SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૨-૧૫૦૩, ૧૫૦૪-૧૫૦૫ ૧૬૩ ટીકાર્ય : વળી ઇતર=દ્રવ્યલિંગ, જીર્ણભાવાદિથી=જીર્ણ-હૃતાદિ કારણોથી=દ્રવ્યલિંગ જીર્ણ થયેલ હોય કે કોઈના વડે હરણ કરાયેલ હોય વગેરે કારણોથી, જિનકલ્પિકને ક્યારેક સતત નથી પણ હોતું એ સંભવે છે; અને તેના વિના પણ દ્રવ્યલિંગ વિના પણ, તેમને જિનકલ્પિકને, તે પ્રકારથી=જે પ્રકારે ભાવલિંગનો નાશ થાય તે પ્રકારથી, ભાવની પરિહાણિ=ચારિત્રના પરિણામની હાનિ, થતી નથી, કેમ કે અપ્રમાદનો અભ્યાસ છેઃ જિનકલ્પિકને ભાવલિંગના રક્ષણના ઉપાયભૂત એવો અપ્રમાદ સુઅભ્યસ્ત હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દ્રવ્યલિંગ સાધુના રજોહરણ, મુહપત્તિ આદિ ઉપકરણરૂપ છે અને ભાવલિંગ ચારિત્રના અંતરંગ પરિણામરૂપ છે. સાધુ જિનકલ્પ સ્વીકારે ત્યારે દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બંનેથી યુક્ત હોય છે, અને જિનકલ્પ સ્વીકાર્યા પછી ચારિત્રના પરિણામરૂપ ભાવલિંગ જિનકલ્પીને નિયમથી હોય છે અર્થાત્ જિનકલ્પી આકર્ષ દ્વારા પણ ગુણસ્થાનકથી ક્યારેય પાત પામતા નથી, પરંતુ નિયમથી પોતાના ગુણસ્થાનકમાં અવસ્થિત રહે છે. વળી જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પીને દ્રવ્યલિંગ ક્યારેક સતત ન પણ હોય એ સંભવે, અર્થાત્ તેઓનાં વસ્ત્રાદિ ઉપકરણ જીર્ણ થઈ ગયાં હોય અથવા તેઓના રજોહરણાદિનું કોઈ હરણ કરી ગયું હોય, તે વખતે તેઓ સાધુવેશ રહિત પણ હોય તેવું બને; કેમ કે તેઓ જિનકલ્પની મર્યાદાથી નિર્દોષ વસ્ત્રાદિ પ્રાપ્ત થાય ત્યારે જ ગ્રહણ કરે છે, તેથી જ્યાં સુધી તેવાં નિર્દોષ રજોહરણ કે વસ્ત્રાદિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ દ્રવ્યલિંગ વગરના પણ હોય, તોપણ અપ્રમાદનો અભ્યાસ હોવાથી દ્રવ્યલિંગ વગર પણ તેઓના ચારિત્રના પરિણામની હાનિ થતી નથી. ll૧૫૦૨/૧૫૦૩. અવતરણિકા: लेश्याद्वारमधिकृत्याह - અવતરણિકાઈઃ લેશ્યાદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : लेसासु विसुद्धासुं पडिवज्जइ तीसु न पुण सेसासु । पुव्वपडिवन्नओ पुण होज्जा सव्वासु वि कहंचि ॥१५०४॥ અન્વયાર્થ: વિશુદ્ધાતું તીખુ ભેંસાસુ-વિશુદ્ધ એવી ત્રણ લેશ્યાઓમાં પરિવર=(જિનકલ્પને) સ્વીકારે છે, જેના પુન =પરંતુ શેષ એવી વેશ્યાઓમાં નહીં. પુત્રપવિન્નો પુછા=વળી પૂર્વપ્રતિપન્નક સબ્યાસુ વિકસર્વ પણ લેશ્યાઓમાં વક્રિકકોઈક રીતે રોm=હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy