SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / સંકલના યથાલંદ : એ ત્રણમાંથી સ્વશક્તિ મુજબ કોઈપણ એક પ્રકારનો અભ્યુદ્યતવિહાર સ્વીકારે છે. માટે મારે પણ સ્વશક્તિ અનુસાર અપ્રમાદની વૃદ્ધિ માટે ઉચિત યત્ન કરવો જોઈએ. વળી જેમ સંલેખના સમાન અભ્યઘતવિહાર જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ અને યથાલંદ : એમ ત્રણ પ્રકારનો છે, તેમ સંલેખનાસ્વરૂપ અભ્યુદ્યતમરણ પણ પાદપોપગમન, ઇંગિનીમરણ અને ભક્તપરિક્ષા : એમ ત્રણ પ્રકારનું છે. અને તે અભ્યઘતમરણ મહાત્માઓ સંલેખનાપૂર્વક સ્વીકારે છે, તેથી ગ્રંથકારશ્રીએ અભ્યુદ્યતમરણ સ્વીકારતા પૂર્વે કરવાની દ્રવ્યસંલેખના અને ભાવસંલેખનાનું વર્ણન ગાથા ૧૫૭૫થી ૧૬૧૪ સુધી વિસ્તારથી કરેલ છે, જેમાં સ્પષ્ટ કરેલ છે કે સંલેખના કર્યા વગર અભ્યુદ્યતમરણ સ્વીકારવામાં આવે અથવા સંલેખના કર્યા વગર સહસા મરણ પ્રાપ્ત થાય તો, શરીરમાં ધાતુઓનો એકદમ ક્ષોભ થવાને કારણે આરાધક પણ સાધુને આર્તધ્યાન થવાનો અને તેના કારણે અસમાધિથી મૃત્યુ થવાનો સંભવ રહે છે. વળી, આર્તધ્યાન એ સંસારવૃક્ષનું બીજ છે, તેથી મૃત્યુ વખતે સંભવનારી અસમાધિના પરિહાર માટે સાધુએ જીવનના અંતસમયે અવશ્ય સંલેખના કરવી જોઈએ. [] વળી સંલેખના કરતી વખતે સાધુ તપ દ્વારા દેહને કૃશ કરે છે અને શ્રુતના બળથી સતત આત્માને વાસિત કરીને શુભભાવમાં વર્તે છે. આ રીતે ક્રમસર બાહ્ય રીતે દેહની ક્ષીણતા થવાને કારણે અને અંતરંગ રીતે શુભભાવથી ભાવિત થવાની પ્રક્રિયાથી સંચિત બળવાળા થવાને કારણે, મહાત્મા સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરીને અન્ય ભવમાં જાય છે. આ સર્વનું સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રીએ અનેક યુક્તિઓથી કરેલ છે, જેથી વર્તમાનમાં પણ આરાધક સાધુ પ્રસ્તુત વચનોના બળથી અંતસમયે પોતાને માટે શું ઉચિત છે ? તેનો યથાર્થ નિર્ણય કરી શકે. વળી મરણ સમયે સંલેખના કરવાની આ વિધિ અમરણધર્મવાળા વીતરાગે બતાવી છે, એનું સ્પષ્ટીકરણ ગાથા ૧૫૯૨થી ૧૫૯૪માં કરેલ છે, ઇત્યાદિ સર્વ પદાર્થો આરાધક જીવોને ભાવન ક૨વામાં અત્યંત ઉપકારક છે, તેથી જિજ્ઞાસુએ તે તે ગાથાઓ દ્વારા વિસ્તારથી જાણવા ઉદ્યમ કરવો જોઈએ. આ રીતે સંલેખના કર્યા પછી પાદપોપગમનાદિ અનશન સ્વીકારતા પૂર્વે સાધુ શું ઉચિત વિધિ કરે છે ? તે ગાથા ૧૬૧૫થી ૧૬૧૮માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે, અને ત્યારપછી ત્રણેય પ્રકારના અનશનમાંથી સાધુઓ સ્વ-સ્વભૂમિકાનુસારે અનશન કઈ રીતે સ્વીકારે છે ? તેનું વર્ણન ગ્રંથકારશ્રીએ ગાથા ૧૬૧૯થી ૧૬૨૮ સુધી કરેલ છે. વળી જે સાધુએ અત્યંત અપ્રમાદપૂર્વક સંયમનું પાલન કર્યું નથી, છતાં કલ્યાણના અર્થી છે, તેઓ પણ જીવનના ચરમકાળમાં ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારે છે, અને તે વખતે તેઓ સૌ પ્રથમ અત્યાર સુધીના સંયમજીવનમાં થયેલી સ્ખલનાઓની આલોચના કરે છે, તેમ જ પોતે પ્રમાદને વશ થઈને સંયમજીવનમાં જે કાંઈ કાંદર્ષિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓ સેવી છે તેઓનું વર્જન કરે છે અને તે સ્ખલનાઓની સંવેગપૂર્વક શુદ્ધિ કરે છે. વળી, તે સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત વસ્તુમાં ગાથા ૧૬૩૦થી ૧૬૬૨ સુધી વિસ્તારથી દર્શાવેલ છે, જેના દ્વારા શ્રોતાને માર્ગાનુસા૨ી બોધ થાય છે કે સંયમજીવન ગુપ્તિપ્રધાન છે અને જેઓ સંયમજીવનમાં ગુપ્તિનું પાલન કરી શકતા નથી, તેઓ સંયમજીવનમાં કાંદર્ષિકી આદિ સંક્લિષ્ટ ભાવનાઓને ભાવિત કરીને, દેવદુર્ગતિની અર્થાત્ તુચ્છ દેવલોકની પ્રાપ્તિ કરીને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy