SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૦૬-૧૫૦૦, ૧૫૦૮-૧૫૦૯ ટીકાઈ: આ રીતે=પૂર્વગાથામાં કહ્યું કે પ્રવર્ધમાન એવા ધર્મધ્યાનથી જિનકલ્પને સ્વીકારે છે અને જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીને આર્ત-રૌદ્રધ્યાન વર્તી શકે છે એ રીતે, જિનકલ્પની પ્રતિપત્તિથી કુશલયોગ ઉદ્દામ હોતે છતે કુશલયોગ ઉત્કટ હોતે છતે, તીવ્ર કર્મપરિણામરૂપ ઔદયિકથીઃકર્મના તીવ્ર પરિણામરૂપ ઔદયિક ભાવથી, આમનો=જિનકલ્પિકનો, રૌદ્ર-આર્તમાં પણ ભાવ રોદ્રધ્યાન અને આર્તધ્યાનમાં પણ સદ્ભાવ, જાણવો. અને તે=જિનકલ્પિકને આર્ત-રૌદ્રધ્યાનનો સદ્ભાવ, પ્રાયઃ નિરનુબંધ હોય છે, કેમ કે સ્વલ્પપણું છે–તેઓના અશુભ ધ્યાનનું અલ્પ સામર્થ્યપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધ્યાનદ્વારની વિચારણા પ્રસ્તુત છે, તેમાં મહાત્મા પ્રવર્ધમાન એવા ધર્મધ્યાનથી જિનકલ્પ સ્વીકારે છે. તેથી ફલિત થાય કે જિનકલ્પ સ્વીકારતી વખતે જિનકલ્પી નિયમા ધર્મધ્યાનમાં જ હોય છે, શુક્લધ્યાન કે આર્ત-રૌદ્રધ્યાનમાં હોતા નથી. વળી જિનકલ્પ સ્વીકારતી વખતે તે મહાત્મા સવિકલ્પ ઉપયોગવાળા હોય છે, માટે તેઓ ધર્મધ્યાનમાં વર્તે છે, અને જિનકલ્પ સ્વીકાર્યા પછી જ્યારે નિર્વિકલ્પ ઉપયોગવાળા થાય, ત્યારે તેઓ શુક્લધ્યાનમાં વર્તે છે. - વળી અત્યંત અપ્રમાદી પણ જિનકલ્પિક આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં પણ પ્રતિષિદ્ધ નથી. આમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જિનકલ્પિક પ્રાયઃ ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં જ વર્તતા હોય છે, તોપણ કર્મના વૈચિત્ર્યને કારણે તેઓમાં જેમ ક્યારેક અશુભ લેશ્યાઓ આવે છે, તેમ ક્યારેક અશુભ ધ્યાન પણ આવે છે. તે જ સ્પષ્ટ કરવા કહે છે કે જિનકલ્પના સ્વીકારથી જીવમાં જે કુશલયોગ વર્તે છે, તે કુશલયોગ એવો છે કે આવા મહાત્મા પણ તેના પર સતત અંકુશ રાખી શકતા નથી, અને કુશલયોગ પર સતત અંકુશ નહીં રહેવાથી તીવ્ર કર્મપરિણામરૂપ ઔદયિક ભાવથી તે જિનકલ્પી મહાત્મા પણ ક્યારેક આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં વર્તે છે, તોપણ તેઓનું આર્તધ્યાન કે રૌદ્રધ્યાન નિરનુબંધ હોય છે અર્થાત્ સંસારી જીવોમાં વર્તતું આર્તધ્યાન કે રૌદ્રધ્યાન, તેઓના આત્મા પર તેવા સંસ્કારો નાંખીને પ્રવાહરૂપે ફરી ફરી તેઓને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરાવે તેવા અનુબંધવાળું હોય છે, જયારે જિનકલ્પિકમાં કોઈક નિમિત્તથી ક્યારેક વર્તતું આર્તધ્યાન કે રૌદ્રધ્યાન, પ્રાયઃ પ્રવાહરૂપે ફરી ફરી તેઓને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરાવે તેવા અનુબંધ વગરનું હોય છે; કેમ કે તેઓનું અશુભ ધ્યાન અલ્પ સામર્થ્યવાનું હોય છે. તેથી તેઓ મોટા ભાગે ધર્મધ્યાનમાં કે શુક્લધ્યાનમાં જ વર્તે છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય. ./૧૫૦૬/૧૫૦૭ અવતરણિકા: गणनाद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ગણનાદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy