SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક/ સંકલના પ્રકારનું સદ્વર્ય ઉલ્લસિત થયું ન હોય અને તેથી તે મહાત્મા આ ભવમાં ક્ષપકશ્રેણી પર આરોહણ ન કરી શકે, તોપણ આ ભવમાં કરેલ સુંદર આરાધનાના બળથી તેઓ જન્માંતરમાં ઉત્તમ દેવભવની પ્રાપ્તિ કરે છે અને ત્યાં નિરતિચાર ચારિત્રને અનુકૂળ શક્તિનો સંચય કરીને થોડા ભવોમાં પોતાના સંસારનો અંત કરે છે. આથી સંયમજીવનના પાલનકાળમાં કરેલ આરાધનાનો જીવનના અંતિમ સમયે પ્રકર્ષ કરવા અર્થે આરાધક મહાત્માએ શું કરવું જોઈએ? તેનો પારમાર્થિક બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં પાંચમી વસ્તુમાં જીવનના અંત ભાગમાં કરવા યોગ્ય સંલેખનાનું નિરૂપણ કરેલ છે. સંખના એટલે પોતાના આત્મામાં વર્તતા કષાયોને કૃશ કરવા અને આત્મા સાથે એકત્વ પામેલા દેહને કૃશ કરવો. દેહને કૃશ કરવાથી મૃત્યુકાળે સહસા થતા દેહના પરિવર્તનમાં અસમાધિ થતી નથી, પરંતુ દેહની ધીરે ધીરે કૃશતા થવા દ્વારા સમાધિમાં વ્યાઘાતક ન બને તે રીતે દેહનો ત્યાગ થાય છે. વળી મહાત્મા સંલેખનકાળમાં સતત તપસહવર્તી શ્રુતથી પોતાના આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી કૃશ થયેલા દેહમાં પણ તે મહાત્મા સ્વપરાક્રમથી વિશુદ્ધ-વિશુદ્ધતર અધ્યવસાય કરી શકે છે, જેના બળથી તે મહાત્માના કષાયો પૂર્વે ચારિત્રપાલનકાળમાં જે કક્ષાએ મંદ-મંદતર થયેલા, તેનાથી પણ સંલેખના કાળમાં અત્યંત મંદ થાય છે. આથી જ કેટલાક મહાત્માઓને સંલેખનાકાળમાં વીર્યનો પ્રકર્ષ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ' સંલેખના એ જીવનના ચરમકાળમાં દેહના ત્યાગ માટે કરાતી વિશિષ્ટ પ્રકારની તપક્રિયા છે. મહાત્માઓ પોતાના સંયમજીવનમાં ગણિપદવી, આચાર્યપદવી વગેરેમાંથી પોતાને પ્રાપ્ત થયેલી પદવીનું યથાર્થ પરિપાલન કરીને જીવનના અંત સમયે અભ્યદ્યવિહાર અથવા અભ્યદ્યતમરણ સ્વીકારે છે. તેમાં અભ્યદ્યતવિહાર સંલેખના સમાન છે અને અભ્યતમરણ સંલેખનારૂપ છે. જો સંલેખના કરનાર મહાત્માનું આયુષ્ય દીર્ઘ હોય અને તે મહાત્મા જિનકલ્યાદિ સ્વીકારવાને અનુકૂળ શક્તિવાળા હોય, તો તેઓ અભ્યદ્યતવિહાર સ્વીકારે છે, અને જો તેઓને પોતાનું આયુષ્ય અલ્પ જણાય તો તેઓ અભ્યદ્યતમરણ સ્વીકારે છે. તેથી પ્રસ્તુત વસ્તુમાં ગ્રંથકારશ્રીએ પ્રથમ સંલેખના સમાન અભ્યદ્યાવિહારનું વર્ણન કરેલ છે અને ત્યારપછી સંખનારૂપ અભ્યઘતમરણનું વર્ણન કરેલ છે. વળી અભ્યઘતવિહારના સ્વરૂપનો બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ છ દ્વારોનું નિરૂપણ કરેલ છે. તે આ પ્રમાણે – (૧) અવ્યવચ્છિત્તિમન, (૨) પંચતુલના, (૩) ઉપકરણ, (૪) પરિકર્મ, (૫) પંચભાવના, (૬) વટવૃક્ષ. (૧) અવ્યવચ્છિત્તિમન:- અભ્યદ્યાવિહાર સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા પ્રથમ ધર્મજાગરિકા કરતા આત્મવંચના કર્યા વગર પ્રામાણિકતાથી ચિંતવન કરે કે મેં પ્રવ્રયાનો દીર્ઘ પર્યાય પાલન કર્યો છે, યોગ્ય શિષ્યોને વાચના આપી છે, શિષ્યોને નિષ્પન્ન કર્યા છે, તેથી હું જિનશાસનના ઋણથી મુક્ત થયો છું. હવે મારે શું કરવું યુક્ત છે? આ પ્રમાણે તે મહાત્મા સમ્યફ સમાલોચનપૂર્વક માર્ગાનુસારી ઊહ કરે છે, ત્યારપછી તેઓ પોતાના જીવનનો અંતિમકાળ અપ્રમત્તપણે આરાધનામય જાય તદર્થે, જો પોતાની શક્તિ હોય અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy