SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવવુકસંકલના પંચવસ્તક ગ્રંથરા અંતર્ગત પંચમ સંલેખના વસ્તકના પદાર્થોની સંક્ષિપ્ત સંકલની પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવેલ પ્રવ્રજયાવિધાનાદિ પાંચ વસ્તુઓ અનાદિમાન સંસારનો ઉચ્છેદ કરવાનો ઉપાય છે. તેથી પ્રવ્રયાગ્રહણના અર્થી મુમુક્ષુ પ્રથમ વસ્તુમાં બતાવેલ પ્રવ્રજ્યાગ્રહણને યોગ્ય ગુણો આદિ સર્વ વિધિનું યથાર્થ જ્ઞાન કરીને પોતાની પ્રવ્રજ્યાગ્રહણયોગ્ય ભૂમિકા તૈયાર થઈ હોય, તો શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યોગ્ય ગુરુ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, અને જો પોતાની પ્રવ્રજ્યાગ્રહણયોગ્ય ભૂમિકા સંપન્ન થઈ ન હોય તો પ્રસ્તુત વસ્તુમાં બતાવેલ પ્રવ્રયાયોગ્ય ગુણો કેળવવા યત્ન કરે છે. વળી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સામાયિકચારિત્રરૂપ પ્રવ્રયા ગ્રહણ કર્યા પછી સાધુ, બીજી વસ્તુમાં બતાવેલ વિધિ મુજબ પ્રતિદિન સંયમની ક્રિયાઓમાં યત્ન કરે, જેથી પ્રવ્રયાગ્રહણકાળે સાધુમાં ભાવચારિત્રની પરિણતિ પ્રગટ થઈ હોય તો સ્થિર-સ્થિરતર થાય છે, અને જો પ્રવ્રયાગ્રહણકાળમાં ભાવચારિત્રની નિષ્પત્તિને અનુકૂળ અંતરંગ વીર્ય પ્રગટ થયું ન હોય, જેને કારણે પ્રવ્રયાગ્રહણકાળમાં સાધુને ભાવચારિત્ર પ્રાપ્ત થયું ન હોય, તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિનક્રિયા કરવાથી સાધુમાં અવશ્ય ભાવચારિત્રની પરિણતિ પ્રગટ થાય છે; કેમ કે ભાવચારિત્ર એ શ્રુતના સંકલ્પના બળથી ઉત્પન્ન થયેલ સંસારના સર્વ ભાવો પ્રત્યે સમભાવ રાખવારૂપ છે અને તે સમભાવને ઉત્પન્ન કરનાર, ઉત્પન્ન થયેલ સમભાવને જીવંત રાખનાર, તેમ જ સ્થિર થયેલા સમભાવની વૃદ્ધિ કરનાર શાસ્ત્રોક્ત વિધિપૂર્વકની આ પ્રતિદિનક્રિયા છે, તેથી પ્રતિદિનક્રિયાનું યથાર્થ પાલન કરનાર સાધુ સમભાવરૂપ સામાયિકના પરિણામને સુખપૂર્વક વહન કરી શકે છે. વળી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રતિદિનક્રિયા કરનારા સાધુ તે તે ભૂમિકાને ઉચિત શાસ્ત્રોના અધ્યયનાદિ દ્વારા યોગ્ય બને, ત્યારે ગુરુ ત્રીજી વસ્તુમાં બતાવેલ વિધિપૂર્વક કલ્યાણના અર્થી એવા તે સાધુની પાંચ મહાવ્રતોમાં ઉપસ્થાપના કરે છે, અને વ્રતસ્થાપનાની મર્યાદાથી યોગ્ય શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરવામાં આવે તો તે સાધુમાં અવશ્ય બીજું છેદોપસ્થાપ્ય ચારિત્ર પ્રગટ થાય છે. વળી વ્રતોમાં ઉપસ્થાપિત થયા પછી ગુણવાન ગચ્છમાં રહીને, નિત્ય-નિત્ય નવો નવો શ્રુતાભ્યાસ કરીને તે સાધુ તે કાળને ઉચિત સર્વ શાસ્ત્રોના પરમાર્થને યથાર્થ જાણનારા બને છે ત્યારે, તે સાધુનું એકાંતે હિત કરવાના પરિણામવાળા ગુરુ તેમને આચાર્યપદવી આપે છે અને તે ગુણવાન સાધુ આચાર્યપદવી ગ્રહણ કરીને અવશ્ય પોતાના શિષ્ય પરિવારને પોતાની જેમ શાસ્ત્રના પારગામી બનાવે છે, તેમ જ જિનશાસનનો પ્રવાહ અવિચ્છિન્ન રહે તે પ્રકારે સર્વ ઉચિત કૃત્યો કરે છે. વળી આવા ગુણિયલ પણ આચાર્ય કે ગણધર જ્યારે પોતાના જીવનનો ચરમકાળ પ્રાપ્ત થાય ત્યારે સંલેખના કરે છે, જેથી દીક્ષા ગ્રહણકાળથી માંડીને અત્યાર સુધી પોતે જે આરાધના કરીને પોતાના આત્માને વીતરાગતા તરફ અભિમુખ કર્યો છે, તે વીતરાગતા પ્રત્યેનો તેઓનો આભિમુખ્યભાવ મરણ સમયે અત્યંત અતિશયિત થાય, જેના કારણે તે મહાત્મા પોતાના સંસારનો આ ભવમાં જ અંત કરે છે, અને કદાચ તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy