SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ સંલેખનાવતુક/ સંકલના પોતે દીર્ધાયુ હોય, તો તેઓ જિનકલ્પાદિરૂપ અભ્યઘતવિહાર સ્વીકારવાનો વિચાર કરે છે, અને જો પોતે દીર્ધાયુ હોવા છતાં જિનકલ્પાદિ સ્વીકારવાની પોતાની શક્તિ ન હોય તો ધ્યાનાદિ સંયમનાં ઉચિત કૃત્યોમાં વિશેષ યત્ન કરવાનો વિચાર કરે છે; વળી જો પોતાનું આયુષ્ય અલ્પ જણાય તો તેઓ પાદપોપગમનાદિરૂપ અભ્યઘતમરણ સ્વીકારવાનો વિચાર કરે છે. આ પ્રકારના માર્ગાનુસારી ચિંતવનપૂર્વક ઉચિત કૃત્યો કરવા દ્વારા તે મહાત્માની અખંડ એવી પ્રવ્રયાનો નિર્વાહ થાય છે, જે પ્રારબ્ધ એવી પ્રવ્રયાની અવ્યવચ્છિત્તિનું કારણ છે અર્થાત્ ઉત્તર ઉત્તરનાં સંયમની વૃદ્ધિનું કારણ છે, અને જીવનના અંતિમકાળે આ પ્રકારનું ચિંતવન કરવામાં ન આવે તો સંસારનો ઉચ્છેદ કરવા માટે પ્રારંભ કરેલી પ્રવ્રયાનો અંતકાળ ઉચિત કૃત્યો નહીં કરવાથી વિરસ અંતવાળો બને છે. આનાથી એ ફલિત થાય કે વર્તમાનકાળમાં પણ સાધુએ કે શ્રાવકે, પોતાના જીવન દરમિયાન સ્વભૂમિકાનુસાર જે કંઈ ઉચિત કૃત્યો કર્યા હોય તેનું જીવનના અંતકાળમાં સમ્યક સમાલોચન કરીને, હવે મારે શું કરવું ઉચિત છે? હું શું કરું તો મારો ચરમકાળ પૂર્ણ ઉચિત પ્રવૃત્તિપૂર્વક સફળ બને? તેનો માર્ગાનુસારી ઊહ કરવો જોઈએ. (૨) પંચતુલના - અભ્યદ્યવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા પોતાના સંયમજીવન દરમિયાન આચાર્યપદવી આદિ પાંચમાંથી જે જે પદવીનો પોતે સમ્યક નિર્વાહ કરેલ હોય, તે તે પદવી પર યોગ્ય શિષ્યને સ્થાપવા અર્થે તે તે પદવીને ઉચિત શિષ્યને અવશ્ય નિષ્પન્ન કરે છે, અને ત્યારબાદ તે તે પદવી પર પોતાના શિષ્યને કેટલાક કાળ માટે સ્થાપીને, આ શિષ્ય મારા પદનો મારી જેમ જ સમ્યફ નિર્વાહ કરી શકે છે કે નહીં? તેનું અવલોકન કરે છે; કેમ કે શિષ્યગણને અતિવિવેકપૂર્વક યોગમાર્ગમાં પ્રવર્તાવવો એ દુષ્કર કાર્ય છે, અને જો શિષ્ય ગુરુ પાસેથી તે તે પદવી મેળવ્યા પછી પોતાના શિષ્યગણને ઉચિત રીતે યોગમાર્ગમાં પ્રવર્તાવી ન શકે, તો યોગ્ય પણ જીવો તે ગચ્છમાં રહીને ઉચિત આરાધના કરી શકે નહીં, જેના કારણે તે શિષ્યગણનું અહિત થાય. આથી તે અહિતના નિવારણ માટે અભ્યતવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા જેઓને ભાવિમાં પોતાની પદવી આપવાની છે તે શિષ્યને થોડા કાળ માટે પોતાની પદવી સોંપીને, કેટલોક કાળ પોતે પદવીથી નિવૃત્ત થઈને ગચ્છમાં રહીને જ તે શિષ્ય દ્વારા કરાતા સર્વ વ્યવહારનું નિરીક્ષણ કરે છે, અને જ્યારે તે મહાત્માને સ્થિર નિર્ણય થાય કે આ શિષ્ય મારા પદને સમ્યગ્વહન કરવા સમર્થ થયો છે, ત્યારે તેઓ તે શિષ્યને સદાકાળ માટે પોતાની પદવી આપીને પોતે જિનકલ્પાદિમાંથી કોઈ એક પ્રકારનો અભ્યઘતવિહાર સ્વીકારે છે. (૩) ઉપકરણ :- અભ્યદ્યતવિહાર સ્વીકારતી વખતે તે મહાત્મા જિનકલ્પાદિને ઉચિત શુદ્ધ ઉપકરણ ગ્રહણ કરે છે, પરંતુ જો જિનકલ્પાદિને ઉચિત શુદ્ધ ઉપકરણ તે મહાત્માને પ્રાપ્ત ન થાય તો, પોતાની પાસે જે યથાકૃત ઉપકરણ હોય તેને ગ્રહણ કરીને તેઓ જિનકલ્પાદિ સ્વીકારે છે, અને પાછળથી જ્યારે તેઓને જિનકલ્પાદિની મર્યાદાને અનુરૂપ નિર્દોષ ઉપકરણ પ્રાપ્ત થાય, ત્યારે તેઓ પોતાની પાસે રહેલા પૂર્વના તે યથાકૃત ઉપકરણનો ત્યાગ કરે છે. (૪) પરિકર્મ - અભ્યઘતવિહાર સ્વીકારતા પૂર્વે તે મહાત્મા ઇન્દ્રિયો, કષાયો અને મન-વચન-કાયાના યોગો પર સંયમ રાખવા માટે વિશેષ પ્રકારે યત્ન કરે છે, જોકે તે મહાત્માએ પૂર્વે સંયમપાલનકાળમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy