : આમાં જિનકલ્પરૂપ અભિગ્રહમાં, ગોચરાદિ સર્વ જન્નભિક્ષાચર્યા આદિ સર્વ જ, નિયત–નિશ્ચિત, અને નિયમથી નિરપવાદ=એકાંતથી અપવાદ વગરના, વર્તે છે, જે કારણથી આમ છે=જિનકલ્પિકના ગોચરાદિ સર્વ જ નિયત અને નિયમથી નિરપવાદ છે એમ છે, આથી તેનું પાલન જ=જિનકલ્પરૂપ અભિગ્રહનું પાલન જ, આમનું જિનકલ્પિકનું, પર=પ્રધાન, વિશુદ્ધિસ્થાન છે. શેષ અભિગ્રહો વડે શું? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સાધુઓ વિશેષ પ્રકારના અપ્રમાદની વૃદ્ધિ અર્થે વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો ધારણ કરીને ભિક્ષાટન કરે છે, અને “નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થશે તો સંયમવૃદ્ધિ થશે, નહીં પ્રાપ્ત થાય તો તપોવૃદ્ધિ થશે” એ પ્રકારના સમભાવપૂર્વક ભિક્ષાટન કરીને, નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિમાં લેશ પણ હર્ષ ન થાય કે અપ્રાપ્તિમાં લેશ પણ ખેદ ન થાય તે પ્રકારનો અંતરંગ વ્યાપાર કરે છે, જેથી અસંગભાવને અનુકૂળ એવો સંયમનો પરિણામ પ્રકર્ષવાળો બને. જેમ કે ઢંઢણ ઋષિએ અભિગ્રહ કરેલ કે “જ્યાં સુધી મને સ્વલબ્ધિથી ભિક્ષા નહીં મળે, ત્યાં સુધી મારે પરલબ્ધિથી ભિક્ષા ગ્રહણ કરવી નહીં.” આ અભિગ્રહના પાલનના બળથી જ તેઓમાં અસંગભાવની વૃદ્ધિ થવાથી તેઓને ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આવા પ્રકારના અભિગ્રહો જિનકલ્પિક કરતા નથી. કેમ કરતા નથી? તેમાં યુક્તિ આપે છે કે જિનકલ્પિક જિન જેવા આચારો પાળવારૂપ જિનકલ્પનો યાવજીવ સુધીનો મહાઅભિગ્રહ ધારણ કરેલ છે, જે મહાઅભિગ્રહ તેઓને સતત અસંગભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરાવે તેવો છે, તેથી જિનકલ્પી અભિગ્રહો ધારણ કરતા નથી. વળી આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે જિનકલ્પિકના ગોચરાદિ સર્વ જ નિયત હોય છે. તેથી અન્ય સાધુઓ જે રીતે ઋજવી, ગ–ાપ્રત્યાગતિ આદિ આઠ પ્રકારની ગોચરભૂમિની કલ્પના કરીને ભિક્ષાટન કરે છે, તે રીતે જિનકલ્પિક ભિક્ષાટન કરતા નથી, પરંતુ પૂર્વે બતાવ્યું તે રીતે એક ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના કરીને અનિબદ્ધપણે ભિક્ષાટન કરે છે. વળી જિનકલ્પિકના ગોચરાદિ સર્વ જ નિયમથી નિરપવાદ હોય છે, તેથી અન્ય સાધુઓ જે રીતે ભિક્ષા વગર સંયમનો નિર્વાહ થઈ શકે તેમ ન જણાય કે તપ દ્વારા સમભાવની વૃદ્ધિ થઈ શકે તેમ ન જણાય તો, અપવાદથી દોષિત ભિક્ષા પણ ગ્રહણ કરે છે, તે રીતે જિનકલ્પિક ભિક્ષાચર્યા આદિ સર્વ જ પ્રવૃત્તિમાં ક્યારેય અપવાદ સેવતા નથી. આમ, ભિક્ષાચર્યા વગેરે સર્વ જ પ્રવૃત્તિ જિનકલ્પિકને નિયત અને નિયમથી અપવાદ વગરની હોવાથી તેઓને દ્રવ્યાદિ સામાન્ય અભિગ્રહો ધારણ કરવાનું કોઈ પ્રયોજન નથી, ફક્ત જિનકલ્પરૂપ અભિગ્રહનું પાલન જ તેઓ માટે ચારિત્રની વિશુદ્ધિનું સ્થાન છે. ./૧૫૧૦/૧૫૧૧|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy