SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલીની સ્થિતિ | ગાથા ૧૫૦૪-૧૫૦૫, ૧૫૦૬-૧૫૦૦ ૧૫ ટીકાર્ય : અત્યંત સંક્લિષ્ટમાં=અત્યંત સંક્લેશવાળી અશુદ્ધ વેશ્યાઓમાં, વર્તતા નથી અર્થાત્ પૂર્વગાથામાં બતાવ્યું તે મુજબ પૂર્વપ્રતિપન્નક જિનકલ્પી અશુદ્ધ વેશ્યાઓમાં વર્તે છે તોપણ અત્યંત સંક્લેશવાળી અશુદ્ધ લેશ્યાઓમાં વર્તતા નથી. અને તે રીતે ઈતરામાં અશુદ્ધમાં=અસંક્લિષ્ટ એવી અશુદ્ધ વેશ્યાઓમાં, થોડો કાળ વર્તે છે. અહીં પ્રશ્ન થાય કે જિનકલ્પી અત્યંત સંક્લિષ્ટ ન હોય એવી અશુદ્ધ વેશ્યાઓમાં પણ કેમ વર્તે છે? તેથી કહે છે – કર્મોની ચિત્ર ગતિ છે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ છે; જે કારણથી તેઓમાં પણ વર્તે છે=જિનકલ્પિક અશુદ્ધ લેશ્યાઓમાં પણ વર્તે છે, તોપણ વીર્ય ફળને દે છે=જિનકલ્પિકમાં વર્તતું સર્વીર્ય અશુદ્ધ લેશ્યાથી થયેલ ચારિત્રની મલિનતાને દૂર કરવારૂપ ફળને આપે છે; જે કારણથી તેઓના ભાવમાં પણ અશુદ્ધ વેશ્યાઓના સદ્ભાવમાં પણ, ફરી ચારિત્રની શુદ્ધિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનકલ્પ સ્વીકારતી વખતે પ્રવર્ધમાન પરિણામ હોવાથી જિનકલ્પીમાં નિયમથી તેજો આદિ શુદ્ધ એવી ત્રણ વેશ્યાઓ વર્તે છે, પરંતુ જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પિકમાં ક્યારેક અશુદ્ધ વેશ્યાઓ પણ વર્તે છે; કેમ કે મોહનીય કર્મની વિચિત્ર પ્રકારની ગતિ છે, જેથી ભાવચારિત્રવાળા જિનકલ્પીમાં પણ કોઈક નિમિત્તથી અત્યંત સંક્લિષ્ટ ન હોય એવી અશુદ્ધ વેશ્યાઓ અલ્પકાળ વર્તે છે; આમ છતાં જિનકલ્પી સર્વીર્યથી સંયમમાં ઉદ્યમ કરનારા હોવાથી તેઓનું મહાવીર્ય તેઓને ફરી ચારિત્રની શુદ્ધિરૂપ ફળ આપે છે. આથી અશુદ્ધ લશ્યાને કારણે તેઓના ચારિત્રની કંઈક ગ્લાનિ થવા છતાં પણ પોતાનામાં વર્તતા સદ્વર્ય દ્વારા તેઓ અલ્પકાળમાં મલિન થયેલા ચારિત્રની અવશ્ય ઉત્તરોત્તર શુદ્ધિ કરે છે. આનાથી એ ફલિત થાય કે જિનકલ્પિક સતત ચારિત્રના પરિણામની શુદ્ધિને અનુકૂળ પ્રયત્ન કરનારા હોય છે, તેથી તેઓમાં મોહનીય કર્મના ઉદયથી ક્યારેક અશુભ લેશ્યા વર્તે તોપણ, જેમ નવમા ગુણઠાણાની પૂર્વે રહેલો નષ્ટપ્રાયઃ એવો વેદોદય વિકાર પેદા કરતો નથી, તેમ તે અશુભ લેશ્યા ચારિત્રની હાનિ કરતી નથી. /૧૫૦૪/૧૫૦પી અવતરણિકા : ध्यानद्वारमधिकृत्याह - અવતરણિયાર્થ: ધ્યાનદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : झाणंमि वि धम्मेणं पडिवज्जइ सो पवड्डमाणेणं । इअरेसु वि झाणेसुं पुव्वपवण्णो ण पडिसिद्धो ॥१५०६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy