SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકપીની સ્થિતિ / ગાથા ૧૪૯૬-૧૪૯૦ અનુસ્મરણ કરે છે ? તે બતાવે છે – એકાગ્ર મનવાળા એવા જિનકલ્પિક વિસ્ત્રોતસિકાના ક્ષયના હેતુ એવા યથોક્ત=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહેવાયેલ પૂર્વમાં અધીત, શ્રતને સમ્યગુ સ્મરણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ નિત્ય નવા નવા શ્રુતનું અધ્યયન કરે છે, પરંતુ જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કયા ભવને આશ્રયીને જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરતા નથી ? તેથી કહે છે – વર્તમાન ભવને આશ્રયીને જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરતા નથી, પરંતુ અન્ય ભવને આશ્રયીને તે જિનકલ્પી નવા નવા આગમનું અધ્યયન કરે પણ. અહીં પ્રશ્ન થાય કે સાધુને નિત્ય અપૂર્વ આગમ ભણવાની વિધિ છે. આથી જ પુખરવર સૂત્રમાં “ઘમ્મર વક્s” બોલવા દ્વારા ચારિત્રધર્મની પ્રાપ્તિ પછી શ્રતધર્મની વૃદ્ધિની અભિલાષા કરાય છે. તો પછી જિનકલ્પી કેમ પૂર્વમાં ભણેલા શ્રતની અપેક્ષાએ અપૂર્વ શ્રુત ભણતા નથી ? એથી કહે છે – * જિનકલ્પિક ઉચિત એવા પ્રકૃષ્ટ યોગનું આરાધન કરતા હોવાથી કૃતકૃત્ય વર્તે છે. આશય એ છે કે જિનકલ્પિકથી અન્ય સાધુઓ અપ્રમાદભાવની વૃદ્ધિ અર્થે અપૂર્વ અપૂર્વ શ્રુત ભણીને આત્માને શ્રતથી ભાવિત કરતા હોય છે. તેથી જે અપ્રમાદથી નવું નવું શ્રુત ભણીને શ્રતથી ભાવિત થાય છે તેઓ કૃતકૃત્ય છે; જ્યારે જિનકલ્પિક પોતાની ભૂમિકાનુસાર પૂર્વમાં ભણેલા શ્રતથી આત્માને સતત વાસિત કરવા દ્વારા અસંગભાવની વૃદ્ધિને અનુકૂળ ઉદ્યમ કરવારૂપ ઉચિત એવા પ્રકૃષ્ટ યોગની આરાધના કરતા હોવાથી કૃતકૃત્ય છે. તેથી કૃતકૃત્ય થવા માટે અન્ય સાધુઓની જેમ અપૂર્વ શ્રુત ભણવાની જિનકલ્પિક સાધુઓને આવશ્યકતા રહેતી નથી. વળી જિનકલ્પિક પ્રાયઃ પૂર્વમાં ભણેલ શ્રુતનું નિત્ય જ સમ્યગ્ અનુસ્મરણ કરે છે અર્થાત્ જિનકલ્પી સાધુઓ પૂર્વમાં ભણેલા શ્રતથી આત્માને વાસિત કરીને અપ્રમાદભાવની વૃદ્ધિ કરે છે, તેથી જ કહ્યું કે જિનકલ્પિક એકાગ્ર મનવાળા થઈને પૂર્વમાં અજીત શ્રતનું અનુસ્મરણ કરે છે. વળી જિનકલ્પિકોનું શ્રુતનું અનુસ્મરણ ચિત્તની વિસ્ત્રોતસિકાના ક્ષયનો હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચિત્ત શ્રતના પારાયણમાં ન રહે તો સંસારના ભાવોમાં પ્રવર્તે છે, જે ચિત્તનો વિપરીત સ્ત્રોત છે અને તે મોહની વૃદ્ધિનું કારણ છે. અનાદિકાળથી આત્મા પર ચિત્તની વિસ્ત્રોતસિકાના જ સંસ્કારો સ્થિર થયેલા છે અને તે સંસ્કારોના ક્ષયનું કારણ એકાગ્ર મનવાળા થઈને કરાતું શ્રતનું પારાયણ છે, જેનાથી આત્મા પર શ્રુતથી વાચ્ય અર્થના સંસ્કારો દઢ થાય છે અને આત્મા પર સ્થિર થયેલા ચિત્તની વિસોતસિકાના સંસ્કારો નાશ પામે છે; તેમ જ આત્મા પર શ્રુતના સંસ્કારો અતિશય-અતિશયતર થવાથી પૂર્વ પૂર્વ કરતાં ક્ષપકશ્રેણીને અભિમુખ એવા અસંગભાવની વૃદ્ધિ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy