SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સલોઝનાવસ્તક / અભ્યધત વિહાર/જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૯-૧૪૯૭, ૧૪૮-૧૪૯૯ ૧પ૦ અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે કોઈક શારીરિક ઉપઘાતને કારણે કે અંતકાળે અનશન કરતી વખતે શ્રુતનું અનુસ્મરણ શક્ય ન હોય, ત્યારે જિનકલ્પી પંચપરમેષ્ઠી આદિના ધ્યાનથી પણ આત્માને ભાવિત કરે છે, તે સિવાય પૂર્વાધીત શ્રુતનું નિત્ય જ અનુસ્મરણ કરે છે, આથી “નિત્ય જ” એમ ‘પદ્ય'કાર કરેલ છે. અહીં કહ્યું કે “જે કારણથી જિનકલ્પિક કૃતકૃત્ય છે,” તેનાથી એ ફલિત થાય કે સિદ્ધના જીવો કૃતકૃત્ય છે અને કેવલજ્ઞાની જીવો અંશથી કૃતકૃત્ય છે, તે સિવાય અન્ય કોઈ કૃતકૃત્ય નથી; આમ છતાં જેઓ તેવા કૃતકૃત્ય થવા માટે અપ્રમાદભાવથી સર્વશક્તિથી ઉદ્યમ કરે છે, તેઓ “જ્જિયમાdi #તન્ના ન્યાયથી કૃતકૃત્ય કહેવાય છે અને જેઓ કૃતકૃત્ય થવા પ્રકર્ષથી ઉદ્યમ કરતા નથી, તેઓ કૃતકૃત્ય કહેવાતા નથી. આથી જિનકલ્પી અસંગભાવની વૃદ્ધિ અર્થે ઉચિત એવા પ્રકૃષ્ટ યોગની આરાધના કરનારા છે, માટે કૃતકૃત્ય છે એમ કહેલ છે. વળી “સ ” શબ્દથી એ પ્રાપ્ત થાય છે, માત્ર સૂત્રમાં કે સૂત્રના અર્થમાં ઉપયોગ રાખવો તે શ્રુતનું સમ્યગુ અનુસ્મરણ નથી, પરંતુ જે શ્રુતનું અનુસ્મરણ કરવાથી અનાદિકાળના આત્મા પર પડેલા વિપરીત સંસ્કારોનો ક્ષય થાય, પોતાની મતિ શ્રુતથી પરિકર્મિત બને અને આત્મામાં શ્રુતના સંસ્કારોનું આધાન થાય, તેવું કૃતનું અનુસ્મરણ સમ્યગુ છે. અને જિનકલ્પિક શ્રતનું એકાગ્ર મનપૂર્વક તેવું સમ્યમ્ પારાયણ કરે છે. I/૧૪૯૬/૧૪૯૭ અવતરણિકા : वेदद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : વેદવારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : वेओ पवित्तिकाले इत्थीवज्जो उ होइ एगयरो । पुव्वपडिवनगो पुण होज्ज सवेओ अवेओ वा ॥१४९८॥ અન્વયાર્થ : પવિત્તાત્રે પ્રવૃત્તિકાળમાં=જિનકલ્પના સ્વીકારકાળમાં, રૂત્થીવો સ્ત્રીવર્જ જ=સ્ત્રીવેદ સિવાયનો જ, પાયરો એકતરો વેદ હોદ્દ (જિનકલ્પિકને) હોય છે. પુષ્યપવિત્ર પુur=વળી પૂર્વપ્રતિપન્નક પૂર્વમાં જિનકલ્પ સ્વીકારાયો છે જેમના વડે એવા જિનકલ્પિક, સમો મો વા=સવેદવાળા અથવા અવેડવાળા દો M=હોય. ગાથાર્થ : જિનકના સ્વીકાર કાળમાં સ્ત્રીવેદ સિવાયનો જ એકતર વેદ જિનકલિકને હોય છે. વળી પૂર્વમાં જિનકા સ્વીકારાયો છે જેમના વડે એવા જિનકભિક સદવાળા અથવા આવેદવાળા હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy