SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક/ સંકલના ઇન્દ્રિયાદિનું નિયંત્રણ કરેલ હોય છે, તોપણ અંતસમયે તેઓ ઇન્દ્રિયાદિને અત્યંત સંયમિત કરે છે, જેથી અભ્યતવિહાર સ્વીકાર્યા પછી વિશેષ પ્રકારના કષાયોનો જય થઈ શકે. (૫) પંચભાવના :- (A) તપભાવના :- અભ્યઘતવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા સુધાના વિજય માટે પૂર્વે અભ્યસ્ત એવો પોરિસીથી માંડીને સર્વ તપ ત્રણ ગણો કરે છે, જેથી અભ્યતવિહાર સ્વીકાર્યા પછી જિનકલ્પાદિની મર્યાદાને અનુરૂપ આચારોના પાલનકાળમાં આહારાદિની પ્રાપ્તિ ન થાય તોપણ પોતાના સંયમના સુદઢ વ્યાપારોની હાનિ થતી નથી. | (B) સત્ત્વભાવના :- જિનકલ્પાદિ સ્વીકારતા પૂર્વે મહાત્મા નિદ્રા અને ભયનો જય કરવા માટે સત્ત્વભાવનાથી આત્માને ભાવિત કરે છે, જેથી જિનકલ્પાદિ સ્વીકાર્યા પછી કાયોત્સર્ગકાળમાં પ્રાયઃ નિદ્રાનો ઉદય જ ન થાય અથવા તો કાયોત્સર્ગકાળમાં કોઈ જંતુ કે પશુ આદિ તેઓના દેહને સ્પર્શે તોપણ સહસા ભયજન્ય કોઈ ક્ષોભ થાય નહીં. (C) શ્રુતભાવના :- અભ્યદ્યતવિહાર સ્વીકારતા પૂર્વે મહાત્મા પોતે પૂર્વમાં ભણ્યા હોય તે સર્વ સૂત્રના અને અર્થના અસ્મલિત પારાયણમાં એકાગ્ર મનપૂર્વક યત્ન કરે છે, જેથી તે શ્રુતના પારાયણના બળથી પ્રાણ, સ્તોક, મુહૂર્ત, પોરિસી, દિવસ-રાત આદિ સર્વ કાળનું જ્ઞાન સ્વયં જ થઈ શકે તેવી શક્તિ તે મહાત્મામાં પ્રગટે છે, તે મહાત્મા શ્રતનું પરાવર્તન કરીને મહાસંવેગનો પ્રકર્ષ કરી શકે છે, તેમ જ શ્રુતના પરાવર્તનથી સદા અસંગભાવને વહન કરી શકે છે. (D) એકત્વભાવના:- તે મહાત્મા અભ્યઘતવિહાર સ્વીકારતા પૂર્વે પોતાના આત્માને એકત્વભાવનાથી એ રીતે ભાવિત કરે છે કે જેથી કોઈની સાથે આલાપ-સંલાપ કરવાનો કે ક્યાંક અવલોકન કરવાનો લેશ પણ પરિણામ થાય નહીં, માત્ર શુદ્ધાત્મા સાથે પોતાનું ચિત્ત સદા પ્રતિબદ્ધ રહી શકે તે પ્રકારના મહાબળનો સંચય થાય છે. વળી આ પ્રકારની એકત્વભાવનાનું કોઈ મહાત્મા વર્તમાનમાં પણ ભાવન કરે તો તેઓ પોતાની ભૂમિકા અનુસાર પોતાના ચિત્તને સંસારના ભાવોથી પર રાખી શકે છે. (E) બલભાવના અથવા ઉપસર્ગસહભાવના :- અભ્યદ્યતવિહાર સ્વીકારનાર મહાત્મા પૂર્વે શારીરિકમાનસિક બળને એ રીતે સંચિત કરે છે કે જેથી તેઓ જિનકલ્પાદિ સ્વીકાર્યા પછી ઉપસર્ગોમાં અને પરિષદોમાં લેશ પણ વિષાદ પામતા નથી, ઊલટું ઉપસર્નાદિકાળમાં પણ મહાકૃતિપૂર્વક શ્રુતાનુસારી તત્ત્વનું પર્યાલોચન કરીને આત્મભાવમાં પરમ સ્થિર રહી શકે છે. (૬) વટવૃક્ષ - આ રીતે અભ્યદ્યવિહારને અનુકૂળ સંપન્ન થયા પછી તે મહાત્મા શિષ્ય આદિ સાથે ક્ષમાપના આદિ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને, નિઃશલ્ય-નિષ્કષાય થઈને જિનકલ્પાદિસ્વીકારને અનુકૂળ દ્રવ્યક્ષેત્રાદિમાં ઉત્સર્ગથી જિનાદિ પાસે જિનકલ્પ સ્વીકારે છે અને અપવાદથી વડના વૃક્ષ નીચે જિનકલ્પ સ્વીકારે છે. આ સર્વ દ્વારા અને ભાવનાઓ વિસ્તૃત રીતે પ્રસ્તુત વસ્તુમાં ગાથા ૧૩૭૪થી ૧૪૨૦ સુધી સ્પષ્ટ કરેલ છે, તેમ જ અન્ય પણ અનેક કારોથી ગાથા ૧૫૭૪ સુધી ગ્રંથકારશ્રીએ અભ્યદ્યવિહારનું સ્વરૂપ વિશદતાથી સ્પષ્ટ કરેલ છે, જેથી પ્રસ્તુત ગ્રંથ ભણનાર યોગ્ય જીવોને માર્ગાનુસારી બોધ થાય કે શક્તિસંપન્ન મહાત્માઓ પોતાના સંયમજીવનના ચરમકાળે અપ્રમાદની વિશેષ વૃદ્ધિ માટે આ રીતે જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy